/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Berries-jamun.jpg)
Foods to Avoid with Berries : જાંબુ એક એવું ફળ છે જે વરસાદની સિઝનમાં ખૂબ જોવા મળે છે (Photo : Freepik)
Foods to Avoid with Berries: જાંબુ એક એવું ફળ છે જે વરસાદની સિઝનમાં ખૂબ જોવા મળે છે. જાંબુ જેટલું સ્વાદમાં અદ્ભુત હોય છે, તેટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળ બ્લડ શુગર કંટ્રોલ, પાચન સુધાર અને ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે અનેક રોગો સામે રક્ષણ આપે છે, પરંતુ કેટલાક એવા પણ ફળ છે જેને સાથે ખાવાથી ફાયદો થવાને બદલે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવું જ જાંબુ સાથે પણ છે, કારણ કે જાંબુની ઠંડી અસર હોય છે અને તેને ચોક્કસ ફળો સાથે ક્યારેય ન ખાવા જોઈએ.
દિલ્હીના અજય આયુર્વેદ ક્લિનિકના આયુર્વેદાચાર્ય ડો.અજય પાલે જણાવ્યું હતું કે જાંબુને કેટલાક ફળો સાથે ન ખાવા જોઈએ. જો તમે આવું કરો તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
આયુર્વેદાચાર્ય ડો.અજય પાલના જણાવ્યા અનુસાર જાંબુ સાથે કેટલાક ફળોનું સેવન કરવાથી શરીરને લાભને બદલે નુકસાન થાય છે. નિષ્ણાતોના મતે કેટલાક એવા ફળ છે જે જાંબુની સાથે શરીરમાં એસિડ-બેલેન્સને ડિસ્ટર્બ કરી શકે છે, જે પાચન તંત્રને અસર કરે છે અને ગેસ, એસિડિટી, ડાયેરિયા અને બીજી ઘણી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
નારંગી : જાંબુ અને નારંગી બંને ફળો ક્યારેય એક સાથે ન ખાવા જોઈએ. નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ તેમાં સાઇટ્રિક એસિડ પણ વધારે હોય છે. જાંબુ અને નારંગી બંનેનું એક સાથે સેવન કરવાથી પેટમાં તીવ્ર એસિડ પ્રતિક્રિયા થઈ શકે છે. આ બંનેને સાથે ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે એસિડિટી, બળતરા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અનાનાસ : અનાનાસ અને જાંબુ પણ એવા છે જે એક સાથે ન ખાવા જોઈએ. અનાનાસમાં બ્રોમેલેન ભરપૂર માત્રામાં હોય છે, જે એક એન્ઝાઇમ છે જે પાચનમાં મદદ કરે છે, પરંતુ જ્યારે તેને જાંબુની સાથે ખાવામાં આવે છે ત્યારે તેની વિપરીત અસર થઈ શકે છે. આ બંને ફળો મળીને એકસ્ટ્રા એસિડિક વાતાવરણ બનાવે છે, જે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા વધારે છે.
આ પણ વાંચો - કોફીમાં 3 મહિના સુધી ઘી નાખીને પીવાથી શું થાય? શરીર પર કેવી અસર પડે, જાણો
કેળા : કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેને જાંબુની સાથે ખાવાથી નુકસાનકારક બની શકે છે. કેળા અને જાંબુની પ્રકૃતિ એકબીજાથી વિપરીત છે. કેળા ભારે અને કફ વધારનારુ હોય છે, જ્યારે જાંબુની તાસીર ઠંડી હોય છે. આવી સ્થિતિમાં જો બંનેને એક સાથે ખાવામાં આવે તો પાચનમાં ખલેલ પહોંચી શકે છે. આનાથી કબજિયાત, અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે.
પપૈયું : પપૈયું લિવર અને પાચન માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયામાં એંજાઇમ્સ ભરપૂર માત્રામાં હોય છે અને તે લીવર અને પાચન માટે સારું છે, પરંતુ જ્યારે તેને જાંબુની સાથે લેવામાં આવે છે ત્યારે આ બંને ફળો આલ્કલાઇન અને એસિડિક મિશ્રણ બનાવી શકે છે. આ બંનેને એક સાથે ખાવાથી ગેસ્ટ્રિક બળતરા અને ઝાડા થઈ શકે છે. આ સિવાય તે શરીરમાં પોષક તત્વોના શોષણને પણ ખરાબ કરી શકે છે.
કેરી : કેરી અને જાંબુ બંને ખૂબ ખવાય છે, પરંતુ બંનેના સ્વભાવ અને પોષણ ગુણધર્મો અલગ અલગ હોય છે. કેરી ગરમ અને ભારે હોય છે, જ્યારે જાંબુ ફળો ઠંડાં અને હળવાં હોય છે. આ બંનેને સાથે ખાવાથી પાચનમાં અવરોધ, ત્વચા પર ફોલ્લીઓ અને ક્યારેક એલર્જી થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us