Healthy Diet Tips : યુવાન દેખાવું છે તો દરરોજ ડાયટમાં ખાવ આ બે વસ્તુ, સદગુરુ જગ્ગી વાસુદેવની ડાયટ ટીપ્સ

Sadhguru Diet Tips in Gujarati : સદગુરુ જગ્ગી વાસુદેવ હેલ્થી ડાયેટ અંગે જણાવે છે કે, જીવતા રહેવા જે મળે એ કંઈપણ ન ખાઓ પરંતુ શરીર માટે શ્રેષ્ઠ ભોજન હોય તે ખાઓ. જો તંદુરસ્ત ભોજનનું સેવન કરવામાં ન આવે તો તમે ઉંમર કરતાં વધારે વૃધ્ધ દેખાવા લાગશો.

Sadhguru Diet Tips in Gujarati : સદગુરુ જગ્ગી વાસુદેવ હેલ્થી ડાયેટ અંગે જણાવે છે કે, જીવતા રહેવા જે મળે એ કંઈપણ ન ખાઓ પરંતુ શરીર માટે શ્રેષ્ઠ ભોજન હોય તે ખાઓ. જો તંદુરસ્ત ભોજનનું સેવન કરવામાં ન આવે તો તમે ઉંમર કરતાં વધારે વૃધ્ધ દેખાવા લાગશો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sadhguru Health Tips: સ્વસ્થ રહેવાના સરળ ઉપાય, શરીરની 80 ટકા બીમારી થશે દૂર, જાણો સદગુરુ પાસેથી

સદગુરુ જગ્ગી વાસુદેવની હેલ્થી ડાયટ ટીપ્સ. (Sadhguru Photo)

Sadhguru Health Tips for Looking Young : ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં ઘણા ફેરફારો થતાં નબળાઇ અને વધુ થાક અનુભવાય છે. ખાવાની આદતો બદલાઇ જાય છે અને શરીર નબળું પડવા લાગે છે. વધતી ઉંમર સાથે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે. હાડકાં એટલા નબળા થઈ જાય છે કે તૂટવાનું જોખમ વધી જાય છે. વધતી ઉંમર સાથે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટે છે અને મેટાબોલિઝમ પણ ઘટે છે. આ ઉંમરે સ્થૂળતા અને હૃદયની બીમારીઓનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે. જો તમારી ઉંમર વધવાની સાથે હેલ્ધી ડાયટનું સેવન ન કરવામાં આવે તો તમે તમારી ઉંમર કરતાં વધારે ઉંમર લાયક દેખાવા લાગો છો.

Advertisment

સદગુરુ જગ્ગી વાસુદેવના મતે, જો તમે ઉંમર વધવાની સાથે સાથે અમુક પ્રકારની ચીજોનું સેવન કરશો તો તમે 70 વર્ષની ઉંમરે પણ 25 વર્ષ નાના દેખાશો. અમુક ચીજોનું સેવન કરવાથી તમારી બુદ્ધિની તીક્ષ્ણતા વધશે અને તમે સ્વસ્થ અનુભવશો.

સદગુરુ જણાવે છે કે, જીવતા રહેવા માટે કંઈપણ ન ખાઓ પરંતુ શરીર માટે શ્રેષ્ઠ ખોરાક હોય તે ખાઓ. જો આપણે સ્વસ્થ અને સલામત ભોજનનું સેવન નહીં કરીયે તો આપણ કોઇ રીતે આ જીંદગી જીવીને આ દુનિયામાંથી જતા રહીશું. માત્ર તે જ લોકો આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપે છે જેઓ તેમના જીવનને સુધારવા માંગે છે.

આપણું શરીર એક એન્જિન છે જેને વધુ સારા ઇંધણની જરૂર હોય છે. ઇંધણ એટલે ખોરાક જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને 70 વર્ષની ઉંમરે પણ આપણને યુવાન અનુભવે છે. ચાલો આપણે સદગુરુ પાસેથી એવી બે ખાદ્યચીજો વિશે જાણીએ જે આપણા શરીરને લાંબા આયુષ્ય માટે યુવાન અને સ્વસ્થ બનાવી શકે છે.

Advertisment

સફેદ કોળાનું સેવન કરો અને શરીરને હંમેશા યુવાન રાખો (White Pumpkin Health Benefits)

સફેદ કોળું એક એવું શાક છે જે ભારતમાં જુદા જુદા નામોથી જાણીતું છે. ભારતમાં તેને કુમ્હાડા, કદીમા અને કેટલીક જગ્યાએ સફેદ કોળા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને Ash Gourd, Wax Gourd અથવા Winter melon તરીકે પણ ઓળખવામાં આવે છે. કોળાની પ્રકૃતિ ઠંડી હોય છે અને તેના બીજી પ્રકૃતિ ગરમ હોય છે. તે અને તેના બીજ બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ફાઈબરથી ભરપૂર સફેદ કોળું પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી શરીરને બેક્ટેરિયાથી બચાવે છે. સફેદ કોળામાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં તેના સેવનથી શરીર ઠંડુ રહે છે. સકારાત્મક ઉર્જાથી ભરપૂર કોળાનું સેવન કરવાથી શરીર ઉર્જાથી ભરે છે.

સદગુરુ અનુસાર, જો તમે દરરોજ કોળાનો રસ પીવો છો, તો શરીરમાં કેન્સરના કોષોની સંખ્યામાં ભારે ઘટાડો થશે અને તમારી યાદશક્તિ તેજ બનશે. દરરોજ કોળું ખાવાથી મગજ તેજ થાય છે અને શરીર મજબૂત બને છે. કોળાનો રસ તમને જબરદસ્ત એનર્જી આપશે.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • શરદી, ઉધરસ કે અસ્થમાથી પીડાતા લોકોએ કોળાના રસનું સેવન ટાળવું જોઈએ.
  • કોળાના રસની પ્રકૃતિ ઠંડી હોય છે જે શરીરને ઠંડુ રાખે છે. ઉનાળામાં તેનું સેવન કરો અને શિયાળામાં તેને ટાળો.
  • શરદી અને ઉધરસથી પીડિત લોકોએ મધ અને સફેદ મરી સાથે કોળાના રસનું સેવન કરવું જોઈએ.

મગફળીનું સેવન કરો અને શરીરને યુવાન રાખો (Groundnut Health Benefits)

સદગુરુનું માનવું છે કે, મગફળી એક એવું સુપરફૂડ છે જે તમામ ઉંમરના લોકોના શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. મગફળીમાં આપણા શરીરને જરૂરી દરેક વસ્તુ હોય છે. મગફળીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન, મિનરલ્સ, પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને હેલ્થી અને સ્વસ્થ રાખે છે. આ ખોરાકમાં વિટામિન-બી, કોમ્પ્લેક્સ, નિયાસિન, રિબોફ્લેવિન, થિયામીન, વિટામિન બી6, વિટામિન બી9 અને પેન્ટોથેનિક એસિડ મળી આવે છે જે વધતી ઉંમર સાથે શરીરમાં રહેલી ખામીઓને પૂરી કરે છે. જો તમે મગફળીનું સેવન કરતા હોવ તો માત્ર ઓર્ગેનિક મગફળીનું સેવન કરો.

આ પણ વાચો | સદગુરુ ડાયટમાં વધુ પાણીયુક્ત ખોરાક લેવાની ભલામણ કરે છે, એક્સપર્ટેસએ કહ્યું..

સદગુરુ જીવનમાં કંઇ પણ ન ખાવાની સલાહ આપે છે. શરીરને જરુરી હોય અને શરીર માટે યોગ્ય હોય એવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ.

સદગુરુ જગ્ગી વાસુદેવ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips