Health Tips: જમતી વખતે 90 ટકા લોકો કરે છે મોટી ભૂલ, આ 4 ખરાબ આદત સુધારી લો, શરીરને પુરું પોષણ મળશે

Mindful Eating Benefits: આજની ફાસ્ટ લાઇફસ્ટાઈલમાં લોકો જમવા પર પુરુતું ધ્યાન આપતા નથી. ઉતાવળમાં ભોજન કરવાનથી શરીરને પુરતું પોષણ મળવાના બદલે નુકસાન થાય છે. જમતી વખતી આ 4 ખરાબ આદાત ટાળવી જોઇએ.

Written by Ajay Saroya
November 10, 2024 14:57 IST
Health Tips: જમતી વખતે 90 ટકા લોકો કરે છે મોટી ભૂલ, આ 4 ખરાબ આદત સુધારી લો, શરીરને પુરું પોષણ મળશે
Mindful Eating Tips: ભોજન કરતી વખતે સંપૂર્ણ ધ્યાન જમવા પર આપવું જોઇએ. (Photo: Freepik)

Mindful Eating Benefits: ભારતમાં સદીઓથી ભોજનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ બદલાતી જીવનશૈલીને કારણે, મોટાભાગના લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો જમતી વખતે ટીવી કે મોબાઈલ જોતા હોય છે અને ખોરાક પર વધુ ધ્યાન આપી શકતા નથી, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓ પણ થાય છે.

What is Mindful Eating? માઇન્ડફુલ આહાર એટલે શું

ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં પણ આરામથી ભોજન જમી શકાય છે. આ માટે ખાસ કંઈ કરવાનું રહેતું નથી. માત્ર નાની નાની વાતો પર ધ્યાન આપીને તમે આરામથી જમી શકો છો, જેનાથી તમારા આખા શરીરને ફાયદો થશે. સૌથી જરૂરી ખાવાની વસ્તુ છે સારી રીતે ખાવું, જેને માઇન્ડફુલ ઇટિંગ પણ કહેવામાં આવે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે રોજ માઇન્ડફુલ ખાવાનું કરી શકાય છે.

માઇન્ડફુલ આહાર કેવી રીતે કરવો?

ઘણા લોકો જમતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આ દરમિયાન તે ફોન પર રીલ્સ જુએ છે અથવા તો બીજા ઘણા પ્રકારના કામ કરે છે. સાથે જ કેટલાક લોકો આ દરમિયાન ખાવાના બદલે ટીવી કે લેપટોપ પર વધારે ધ્યાન આપે છે. ખોરાક ખાતી વખતે ખાવા સિવાયની અન્ય વસ્તુઓ પર ધ્યાન આપવાથી તેના શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

જો તમે પણ આ રીતે ભોજન કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. ખાવાનું ખાતી વખતે હંમેશા ખાવા પર ધ્યાન આપવું જોઈએ અને એક એક કોળિયાનો આનંદ માણીને ખાવું જોઈએ.

જમતી વખતે આ ખરાબ આદત કરવાનું ટાળો

ઝડપી ખાવું : ભોજન કરતી વખતે આરામથી જમવું જોઈએ. જો તમે ઉતાવળમાં જમો છો, તો તે તમારા પાચનને અસર કરી શકે છે.થાળીમાં એક સાથે વધારે ખાવાનું લેવું નહીં : ભોજન પીરસતી વખતે, તમારે તમારી પ્લેટમાં ક્યારેય વધુ ભોજન લેવું જોઈએ નહીં. ભૂખથી વધારે ક્યારેય ભોજન ન કરવું જોઈએ.ભોજનની વચ્ચે પાણી ન પીવું: ભોજનની વચ્ચે ક્યારેય પાણી ન પીવું જોઈએ. જમતી વખતે વારંવાર પાણી પીવાથી પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે જ તમારે પાણી પીવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ