Health Tips: જમતી વખતે બેસવું કે ઊભા રહેવું, પાચનક્રિયા માટે ભોજન કરવાની યોગ્ય રીત કઇ? સદગુરુ પાસેથી જાણો

Sadhguru Health Tips About Right Eating Position: સદગુરુ જગ્ગી વાસુદેવ પાચનક્રિયા, ખોરાકનું ઝડપથી પાચન અને એકંદરે સ્વાસ્થ્ય સુધારવા માટે ખોરાક લેવાની યોગ્ય રીત અપનાવવાની સલાહ આપે છે.

Sadhguru Health Tips About Right Eating Position: સદગુરુ જગ્ગી વાસુદેવ પાચનક્રિયા, ખોરાકનું ઝડપથી પાચન અને એકંદરે સ્વાસ્થ્ય સુધારવા માટે ખોરાક લેવાની યોગ્ય રીત અપનાવવાની સલાહ આપે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
sadhguru | Sadhguru Jaggi Vasudev | Sadhguru Jaggi Vasudev Tips | Sadhguru helath tips | Sadhguru Jaggi Vasudev photo

Sadhguru Jaggi Vasudev Health Tips: સદગુરુ જગ્ગી વાસુદેવની હેલ્થ ટીપ્સ. (Photo: @sadhguru)

Sadhguru Health Tips About Right Eating Position: શરીરની પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે માત્ર આહારનું ધ્યાન રાખવું જરૂરી નથી, પરંતુ તમે જે આહાર લઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઘણી વાર આપણે ભાગતા દોડતી વખતે ઉતાવળમાં જે કંઈ મળ્યું તે ખાઈએ છીએ કે નાસ્તો કરીએ છીએ. ઉતાવળમાં લોકો ઉભા રહીને પણ જમે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉભા રહીને અથવા બેઠા બેઠા ભોજન કરવાથી તમારા પાચન પર કેવી અસર પડે છે?

Advertisment

તમારી ખાવાની ટેવ પાચનને નિયંત્રિત કરવામાં અને એકંદર આરોગ્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ખોરાક આરામથી ખાવો જોઈએ અને ભોજનમાં સંતુલિત આહારને પણ પ્રાધાન્ય આપવું જોઈએ અને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં આવે તો પાચનક્રિયા સરળતાથી જળવાઈ રહે છે અને વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે શું નીચે બેસીને ભોજન કરવાથી કે ઉભા રહીને ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. હેન્રી ફોર્ડ હેલ્થના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, એમડી મુસ્તફા અલ-શમમારી કહે છે કે, તમે ઊભા રહીને અથવા બેઠા-બેઠા જમો છો ત્યારે તમારા ખોરાકને પચાવવાની રીતમાં થોડો જ તફાવત છે.

સદગુરુ જગ્ગી વાસુદેવ પાચનક્રિયા, ખોરાકનું ઝડપથી પાચન અને એકંદરે સ્વાસ્થ્ય સુધારવા માટે ખોરાક લેવાની યોગ્ય રીત અપનાવવાની સલાહ આપે છે. ખાવાની સાચી રીત માત્ર પાચનમાં સુધારો જ નથી કરતી, પરંતુ રોગોની સારવાર પણ કરે છે. સદગુરુ પાસેથી જાણીએ પાચનક્રિયા સુધારવા માટે ખાવાની કઇ રીત વધુ સારી છે.

Advertisment

નીચે બેસીને જમવું

સદગુરુ કહે છે કે, પાચનક્રિયા સુધારવી હોય તો બેસીને ભોજન કરવું. બેસીને ખાવાથી તમે ભોજન પર ધ્યાન આપો છો અને ભોજનની મજા માણીને ધીરે ધીરે જમો છો. ધીમે-ધીમે ખાવાથી તમારા પેટમાં ખોરાક લાંબા સમય સુધી રહે છે, જેનાથી ખાવાનું ખાધા બાદ તમને પેટ ભરેલું લાગે છે. જ્યારે તમે જમવા બેસો છો, ત્યારે તમે વધુ આરામથી જમો છો, જે તમને આહારના ભાગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વધારાની કેલરી લેવાનું ટાળે છે. બેસતી વખતે તમે તમારા ખોરાકને વધુ સારી રીતે ચાવી લો છો, જે પાચનમાં મદદ કરે છે.

પલાંઠી વાળીને બેસવાથી પાચનક્રિયા પર કેવી અસર પડે છે?

યોગ સંસ્કૃતિમાં તમને હંમેશાં તમારા પલાઠી મારી બેસવાનું કહેવામાં આવે છે. પલાઠી મારી ભોજન કરવું પાચન તંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે માત્ર ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ નથી, પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન પણ તેના ઘણા ફાયદાઓ દર્શાવે છે. પલાઠી વાળીને ખાવાથી જમતી વખતે પેટ અને આંતરડા પર થોડું દબાણ આવે છે, જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. આ પદ્ધતિથી પાચક ઉત્સેચકોનું ઉત્સર્જન વધે છે, જે ગેસ અને અપચાની સમસ્યા ઘટાડે છે. પલાઠી વાળીને ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મેટાબોલિઝમ બરાબર રહે છે, જેથી શરીર પોષક તત્વોને સારી રીતે શોષી લે છે. જે લોકોને ઘૂંટણ કે સાંધાનો દુખાવો હોય તેમને જમીન પર પલાંઠી વાળીને બેસવામાં તકલીફ પડી શકે છે.

હાથ થી ખાઓ, ચમચી થી નહીં

ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ અને વિજ્ઞાનમાં હાથથી ખોરાક ખાવાની પરંપરાનું વિશેષ મહત્વ છે. હાથથી ખાવાનું ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. જ્યારે આપણે આપણા હાથથી ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણી આંગળીઓ, હથેળીઓ અને મગજ એક સાથે સંકલન કરે છે, જે પાચક રસ અને ગેસ્ટ્રિક રસનું ઉત્પાદન વધારે છે, જેથી ખોરાક ઝડપથી અને સારી રીતે પચે છે.

ઉભા રહી ખાવાની આરોગ્ય પર અસર

ઉભા રહીને ખાવાથી ફાયદા અને ગેરફાયદા બંને હોઈ શકે છે. ઘણા રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે ઉભા થવા કરતાં બેસીને જમતી વખતે તમારું પેટ ઝડપથી ખાલી થઈ જાય છે. આ સ્થિતિ જઠરાંત્રિય સમસ્યાઓવાળા લોકોને રાહત આપે છે. ઉભા રહીને ખાવાથી પેટ ફૂલવું, ખેંચાણ અને ગેસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ લક્ષણો એટલા માટે થાય છે કારણ કે તમારું પેટ ખોરાકને પાચક માર્ગથી નીચે ઝડપથી ખસેડે છે. ઊભા રહીને ખાવાથી તમે ઝડપથી જમો છો, જેના કારણે તમે વધુ હવા ગળી જાઓ છો. ઉભા રહીને ખાવાથી પેટ ફૂલવું, ખેંચાણ અને ગેસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

સદગુરુ જગ્ગી વાસુદેવ જીવનશૈલી health tips