/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/health-tips-rujuta-diwekar-.jpg)
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બજારમાં ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ્સ ઉપલબ્ધ છે (Source: Instagram/@rujutadiwekar)
health tips : આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેની સીધી અસર આપણા શરીર પર પડે છે, કારણ કે ખોરાક એ શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કેટલો તંદુરસ્ત છે અને તે આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે. તે શોધવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બજારમાં ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ્સ ઉપલબ્ધ છે, પરંતુ બજારમાં મળતા આ હેલ્ધી ફૂડ્સ હંમેશાં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોતા નથી.
કયો ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે એક સરળ પદ્ધતિ શેર કરી છે. જેથી તમે જાણી શકો કે કયો ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેને પોતાની હેલ્ધી ફૂડ્સની કેટેગરીમાં રાખી શકો છો. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ મીડિયા અને માર્કેટિંગના માધ્યમથી અનેક પ્રકારના વિવિધ હેલ્ધી ફૂડ્સ જોવા મળે છે, તેથી એ સમજવું જરૂરી છે કે કયો ખોરાક આપણા શરીર અને પર્યાવરણ માટે યોગ્ય છે.
ઋજુતા દિવેકરે ટ્વીક ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર અભિનેત્રી અહસાસ ચન્ના સાથે વાત કરતા કહ્યું હતું કે, ફૂડને ઓળખવાના બે રસ્તા છે, જેમાંથી એક છે ભાષા ટેસ્ટ, જો કોઇ ફૂડ તમારા માટે ખરેખર સારું હશે તો તેનું નામ ચોક્કસપણે તમારી સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં હશે. તેમણે કહ્યું કે આપણે એવો ખોરાક ખાવો જોઈએ જે આપણી આસપાસ ઉગે અને આપણી સંસ્કૃતિ જાણતી હોય. જો ભોજનનું નામ માત્ર અંગ્રેજીમાં જ હોય અને તમારી સ્થાનિક ભાષામાં ન હોય તો તે તમારા શરીર માટે યોગ્ય નથી.
આ પણ વાંચો - સવારે નાસ્તામાં બનાવો દિવસના હિસાબે આવા હેલ્ધી અને સ્વાદીષ્ટ દેશી બ્રેકફાસ્ટ
પ્રૈગમૈટિક ન્યુટ્રિશનના ચીફ ન્યુટ્રિશનિસ્ટ મીનુ બાલાજીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે સ્થાનિક ખોરાક પસંદ કરીએ છીએ, ત્યારે અમે અમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ છીએ, સ્થાનિક ખેડૂતોને ટેકો આપીએ છીએ અને એવા ખોરાકથી પોતાને પોષીએ છીએ જે ઘણીવાર આપણા જીન માટે વધુ યોગ્ય હોય છે. આપણા આંતરડાના માઇક્રોબાયોટા આપણા પાચનતંત્રમાં રહેતા અબજો સુક્ષ્મસજીવો, ભુગોળ અને આહારથી પણ આકાર પામે છે. સમય જતાં આ સુક્ષ્મજીવો આપણે જે ખાઈએ છીએ તેના આધારે વિકસિત થાય છે. આ જ કારણ છે કે આંતરડાના માઇક્રોબાયોમ વિવિધ દેશોની વસ્તી વચ્ચે બદલાય છે.
તંદુરસ્ત આહારની પસંદગી કેવી રીતે કરવી
ઋજુતાએ પરંપરાગત ફળો, શાકભાજી અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની સલાહ આપે છે. તેમણે કહ્યું હતું કે આ ખાદ્ય પદાર્થો માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ મહત્ત્વપૂર્ણ નથી. આવી સ્થિતિમાં જ્યારે તમે કોઈ હેલ્થી ફૂડને પસંદ કરો તો ધ્યાનમાં રાખો કે તે સ્થાનિક, પારંપરિક અને આપણી પ્રાદેશિક ભાષામાં તેનું નામ હોય. આ માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ સારું રહેશે નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us