Health Tips: જમતી વખતે 90 ટકા લોકો કરે છે મોટી ભૂલ, આ 4 ખરાબ આદત સુધારી લો, શરીરને પુરું પોષણ મળશે

Mindful Eating Benefits: આજની ફાસ્ટ લાઇફસ્ટાઈલમાં લોકો જમવા પર પુરુતું ધ્યાન આપતા નથી. ઉતાવળમાં ભોજન કરવાનથી શરીરને પુરતું પોષણ મળવાના બદલે નુકસાન થાય છે. જમતી વખતી આ 4 ખરાબ આદાત ટાળવી જોઇએ.

Mindful Eating Benefits: આજની ફાસ્ટ લાઇફસ્ટાઈલમાં લોકો જમવા પર પુરુતું ધ્યાન આપતા નથી. ઉતાવળમાં ભોજન કરવાનથી શરીરને પુરતું પોષણ મળવાના બદલે નુકસાન થાય છે. જમતી વખતી આ 4 ખરાબ આદાત ટાળવી જોઇએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mindful Eating Tips | Mindful Eating benefits | health tips

Mindful Eating Tips: ભોજન કરતી વખતે સંપૂર્ણ ધ્યાન જમવા પર આપવું જોઇએ. (Photo: Freepik)

Mindful Eating Benefits: ભારતમાં સદીઓથી ભોજનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ બદલાતી જીવનશૈલીને કારણે, મોટાભાગના લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો જમતી વખતે ટીવી કે મોબાઈલ જોતા હોય છે અને ખોરાક પર વધુ ધ્યાન આપી શકતા નથી, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓ પણ થાય છે.

Advertisment

What is Mindful Eating? માઇન્ડફુલ આહાર એટલે શું

ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં પણ આરામથી ભોજન જમી શકાય છે. આ માટે ખાસ કંઈ કરવાનું રહેતું નથી. માત્ર નાની નાની વાતો પર ધ્યાન આપીને તમે આરામથી જમી શકો છો, જેનાથી તમારા આખા શરીરને ફાયદો થશે. સૌથી જરૂરી ખાવાની વસ્તુ છે સારી રીતે ખાવું, જેને માઇન્ડફુલ ઇટિંગ પણ કહેવામાં આવે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે રોજ માઇન્ડફુલ ખાવાનું કરી શકાય છે.

માઇન્ડફુલ આહાર કેવી રીતે કરવો?

ઘણા લોકો જમતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આ દરમિયાન તે ફોન પર રીલ્સ જુએ છે અથવા તો બીજા ઘણા પ્રકારના કામ કરે છે. સાથે જ કેટલાક લોકો આ દરમિયાન ખાવાના બદલે ટીવી કે લેપટોપ પર વધારે ધ્યાન આપે છે. ખોરાક ખાતી વખતે ખાવા સિવાયની અન્ય વસ્તુઓ પર ધ્યાન આપવાથી તેના શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

જો તમે પણ આ રીતે ભોજન કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. ખાવાનું ખાતી વખતે હંમેશા ખાવા પર ધ્યાન આપવું જોઈએ અને એક એક કોળિયાનો આનંદ માણીને ખાવું જોઈએ.

Advertisment

જમતી વખતે આ ખરાબ આદત કરવાનું ટાળો

ઝડપી ખાવું : ભોજન કરતી વખતે આરામથી જમવું જોઈએ. જો તમે ઉતાવળમાં જમો છો, તો તે તમારા પાચનને અસર કરી શકે છે.
થાળીમાં એક સાથે વધારે ખાવાનું લેવું નહીં : ભોજન પીરસતી વખતે, તમારે તમારી પ્લેટમાં ક્યારેય વધુ ભોજન લેવું જોઈએ નહીં. ભૂખથી વધારે ક્યારેય ભોજન ન કરવું જોઈએ.
ભોજનની વચ્ચે પાણી ન પીવું: ભોજનની વચ્ચે ક્યારેય પાણી ન પીવું જોઈએ. જમતી વખતે વારંવાર પાણી પીવાથી પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે જ તમારે પાણી પીવું જોઈએ.

જીવનશૈલી health tips