/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Hemoglobin-Deficiency-.jpg)
Hemoglobin Deficiency : હિમોગ્લોબિનનું ઉણપના કારણો, લક્ષણો અને સારવાર વિષે જાણો? એક્સપર્ટ શું કહે છે? (Freepik)
Hemoglobin Deficiency : હિમોગ્લોબીનની ઉણપ (Hemoglobin Deficiency ) અથવા એનેમીયાની સમસ્યા ભારતની મહિલાઓમાં સામાન્ય છે. આ સમસ્યા આયર્નની અને અન્ય વિટામિનની ઉણપને લીધે થાય છે, અમદાવાદની ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ, ડૉ. આકાશ શાહએ બીમારીના કારણો, લક્ષણો અને સારવાર વિષે અહીં વિગતવાર જણાવાયું છે, જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Hemoglobin-Deficiency-in-women.jpg)
અમદાવાદની ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ, ડૉ. આકાશ શાહએ કહ્યું કે, હિમોગ્લોબિનનું લૉ લેવલએ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે, આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં લાલ રક્ત કોશિકાઓ અથવા હિમોગ્લોબિન હોતા નથી. આ કારણે સમગ્ર શરીરમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી શકતો હતી. હિમોગ્લોબિન એ લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું પ્રોટીન છે જે ઓક્સિજનના પરમાણુઓને જોડે છે અને તેમને કોષો અને પેશીઓમાં પરિવહન કરે છે, શરીરને ઓક્સિજન અને એનર્જી પ્રદાન કરે છે. જ્યારે હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય છે, ત્યારે તે વિવિધ લક્ષણો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
આ પણ વાંચો: હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે ઉનાળામાં બીપીને કન્ટ્રોલ કરવાની સરળ ટીપ્સ, જડમૂળમાંથી બીમારી થશે દૂર
હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોવાના કારણો
આયર્નની ઉણપનો એનેમીયા : એક્સપર્ટે કહ્યું, ''હિમોગ્લોબિનની ઉણપનું સૌથી સામાન્ય કારણ આયર્નની ઉણપનો એનિમિયા છે, જે શરીરમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરવા માટે પૂરતું આયર્ન ન હોય ત્યારે થાય છે. આયર્નની ઉણપ ડાયટમાં આયર્ન વાળા ફૂડનું સેવન ન કરવાથી, લોહીની ખોટ (જેમ કે માસિક સ્રાવ, જઠરાંત્રિય રક્તસ્રાવ અથવા ચાઈલ્ડ બર્થ ) અથવા આયર્નને યોગ્ય રીતે શોષવામાં અસમર્થતાને કારણે પરિણમી શકે છે.''
વિટામિનની ઉણપ: લાલ રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી અન્ય પોષક તત્વોની ઉણપ, જેમ કે વિટામિન B12 અને ફોલેટ, પણ એનિમિયા તરફ દોરી શકે છે.
ક્રોનિક રોગો: ક્રોનિક રોગો જેમ કે કિડની રોગ, આંતરડાની બળતરા અને કેન્સર લાલ રક્તકણોના ઉત્પાદનમાં દખલ કરી શકે છે અને એનિમિયા તરફ દોરી શકે છે.
હેમોલિટીક એનિમિયા: હેમોલિટીક એનિમિયા ત્યારે થાય છે જ્યારે લાલ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે તેના કરતા વધુ ઝડપથી નાશ પામે છે. આ વારસાગત પરિસ્થિતિઓ, ચેપ, ઓટોઈમ્યુન ડિસઓર્ડર અથવા અમુક દવાઓને કારણે હોઈ શકે છે.
બોન મેરો ડિસઓર્ડર્સ: અસ્થિ મજ્જાને અસર કરતી વિકૃતિઓ, જ્યાં લાલ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે, લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં ઘટાડો અને એનિમિયા તરફ દોરી શકે છે.
ડો આકાશ શાહે હિમોગ્લોબિનની ઉણપના લક્ષણો જણાવ્યા હતા, જે નીચે પ્રમાણે છે
હિમોગ્લોબિનની ઉણપના લક્ષણો
- થાક
- નબળાઈ
- હાંફ ચઢવી
- ચક્કર આવવા અથવા માથાનો દુખાવો
- નિસ્તેજ અથવા પીળી ત્વચા
- ઠંડા હાથ અને પગ
- છાતીનો દુખાવો
- અનિયમિત ધબકારા
આ પણ વાંચો: Eye Care : ચશ્મા વિના ધૂંધળુ દેખાય છે? તો પ્રતિદિન આ બીજ ખાવાથી થશે ચમત્કારિક ફાયદા
સારવાર ન કરવામાં આવે તો એનિમિયા વિવિધ સમસ્યા તરફ દોરી શકે
- પેશીઓને ઓક્સિજન પહોંચાડવામાં ઘટાડો, જે થાક અને નબળાઈ તરફ દોરી જાય છે
- એકાગ્રતા ઓછી થવી
- એરિથમિયા અને હૃદયની સમસ્યાઓનું જોખમ વધે છે
- બાળકોમાં વૃદ્ધિ અને વિકાસમાં વિલંબ
- સગર્ભાવસ્થા દરમિયાન સમસ્યા, જેમાં અકાળ બાળકનો જન્મ અને ઓછા વજન સાથે બાળકનો જન્મ સમાવેશ થાય છે.
સારવાર કેવી રીતે કરી શકાય?
એક્સપર્ટે કહ્યું, ''નીચા હિમોગ્લોબિન સ્તરની સારવાર એનિમિયાના મૂળ કારણ અને ગંભીરતા પર આધારિત છે.''
આયર્ન સપ્લિમેન્ટેશન: આયર્નની ઉણપનો એનિમિયા માટે, આયર્નની ઉણપ પુરી કરવા અને લાલ રક્તકણોના ઉત્પાદનને વધારવા માટે આયર્ન સપ્લિમેન્ટ્સ સૂચવવામાં આવી શકે છે.
વિટામિન સપ્લિમેન્ટ્સ: વિટામિનની ઉણપના કિસ્સામાં, વિટામિન B12 અથવા ફોલેટના સપ્લીમેન્ટની ભલામણ કરવામાં આવી શકે છે.
અન્ય રોગની સારવાર: એનિમિયાના નિરાકરણ માટે અન્ય રોગની સારવાર કરવી જરૂરી છે.
રક્ત ચઢાવવું: એનિમિયાના ગંભીર કિસ્સાઓમાં, ખાસ કરીને જે લક્ષણો અથવા સમસ્યાનું કારણ બને છે, હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધારવા માટે લોહી ચઢાવવાની જરૂરી પડી શકે છે.
લાઇફસ્ટાઇલમાં ફેરફાર: આયર્ન, વિટામીન B12 અને ફોલેટથી સમૃદ્ધ ખોરાક ખાવાથી અને ક્રોનિક સ્થિતિનું અસરકારક રીતે મેનેજ કરવાથી એનિમિયા અટકાવવામાં અને હેલ્ધી હિમોગ્લોબિન લેવલને પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે.
હિમોગ્લોબિનની ઉણપ અથવા એનિમિયા, વિવિધ અંતર્ગત કારણોથી પરિણમી શકે છે અને નોંધપાત્ર લક્ષણો અને હેલ્થને લગતી સમસ્યા તરફ દોરી શકે છે. એનિમિયાના ચિહ્નોને ઓળખવા અને નિદાન અને સારવાર માટે તાત્કાલિક સારવારએ અસરકારક રીતે સંચાલિત કરવા અને લાંબા ગાળાના પરિણામોને રોકવા માટે જરૂરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us