બદામ સવારે અને અખરોટ સાંજે કેમ ખાવી જોઈએ? એક્સપર્ટે જણાવ્યા કારણ

health news : એપોલો હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.ખન્ના કહે છે કે અખરોટ અને બદામ જેવા પૌષ્ટિક નટ્સનું યોગ્ય સમયે અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે

health news : એપોલો હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.ખન્ના કહે છે કે અખરોટ અને બદામ જેવા પૌષ્ટિક નટ્સનું યોગ્ય સમયે અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
walnuts, Almonds, બદામ, અખરોટ

ડ્રાયફૂટ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બે ડ્રાયફ્રૂટ બદામ અને અખરોટ છે (તસવીર - ફ્રીપિક)

health news : બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે ઘણા સંશોધનમાં સાબિત થયું છે કે ડ્રાયફ્રૂટ્સ પોષક તત્વોનું પાવરહાઉસ છે. ડ્રાયફ્રૂટમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે.

Advertisment

જો મર્યાદિત માત્રામાં રોજ ડ્રાયફ્રૂટનું સેવન કરવામાં આવે તો શરીરને ફાયદો થાય છે. ડ્રાયફ્રૂટનું વધારે સેવન ન કરો કારણ કે તેમાં કેલરી વધારે હોય છે જે વજન વધારી શકે છે અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે. દરરોજ મીઠા વગરના અને ખાંડ વગરના કુદરતી ડ્રાયફ્રૂટનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે.

ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન

ડ્રાયફૂટ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બે ડ્રાયફ્રૂટ બદામ અને અખરોટ છે. આ બંને ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન સાબિત થાય છે. બદામમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન ઇ, મેગ્નેશિયમ, ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે જે હૃદયની તંદુરસ્તી સુધારે છે અને સ્કિન ટોનને સુધારે છે. બદામનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

અખરોટની વાત કરવામાં આવે તો બ્રેઇનના આકારના અખરોટ આપણા મગજ માટે શાનદાર છે. તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડેન્ટ, કોપર, મેંગેનીઝ અને ફોલેટ હોય છે જે આપણા હૃદયની હેલ્થને સારી બનાવે છે. અખરોટનું સેવન કરવાથી મગજની કામગીરી સુધરે છે અને સુજન નિયંત્રણમાં રહે છે.

Advertisment

એપોલો હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.ખન્ના કહે છે કે અખરોટ અને બદામ જેવા પૌષ્ટિક નટ્સનું યોગ્ય સમયે અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બદામ અને અખરોટ એ બે ખાસ મેવા છે જેનો ઉપયોગ અલગ અલગ સમયે કરવાથી શરીર પર તેમી પ્રતિક્રિયા અલગ હોઇ શકે છે.

આ પણ વાંચો - ફક્ત લાલ અને લીલો જ નહીં, ખાવાના પેકેટ પર હોય છે આ 5 રંગના નિશાન, જાણો દરેકનો શું છે અર્થ

આ ખ્યાલને 'ક્રોનો-ન્યૂટ્રિશન' કહેવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે ખોરાકને શરીરના જૈવિક લય અનુસાર ગોઠવવો. આ થિયરી સૂચવે છે કે તમે શું ખાવ છો અને જ્યારે તમે તેને ખાઓ છો ત્યારે તે તમારા મેટાબોલિઝમ, હોર્મોન સંતુલન અને ઊર્જાના સ્તર પર અસર કરી શકે છે.

મેવામાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં બાયોએક્ટિવ યૌગિક જેવા ઓમેગા-3, એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર વગેરે હોય છે, જેને યોગ્ય સમયે ખાવામાં આવે તો શરીર તેનો વધુ સારી રીતે પચાવવા માટે ઉપયોગ કરી શકે છે. આવો જાણીએ સવારે બદામ અને સાંજે અખરોટ ખાવાથી શરીરને શું ફાયદા થાય છે.

સવારે બદામ ખાવાના ફાયદા

બદામ એક ડ્રાયફ્રૂટ છે જેમાં મેગ્નેશિયમ, વિટામિન ઇ, હેલ્ધી ફેટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સવારે તેનું સેવન કરવાથી શરીર અને મન બંનેને ઘણા ફાયદા થાય છે. જો સવારે બદામનું સેવન કરવામાં આવે તો બ્લડનાં શુગરનું પ્રમાણ સામાન્ય રહેશે અને મગજની શક્તિમાં સુધારો થશે.

મેગ્નેશિયમ ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે, જ્યારે ફાઇબર અને ચરબી શુગરના શોષણને ધીમું કરે છે. સવારે તેનું સેવન કરવાથી એનર્જી લેવલ સુધરે છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે. વિટામિન ઇ મગજના કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. મેગ્નેશિયમની શાંત અસર ધ્યાન અને માનસિક સ્પષ્ટતામાં વધારો કરે છે. રોજ સવારે 5-7 પલાળેલી બદામ ખાવાથી શરીર અને મગજ બંને માટે ફાયદાકારક છે.

સાંજે અખરોટ ખાવી કેવી રીતે યોગ્ય છે

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને મેલાટોનિન હોય છે, જે એક હોર્મોન છે જે ઊંઘને નિયંત્રિત કરે છે. સાંજે તેને ખાવાથી મગજ શાંત થાય છે અને ગાઢ નિંદ્રા આવે છે. જો તમે સાંજે અખરોટ ખાવ છો, તો ઊંઘતા સમયે શરીરના તૂટેલા તંતુઓને રિપેર કરવાની પ્રક્રિયા ઝડપી બને છે.

અખરોટમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ફેટ્સ હૃદય અને મગજના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. રાત્રિભોજન પછી અખરોટના 6-7 ટુકડા ગરમ દૂધ, દહીં અથવા એમ જ ખાઓ. તેનાથી ઊંઘ સુધરે છે અને માનસિક થાક ઓછો થાય છે. સાંજે અખરોટ ખાવાની આદત શરીરને આરામની સ્થિતિમાં લાવવામાં મદદગાર સાબિત થાય છે.

જીવનશૈલી health tips