nutmeg health benefits : આપણા રસોડામાં હાજર મસાલા માત્ર સ્વાદ જ નથી વધારતા પરંતુ ઘણી નાની-મોટી સમસ્યાઓમાં દવા તરીકે પણ કામ કરે છે. આમાંથી એક જાયફળ છે. આ નાનો દેખાતો મસાલો મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, ફાઇબર અને વિટામિન એ, સી, ઇ થી ભરપૂર છે. તેમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ તેને વધુ ખાસ બનાવે છે.
આયુર્વેદિક ડોક્ટર રોબિન શર્માના જણાવ્યા અનુસાર જાયફળનો ઉપયોગ ઊંઘ, પાચન, ચહેરાના ડાઘ અને સાંધાના દુખાવા જેવી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે યોગ્ય રીતે કરી શકાય છે. અહીં તમને જાયફળ ખાવાના ફાયદા અને સાચી રીત વિશે જણાવીએ રહ્યા છીએ.
સારી ઊંઘ માટે ફાયદાકારક છે
જેમને રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ આવે છે અથવા લાંબા સમય સુધી અનિદ્રાની સમસ્યા હોય છે, તેમના માટે જાયફળ કોઈ દવાથી ઓછું નથી. આ માટે દૂધમાં એક ચપટી જાયફળ પાવડર નાખો અને ઉકાળો અને રાત્રે સૂતા પહેલા તેને પીવો. થોડા દિવસો નિયમિત સેવન કરવાથી તમે ગહેરી અને આરામદાયક ઊંઘ અનુભવવાનું શરૂ કરશો.
ચહેરાના ડાઘ દૂર કરશે
ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ જાયફળને ખૂબ અસરકારક માનવામાં આવે છે. તે ખાસ કરીને ડાઘ અને ફ્રીકલ્સ ઘટાડવામાં ઉપયોગી છે. આ માટે કાચા દૂધમાં જાયફળ પીસીને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ સૂતા પહેલા આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો. આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા અનુસાર થોડા દિવસો સુધી આવું કરવાથી ડાર્ક સ્પોટ હળવા થવા લાગે છે અને સ્કિન ગ્લો કરે છે.
તણાવને ઘટાડે છે
આજના ઝડપી જીવનમાં માનસિક તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર જાયફળમાં એવા પ્રાકૃતિક તત્વો હોય છે જે મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ રાત્રે જાયફળનું દૂધ પીઓ છો, તો તે મૂડમાં સુધારો કરે છે અને મનને શાંત રાખે છે.
આ પણ વાંચો – દૂધીનું જ્યુસ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન, ફાયદા જાણીને રોજ પીશો
રોગપ્રતિકારક શક્તિ વધારાવામાં મદદરુપ
જાયફળમાં હાજર એન્ટીઓકિસડન્ટ અને આવશ્યક વિટામિન્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેનું સેવન કરવાથી શરીર શરદી અને મોસમી ચેપથી સુરક્ષિત રહે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં તેને તમારા ડાયેટમાં સામેલ કરવું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
પાચનશક્તિને મજબૂત બનાવે છે
જો તમને પેટનું ફૂલવું, ગેસ, એસિડિટી અથવા કબજિયાતની સમસ્યા છે તો જાયફળ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. એક આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા અનુસાર તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટને શાંત રાખે છે.
સાંધાના દુખાવામાં રાહત
સાંધાનો દુખાવો ઘણીવાર ઠંડીની ઋતુમાં વૃદ્ધોને ખૂબ પરેશાન કરે છે. આવી સ્થિતિમાં જાયફળનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે 10 ગ્રામ જાયફળ અને 10 ગ્રામ લવિંગને પીસીને 100 ગ્રામ તલના તેલમાં સારી રીતે રાંધી લો. ત્યારબાદ ઠંડુ થાય ત્યારે ગાળી લો અને સંગ્રહિત કરો. હવે આ તેલને સાંધા પર લગાવો. આમ કરવાથી દુખાવો અને સોજામાં રાહત મળે છે.





