Health Tips : આ ફૂડ પ્રેશર કૂકરમાં બનાવાનું ટાળો,એક્સપર્ટએ જણાવ્યા કારણો

Health Tips : ઊંચા દબાણ અને ગરમ તેલ સાથે ઘણા જોખમો સંકળાયેલા છે જેના કારણે ખોરાકને ડીપ ફ્રાય કરવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવો હિતાવહ નથી, આ ઉપરાંત બીજા ઘણા ફૂડ છે જે પ્રેશરકુકરમાં રાંધવાથી પ્રતિકૂળ અસરો તરફ દોરી શકે છે, અહીં વાંચો.

Health Tips : ઊંચા દબાણ અને ગરમ તેલ સાથે ઘણા જોખમો સંકળાયેલા છે જેના કારણે ખોરાકને ડીપ ફ્રાય કરવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવો હિતાવહ નથી, આ ઉપરાંત બીજા ઘણા ફૂડ છે જે પ્રેશરકુકરમાં રાંધવાથી પ્રતિકૂળ અસરો તરફ દોરી શકે છે, અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Avoid cooking this food in a pressure cooker (unsplash).

આ ફૂડ પ્રેશર કૂકરમાં બનાવાનું ટાળો ( unsplash)

પ્રેશર કૂકરમાં ખોરાક ઝડપથી તૈયાર થઇ જાય છે, અને આપણું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે પ્રેશર કૂકરમાં ક્યારેય રાંધવી જોઈએ નહીં.

Advertisment

સિગ્નસ લક્ષ્મી હોસ્પિટલના કન્સલ્ટન્ટ-જનરલ ફિઝિશિયન ડૉ.સંજય સિંહના જણાવ્યા અનુસાર,જ્યારે પ્રેશર કૂકર ઘણા ઉપયોગી અને કાર્યક્ષમ રસોડાનાં ઉપકરણો છે,ત્યારે અમુક પ્રકારનાં ખોરાક છે પ્રેશર કુકર વગર અન્ય રીતે બનાવી શકાય છે,

ડૉ. સંજયે ઉમેર્યું કે, "આ સમજવાથી અને વિવિધ ખોરાક કેવી રીતે તૈયાર કરવા તે વિશે માહિતી મેળવવાથી સારી રસોઈ બને છે ઉપરાંત સ્વાદ જળવાઈ રહે અને પોષક મૂલ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવામાં મદદ મળશે.''

ડૉ. શ્રદ્ધા સિંઘ, ક્લિનિકલ ડાયેટિશિયન, એમએસસી ન્યુટ્રિશન (ગોલ્ડ મેડલિસ્ટ), રીજન્સી હોસ્પિટલ લિમિટેડ, સમજાવ્યું કે "આ માહિતીથી વાકેફ રહેવું અને યોગ્ય કુકીંગ ટિપ્સ પસંદ કરવાથી તૈયાર ભોજનની પોષક ગુણવત્તા જળવાઈ રહે છે.''

Advertisment

અહીં નિષ્ણાતોએ પ્રેશર કૂકરમાં ક્યા ખોરાક ન બનાવવા અને શા માટે તે વિષે જણાવે છે,

આ પણ વાંચો: Health Tips : કોમ્બુચા પીણુ બ્લડ સુગર લેવલ ઓછું કરવામાં થઇ શકે મદદગાર, જાણો ફાયદા

ડીપ ફ્રાય કરેલો ખોરાક

એક્સપર્ટે કહ્યું કે, ''ઊંચા દબાણ અને ગરમ તેલ સાથે સંકળાયેલા ઘણા જોખમોને કારણે ખોરાકને ડીપ ફ્રાય કરવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી.''

તેમણે કહ્યું કે, “ડીપ-ફ્રાઈંગ માટે તાપમાન કંટ્રોલની જરૂર હોય છે અને તેમાં સાવચેતી જરૂરી છે, અને પ્રેશર કૂકર આ હેતુ માટે બનાવવામાં આવ્યાં નથી. ડીપ-ફ્રાઈંગ માટે પ્રેશર કૂકરનો અયોગ્ય ઉપયોગ તેલના છાંટા અથવા વધુ ગરમ થવા જેવા કેસ થવા તરફ દોરી શકે છે, જે બળી જવા અને આગ લાગવાનું જોખમ ઊભું કરે છે.''

તેમણે ઉમેર્યું હતું કે ડીપ ફ્રાઈંગ માટે, ડીપ ફ્રાયર્સ અથવા યોગ્ય તાપમાન મોનિટરિંગ સાથે આવતા વાસણમાં ડીપ ફ્રાઈંગ જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે.

શાકભાજી

વટાણા, ફણસી અને ઝુચીની જેવી શાકભાજી કોમળ હોય છે અને ઝડપથી બને છે. આ શાકભાજીઓ માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવાથી વધુ રાંધવા અને તેમના કલર અને પોષક તત્વો ગુમાવી શકે છે. આ શાકભાજીને સ્ટીમિંગ અથવા સ્ટિર-ફ્રાઈંગ જેવી ઝડપી પદ્ધતિઓનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ રીતે રાંધવામાં આવે છે, જે તેમના પોષક તત્વો અને કુદરતી સ્વાદને જાળવી રાખવામાં મદદ કરે છે.

ડૉ શ્રધાના જણાવ્યા મુજબ, પાંદડાવાળા ગ્રીન્સ માટે પણ આવું જ છે. એક્સપર્ટ કહે છે, "તેમની પોષક અખંડિતતા જાળવી રાખવા માટે, બાફવું અથવા સાંતળવા જેવી હળવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાંદડાવાળા ગ્રીન્સને રાંધવું શ્રેષ્ઠ છે''

ડેરી પ્રોડક્ટસ

ડૉ. શ્રદ્ધાના જણાવ્યા મુજબ, જ્યારે ઉચ્ચ દબાણ અને તાપમાનના સંપર્કમાં આવે છે, ત્યારે દૂધ અથવા ક્રીમ જેવા ડેરી ઉત્પાદનો દહીં અને અલગ થઈ શકે છે, જે તમારી વાનગીઓમાં ખરાબ ટેક્સચર અને સ્વાદમાં ફેરફાર થઇ શકે છે. તેથી કુક થયા પછી ડેરી ઉત્પાદનો ઉમેરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Soybean Oil : સોયાબીન તેલનું સેવન કરતા હોવ તો ચેતજો!! આંતરડાને નુકશાન થઇ શકે

એક્સપેર્ટે, ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે,"જો તમે ક્રીમી સૂપ બનાવતા હો, તો દૂધ અથવા ક્રીમ અને અન્ય ડેરી ઘટકો દબાણ છૂટી જાય પછી ઉમેરો જેથી સ્વાદ જળવાઈ રહે.''

ઈંડા

પ્રેશર કૂકરની અંદર આખા ઇંડાને તેમના શેલમાં રાંધવા જોખમી હોઈ શકે છે, ડૉ શ્રદ્ધાએ સલાહ આપી કે, ''ઇંડામાં વરાળ તેના વિસ્ફોટનું કારણ બની શકે છે, જે ગડબડ અને બળી જવાના જોખમ તરફ દોરી જાય છે. ઇંડાને પ્રેશરથી રાંધવાનું ટાળવું મહત્વપૂર્ણ છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips