/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Phoebe-Litchfield-54.jpg)
સરગવાના પાનનું સેવન કરવાથી શરીરના સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. (Photo - Freepik)
Health Benefits Of Moringa Leaves Powder: સરગવા જેટલા સરગવાના પાન શરીર માટે બહુ જ ફાયદાકારક છે. ઔષધીય ગુણોથી ભરપૂર સરગવાના ઝાડ ખૂબ જ ફાયદાકારક છે અને તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. તેને "ડ્રમસ્ટિક ટ્રી" અથવા "મિરેકલ ટ્રી" જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. સરગવાની સીંગ અને સરગવાના પાન ઉપરાંત તેના મૂળ, બીજ અને છાલ પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. સરગવાના પાન આવું જ એક સુપરફૂડ છે જે પોષક તત્વોનું પાવરહાઉસ છે. સરગવાના પાન ઓલીફેરા આવશ્યક પોષક તત્ત્વો અને બાયોએક્ટિવ સંયોજનોનું પાવરહાઉસ છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા રોગોની સારવાર પણ થાય છે.
સિગ્નસ લક્ષ્મી હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડૉ. સંજય કુમારે જણાવ્યું હતું કે સરગવાના પાન એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે જે શરીરને પોષણ આપે છે અને સ્વાસ્થ્ય પર ઘણી રીતે સકારાત્મક અસર કરે છે. ચાલો જાણીએ કે સરગવાના પાનમાં કયા પોષક તત્વો હોય છે અને તે હેલ્થ પર કેવી અસર કરે છે.
સરગવાના પાનના પોષક તત્વો (Moringa Leaves Nutrition Profile)
સરગવાના પાંદડામાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો, 100 ગ્રામ કાચા સરગવાના પાનમાં કેલરી - 64 Kcal, કાર્બોહાઇડ્રેટ - 8.28 ગ્રામ, ડાયેટરી ફાઇબર - 2.0 ગ્રામ, સુગર - 0.66 ગ્રામ, પ્રોટીન - 9.40 ગ્રામ, ચરબી - 1.4 ગ્રામ, વિટામિન સી હોય છે. વિટામિન એ, વિટામિન કે, વિટામિન બી - કોમ્પ્લેક્સ (B1, B2, B3 અને B5), કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, એન્ટીઑકિસડન્ટો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકરાક આપે છે. સરગવાના પાનમાં ક્વેર્સેટિન, ક્લોરોજેનિક એસિડ અને બીટા-કેરોટીન સહિત ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
રોગપ્રતિકારક શક્તિ વધશે
સરગવાના પાન વિટામિન સી અને અન્ય એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોથી સમૃદ્ધ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે.
પાચનતંત્ર માટે ફાયદાકારક
ફાઈબરથી ભરપૂર સરગવાના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓનો ઈલાજ થાય છે. સરગવાના પાનમાં હાજર ફાઇબર પાચન સુધારવામાં તેમજ પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે.
આંખનું તેજ વધશે
વિટામિન Aથી ભરપૂર સરગવાના પાન પણ આંખોની રોશની સુધારવામાં અસરકારક સાબિત થાય છે. આ પાનનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે.
યાદશક્તિ વધશે
સરગવાના પાનમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો જ્ઞાનાત્મક કાર્યને ટેકો આપે છે અને ન્યુરોપ્રોટેક્ટીવ અસર કરે છે.
આ પણ વાંચો | અઠવાડિયામાં ત્રણ દિવસ ઢોકળા ખાવાથી શરીર પર શું અસર થાય છે? ડાયેટિશિયને કહ્યું…
લીવરનું સ્વાસ્થ્ય સુધારશે
ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે સરગવાના પાનનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. તેનું સેવન કરવાથી લીવરને થતા નુકસાનથી બચાવી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us