154Kg થી 65Kg સુધીની સફર, મહિલાએ આ રીતે ઘટાડ્યું 90 કિલો વજન, પોતે જણાવી રીત

pranjal pandey weight loss tips : પ્રાંજલ પાંડેએ દાવો કર્યો છે કે તેણે ખૂબ જ સાદગી અને સમર્પણ સાથે 89 કિલો વજન ઘટાડ્યું છે, જેનું કારણ તેની સમજણ અને સ્વસ્થ આહારની ટેવ અને ફિટનેસ પ્રત્યેનું સમર્પણ છે

pranjal pandey weight loss tips : પ્રાંજલ પાંડેએ દાવો કર્યો છે કે તેણે ખૂબ જ સાદગી અને સમર્પણ સાથે 89 કિલો વજન ઘટાડ્યું છે, જેનું કારણ તેની સમજણ અને સ્વસ્થ આહારની ટેવ અને ફિટનેસ પ્રત્યેનું સમર્પણ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
weigh loss, health tips

પ્રાંજલ પાંડેએ પોતાનું વજન 154 કિલોથી ઘટાડીને 65 કિલો કરી દીધું છે (તસવીર - સોશિયલ મીડિયા)

Women Reduced 89 Kg Weight: આજકાલ ખરાબ ખાનપાન અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે મેદસ્વીપણું ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઇ છે. દરેક બીજી વ્યક્તિ સ્થૂળતા ઘટાડવા માંગે છે. જોકે વજન ઓછું કરવું કેટલું મુશ્કેલ અને પડકારજનક છે. વજન ઓછું કરવા માટે લોકો જિમમાં કલાકો સુધી પરસેવો પાડી રહ્યો છે તો કોઈ ખાવાપીવાનું છોડી રહ્યું છે. મેદસ્વીપણું જ એક માત્ર એવી સમસ્યા છે જે સરળતાથી વધી જાય છે, પરંતુ તેને ઘટાડવું ઘણું મુશ્કેલ છે.

Advertisment

એક વખત મોટાપો શરીરમાં વધવા લાગે એટલે અનેક રોગોનો ખતરો પણ વધી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે તમે તમારા ખાવા-પીવામાં વધારે બદલાવ કરવાનો નથી અને રોજ જિમ કે અન્ય એક્સરસાઇઝ ના કરીને પણ વજન ઓછું કરી શકાય છે. પ્રાંજલ પાંડેએ વજન 1-2 કિલો જ નહીં પરંતુ 90 કિલો સુધી ઘટાડ્યું છે, જેણે પોતાનું વજન માત્ર 154 કિલોથી ઘટાડીને 65 કિલો કરી દીધું છે.

પ્રાંજલ પાંડેનું વજન 154 કિલો હતું

પ્રાંજલ પાંડેનું વજન 154 કિલો હતું, જેને ઓછું કરવા માટે તેમણે કલાકો સુધી જિમ કે ખાવાનું બંધ કર્યું ન હતું. પ્રાંજલ પાંડે નામની આ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર આ કમાલ શેર કરી છે. તેણે દાવો કર્યો છે કે તેણે ખૂબ જ સાદગી અને સમર્પણ સાથે 89 કિલો વજન ઘટાડ્યું છે, જેનું કારણ તેની સમજણ અને સ્વસ્થ આહારની ટેવ અને ફિટનેસ પ્રત્યેનું સમર્પણ છે.

પ્રાંજલ પાંડેએ જણાવ્યું હતું કે વજન ઘટાડવા માટે સૌથી મોટી નિર્ભરતા એ છે કે તમે શું ખાવ છો અને કેટલું ખાવ છો. તેમણે પ્રોટીનને રાજા ગણાવ્યો હતો અને ફાઇબરને અદ્રશ્ય હીરો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીન અને ફાઇબરના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું હતું અને બિનજરૂરી રીતે અને ગમે ત્યારે કંઇ પણ ખાવાથી તેને રાહત મળતી હતી.

Advertisment

વજન ઓછું કરવા માટે ખાવાનું બંધ કર્યું ન હતું

પ્રાંજલે વધુમાં જણાવ્યું હતું કે, તેણે વજન ઘટાડવા માટે કોઈ તામઝામ અપનાવ્યા નથી. તે માત્ર ઘરનું રાંધેલું ભોજન જ લેતી હતી, જેમાં કઠોળ, ચીઝ, ઈંડાં, લીલાં શાકભાજી, કઠોળ અને ગાજરનો સમાવેશ થતો હતો. જેની મદદથી તે મેટાબોલિઝમ, મસલ્સ રિપેયર અને સંતોષને પ્રોત્સાહન મળતું હતું અને વજન ઘટાડવામાં મદદ મળતી હતી. ફાઇબર પાચનક્રિયાને ધીમું કરે છે અને બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરે છે, જે શરીરમાં ઉર્જાના સ્તરને પણ જાળવી રાખે છે.

આ પણ વાંચો - શું દૂધથી વજન ઘટી શકે છે? જાણો સ્નાયુઓ પર કેવી રીતે કરે છે અસર

એક કલાકની વેઇટ ટ્રેનિંગ

પ્રાંજલ અનુસાર આજકાલ મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ કરે છે. જોકે તેનો પ્લાન દરરોજ 45-60 મિનિટની વેઇટ ટ્રેનિંગ અને 15-30 મિનિટ લો-ઇમ્પેક્ટ કાર્ડિયો કરવાની હતી. આનાથી વધુ થાક લાગતો ન હતો અને વજન ઘટાડવામાં પણ મદદ મળી હતી.

પ્રાંજલનું વજન ઓછું કરવા માટેનું રૂટિન

  • પ્રાંજલ સવારે લીંબુ અથવા સફરજન સાઇડર વિનેગર સાથે એક ગ્લાસ ગરમ પાણી પીવે છે.
  • પેટ ભરેલું લાગે તે માટે જમતા પહેલા કાચા ગાજર અથવા રેશાદાર શાકભાજી ખાઓ.
  • એક ચમચી તુલસીના બીજનું સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે અને બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ મળે છે.
  • જમ્યા પછી 15 મિનિટ ચાલવું
  • તમે ઘરે 10 થી 15 સ્ક્વોટ્સ પણ કરી શકો છો.
હેલ્થ જીવનશૈલી health tips