કેવિટી થી સડી શકે છે દાંત, આ ચાર રીતો છે રામબાણ ઇલાજ, બચી જશે દાંત

Health News : ખરાબ ડાયેટ અને ખાનપાન આપણા દાંતને નુકસાન પહોંચાડે છે. જમ્યા પછી કોગળા ન કરવા, વધુ પડતી મીઠાઈઓ ખાવી, દાંતને યોગ્ય રીતે સાફ ન કરવાથી દાંતમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે

Health News : ખરાબ ડાયેટ અને ખાનપાન આપણા દાંતને નુકસાન પહોંચાડે છે. જમ્યા પછી કોગળા ન કરવા, વધુ પડતી મીઠાઈઓ ખાવી, દાંતને યોગ્ય રીતે સાફ ન કરવાથી દાંતમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Health News, TEETH CARE

Health News : ખરાબ ડાયેટ અને ખાનપાન આપણા દાંતને નુકસાન પહોંચાડે છે (તસવીર - ફ્રીપિક)

Health News : ખરાબ ડાયેટ અને ખાનપાન આપણા દાંતને નુકસાન પહોંચાડે છે. જમ્યા પછી કોગળા ન કરવા, વધુ પડતી મીઠાઈઓ ખાવી, દાંતને યોગ્ય રીતે સાફ ન કરવાથી દાંતમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે. જો લાંબા સમય સુધી દાંતની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો આ બેક્ટેરિયા દાંતને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. વધુ પડતી મીઠી વસ્તુઓનું સેવન કરવાથી તે દાંતમાં ચોંટી જાય છે અને એસિડ બને છે, જે દાંતમાં કેવિટીનું કારણ બને છે.

Advertisment

દાંતમાં કેવિટી એટલે કે દાંતમાં છેદ કે ખાડા હોય છે. આ છેદ અને ખાડા દાંતને નુકસાન પહોંચાડે છે. કેવિટીનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે જે ધીમે ધીમે દાંતને નુકસાન પહોંચાડે છે. જો કેવિટી સમયસર ઠીક કરવામાં ન આવે તો કેવિટી વધારે થઈ શકે છે અને દાંતનો દુખાવો, ચેપ અથવા તૂટવામાં વધારો કરી શકે છે.

દાંતની કેવિટી એ દાંતની સખત સપાટીમાં નાના-નાના છેદ હોય છે. આ બેક્ટેરિયાના કારણે થાય છે. સૌથી સામાન્ય કારણ સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા એક ચિકણી પરત બનાવે છે જેને પ્લેક કહેવામાં આવે છે. પ્લેકમાં રહેલો એસિડ તમારા દાંતના એનેમલમાંથી ખનિજોને દૂર કરે છે. એનેમલ એ દાંતનું એક સ્તર છે જે મોટે ભાગે કેલ્શિયમ અને ફોસ્ફેટથી બનેલું હોય છે. જ્યારે આ એસિડ ડેમેડ એનેમલની નીચે ડેન્ટિન પરતમાં ફેલાય છે, ત્યારે કેવિટી બની જાય છે.

હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર તમારે દાંતની કેવિટીની સારવાર માટે કેટલીક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ટૂથપેસ્ટ હાલની કેવિટીને દૂર કરી શકતી નથી, પરંતુ તે નવી કેવિટીને બનતા અટકાવવામાં મદદ કરી શકે છે. કેવિટીને દૂર કરવા માટે ડેન્ટિસ્ટને મળવું જરૂરી છે અને સાથે જ તમારે કેટલીક ખાસ રીતો પણ અપનાવવી જોઈએ જેનાથી કેવિટીને કંટ્રોલ કરી શકાય અને દાંતનો સડો થતો અટકાવી શકાય.

Advertisment

જમ્યા પછી સુગર ફ્રી ચ્યુઇંગમ ચાવો

હેલ્થલાઈન મુજબ દાંતની કેવિટીને કંટ્રોલ કરવી હોય તો જમ્યા બાદ શુગર ફ્રી ચ્યુઈંગમ ચાવો. જમ્યા પછી ચ્યુઇંગમ દાંતના એનેમલને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. જાઇલિટોલ ધરાવતી ચ્યુઇંગમ પર ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે તે લાળનો પ્રવાહ વધારે છે, પ્લેકનું પીએચ વધારે છે, જે એસિડને ઓછું હાનિકારક બનાવે છે. ચ્યુઇંગગમ સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ નામના હાનિકારક બેક્ટેરિયાની સંખ્યામાં ઘટાડો કરે છે.

આ પણ વાંચો - કેરી સાથે આ 5 વસ્તુઓ ના ખાશો, એક ભૂલ પડી શકે છે ભારે

વિટામિન ડી યુક્ત આહાર લો

જો તમે દાંતને સ્વસ્થ બનાવવા માંગો છો, તો તમારે વિટામિન ડીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના શોષણમાં મદદ કરે છે, જે દાંતને મજબૂત બનાવવા માટે જરૂરી ખનિજો છે. ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે જે બાળકોના ડાયેટમાં વિટામિન ડી અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે તેમને કેવિટી થવાની શક્યતા ઓછી હોય છે. શરીરમાં વિટામિન ડી ની ઉણપને પૂરી કરવા માટે તમારે દૂધ, દહીં અને પનીરનું સેવન કરવું જોઈએ. સવારે પ્રકાશ સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવીને શરીર કુદરતી રીતે વિટામિન ડી બનાવે છે

ફ્લોરાઇડ ટૂથપેસ્ટ સાથે બ્રશ કરો

ફ્લોરાઇડ ટૂથપેસ્ટ કેવિટને રોકવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી એનેમલ ફરીથી મજબૂત થઈ શકે છે. નિયમિત ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટ કેવિટીને અટકાવે છે.

ઓઇલ પુલિંગ કરો

ઓઇલ પુલિંગ એ એક પ્રાચીન પ્રથા છે જેમાં તલ અથવા નાળિયેર જેવા તેલને લગભગ 20 મિનિટ સુધી મોઢામાં ફેરવવામાં આવે છે અને પછી કોગળા કરવામાં આવે છે. ઓઇલ પુલિંગથી શરીરમાંથી ઝેરીલા પદાર્થો દૂર થાય છે. તલના તેલમાંથી તેલ ખેંચવાથી પ્લેક, પેઢામાં બળતરા અને મોંમાં રહેલા બેક્ટેરિયાની સંખ્યાને ઘટાડવામાં મદદ મળે છે.

જીવનશૈલી health tips