વરસાદમાં આ 5 શાકભાજીનું સેવન ના કરો, બોડી પર ઝેરની જેમ કરે છે અસર

Health News Gujarati : જો વરસાદની ઋતુમાં ડાયેટનું ધ્યાન રાખવામાં ન આવે તો હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિન શરીરમાં જઈને બોડીને બીમાર કરી દે છે. આવો જાણીએ આ સિઝનમાં કયા કયા શાકભાજી ન ખાવા જોઈએ

Health News Gujarati : જો વરસાદની ઋતુમાં ડાયેટનું ધ્યાન રાખવામાં ન આવે તો હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિન શરીરમાં જઈને બોડીને બીમાર કરી દે છે. આવો જાણીએ આ સિઝનમાં કયા કયા શાકભાજી ન ખાવા જોઈએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
monsoon food to avoid, monsoon food

વરસાદની ઋતુમાં ડાયેટનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : વરસાદની ઋતુ કાળઝાળ ગરમીથી રાહત આપે છે, પરંતુ આ વરસાદી ઝાપટા બેક્ટેરિયાના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ છે. જો આ ઋતુમાં ડાયેટનું ધ્યાન રાખવામાં ન આવે તો હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિન શરીરમાં જઈને બોડીને બીમાર કરી દે છે. આ ઋતુમાં ખરાબ ડાયેટનું સેવન કરવાથી ઉલ્ટી, ઝાડા અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. આ ઋતુમાં ડાયેટનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વરસાદની ઋતુમાં બહારનો ખોરાક ખાવાનું ટાળો, કારણ કે આ ઋતુ માખી અને મચ્છરોના સંવર્ધન માટે અનુકૂળ છે.

Advertisment

આ ઋતુમાં શાકભાજી ખૂબ જ કાળજીપૂર્વક ખાઓ. હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર, વરસાદની ઋતુમાં ભેજમાં વધારો અને વરસાદ બેક્ટેરિયા અને ફૂગ માટે આદર્શ સંવર્ધન સ્થળ પ્રદાન કરે છે. આ વાતાવરણમાં ખોરાક દૂષિત થઈ જાય છે અને રોગોનું જોખમ પણ વધી જાય છે.

ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે આ વીડિયો શેર કરીને જણાવ્યું કે વરસાદની સિઝનમાં લસણ અને ડુંગળી જેવા શાકભાજીનો વપરાશ પણ ઘણો ઓછો કરવો જોઈએ. આવો જાણીએ આ સિઝનમાં કયા કયા શાકભાજી ન ખાવા જોઈએ, કયા કયા શાકભાજી છે જે ઝેરની જેમ સ્વાસ્થ્ય પર અસર કરે છે.

લીલા પાંદડાવાળી શાકભાજી ન ખાશો

વરસાદની ઋતુમાં પાલક, કોબીજ જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. વરસાદની ઋતુમાં કાદવ, જીવાત અને ભેજને કારણે આ શાકભાજીને ઝડપથી ચેપ લાગે છે. જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેઓ પોતાની સાથે હાનિકારક કીટાણુઓ લાવી શકે છે. આ હાનિકારક જીવાણુઓ પેટ સુધી પહોંચીને તમને બીમાર કરી શકે છે.

Advertisment

મશરૂમ્સ ટાળો

મશરૂમ પોષણયુક્ત ખોરાક છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનું સેવન કરવું ખૂબ જોખમી હોઈ શકે છે. વરસાદમાં ભેજ વધારે હોય છે, જેના કારણે મશરૂમ ખૂબ જ ઝડપથી સડવા લાગે છે અને સડી જાય છે. સડેલા મશરૂમ્સ ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. તેને ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. ચોમાસામાં મશરૂમ ખૂબ જ કાળજીપૂર્વક ખાઓ, કારણ કે થોડી બેદરકારી આરોગ્યને અસર કરી શકે છે.

આ પણ વાંચો -  51 વર્ષની ઉંમરે પણ ફિટ અને ચુસ્ત રહેવાનું રહસ્ય ગૌર ગોપાલ દાસે જણાવ્યું, આ ડાયેટ પ્લાનને કરે છે ફોલો

ફુલાવર અને બ્રોકલી ખાશો નહીં

ફુલાવર અને બ્રોકલી આ શાકભાજી ક્રુસિફેરસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ વરસાદમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ શાકની રચના એવી હોય છે કે તેમાં નાના ખાંચાઓ હોય છે જેમાં વરસાદમાં ભેજ અને જીવાતો સરળતાથી ફસાઇ જાય છે. આ જીવાતોને સાફ કરવી મુશ્કેલ હોય છે, કારણ કે તે માત્ર ધોવાથી સંપૂર્ણપણે સાફ થતી નથી. જો આ શાકભાજીને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો પાચન તંત્ર બગડી શકે છે.

રીંગણને ટાળો

રીંગણ સામાન્ય રીતે સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર શાકભાજી હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વરસાદની ઋતુમાં ભેજ અને માટીના કારણે રીંગણમાં જીવજંતુઓ ઝડપથી લાગી જાય છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગ કે પેટની સમસ્યા થઇ શકે છે.

ચોમાસું જીવનશૈલી health tips વરસાદ