Health Tips : શું પપૈયું એક અઠવાડિયામાં 2 કિલો વજન ઘટાડવામાં મદદ કરી શકે? એક્સપર્ટે આ કહ્યું

Health Tips : પપૈયું, વિટામિન A, C, અને E જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. તમારા આહારમાં પપૈયાનો સમાવેશ કરવાથી તમે ઓછી કેલરીથી સંતોષ અનુભવી શકો છો. વધુમાં અહીં વાંચો.

Health Tips : પપૈયું, વિટામિન A, C, અને E જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. તમારા આહારમાં પપૈયાનો સમાવેશ કરવાથી તમે ઓછી કેલરીથી સંતોષ અનુભવી શકો છો. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Health Tips: Does papaya help lose two kilos in a week (unsplash)

હેલ્થ ટીપ્સ: શું પપૈયા અઠવાડિયામાં બે કિલો વજન ઘટાડવામાં મદદ કરે છે (અનસ્પ્લેશ)

આપણામાંથી મોટાભાગના લોકો મોસમી અને તાજા ફળ ખાવાનું પસંદ છે. પછી તે તરબૂચ હોય કે કેળું હોય કે પપૈયું હોય, નિષ્ણાતો સૂચવે છે કે તે સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર મદદ કરે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેમ કે,અહીં એક પોસ્ટ શેર કરી છે જે સૂચવે છે કે પપૈયા વજન ઘટાડવામાં અને અઠવાડિયામાં બે કિલો સુધી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ છે તે સાચું છે? અહીં જાણો નિષ્ણાતો શું કહે છે?

Advertisment

Indian_veg_diet નામના પેજે શેર કર્યું છે કે, “પપૈયું તેની ઓછી કેલરી કાઉન્ટને કારણે વજન ઘટાડવા માટે ઉત્તમ છે. કારણ કે ફળ ફાઇબરનો સારો સ્ત્રોત પણ છે, તે તમને લાંબા સમય સુધી સંપૂર્ણ રહેવામાં પણ મદદ કરશે. પરિણામે, તમે દિવસભર ઓછી કેલરીનો લઇ શકો છો."
પોસ્ટમાં એ પણ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિના આહારમાં પપૈયાનો સમાવેશ કરવામાં આવે તો વ્યક્તિ એક સપ્તાહમાં બે કિલો વજન ઘટાડી શકે છે.

આ પણ વાંચો: Black Raisins Benefits : બ્લેક કિસમિસ ખાવાના અઢળક ફાયદા

પરંતુ હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, પપૈયું વજન ઘટાડવાનું લક્ષ્ય રાખનારાઓ માટે અત્યંત ફાયદાકારક ફળ છે કારણ કે તેની 100 ગ્રામ દીઠ માત્ર 32 કેલરી ઓછી કેલરી છે,તે વિટામિન A, C, અને E જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. તમારા આહારમાં પપૈયાનો સમાવેશ કરવાથી તમે ઓછી કેલરીથી સંતોષ અનુભવી શકો છો.

Advertisment

એક્સપર્ટે સ્પષ્ટ કર્યું કે, વેઇટ કંટ્રોલ કરવાનું અંતે ફક્ત એક જ ફૂડ દ્વારા નક્કી થતું નથી. યોગ્ય વેઇટ હાંસલ કરવા માટે, પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનું યોગ્ય પ્રમાણ અને બેલેન્સ્ડ ડાયટ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.જ્યારે ફળો પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, ત્યારે એકંદર કેલરીના સેવનના ભાગરૂપે તમે કેટલા પ્રમાણમાં લોકો છે તે પણ જાણવું આવશ્યક છે.''

આ પણ વાંચો: Health Tips : મોઝેરેલા ચીઝ અને પનીર બન્નેમાંથી કયો હેલ્થી ઓપ્શન હોઈ શકે?

બીજું શું ધ્યાનમાં રાખવું?

એ નોંધવું અગત્યનું છે કે જ્યારે ફળો અસંખ્ય સ્વાસ્થ્ય લાભો આપે છે, ત્યારે તેમાં નેચરલ સુગર હોય છે.તેથી, ફળોનો વધુ પડતો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે . તેના બદલે, તેઓને તંદુરસ્ત અને સંતુલિત આહારના ભાગ રૂપે સામેલ કરવા જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips