Blood Sugar Controlling Tips | મીઠાઈ ન ખાવા છતાં પણ બ્લડ સુગર કેમ વધે છે?

બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવાની ટિપ્સ | ડૉ. અરોરાએ કહ્યું કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે ખાંડ, ફક્ત મીઠાઈના રૂપમાં જ નહીં, પણ અન્ય ફોર્મમાં ખાતા હોવ તો પણ બ્લડ સુગરના સ્તરમાં વધારો અને ડાયાબિટીસનું કારણ છે.

Written by shivani chauhan
September 13, 2025 10:15 IST
Blood Sugar Controlling Tips | મીઠાઈ ન ખાવા છતાં પણ બ્લડ સુગર કેમ વધે છે?
control blood sugar controlling tips

Blood Sugar Controlling Tips In Gujarati | મીઠાઈઓ ખાવાનું જો નિયંત્રણમાં ન રાખવામાં આવે, તો બ્લડ સુગર (blood sugar) લેવલ વધી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ મીઠાઈ ન ખાય પણ તેના બ્લડ સુગરનું સ્તર ઊંચું રહે તો શું? તો મીઠાઈ ન ખાવા છતાં બ્લડ સુગર લેવલ વધવાનું કારણ શું છે? અહીં જાણો દિલ્હીની સીકે ​​બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન ડિરેક્ટર ડૉ. મનીષા અરોરા અને મુંબઈની પરેલની ગ્લેનીગલ્સ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. આરતી ઉલ્લાલ આ વિશે શું કહે છે.

મીઠાઈ ન ખાવા છતાં પણ બ્લડ સુગર વધવાનું કારણ

ડૉ. અરોરાએ કહ્યું કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે ખાંડ, ફક્ત મીઠાઈના રૂપમાં જ નહીં, પણ અન્ય ફોર્મમાં ખાતા હોવ તો પણ બ્લડ સુગરના સ્તરમાં વધારો અને ડાયાબિટીસ નું કારણ છે. જો તમે મીઠાઈ ન ખાતા હોવ તો પણ, સફેદ બ્રેડ, બટાકા અથવા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ જેવા હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ધરાવતા ખોરાક ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. એમ ડૉ. અરોરાએ જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે પ્રોસેસ્ડ ફૂડ જેમાં મોટી માત્રામાં સુગર અને બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે તે પણ બ્લડ સુગરમાં વધારો કરી શકે છે.

તેથી જો તમે સુગરવાળા ખોરાક ટાળો તો પણ હાઈ બ્લડ સુગર (હાઈપરગ્લાયકેમિઆ) થઈ શકે છે. ડૉ. ઉલ્લાલે કહ્યું કે આના માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમાં તણાવ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ઓછી ઊંઘ, અમુક દવાઓ (જેમ કે સ્ટેરોઇડ્સ), અને ડાયાબિટીસની દવાઓ અથવા ઇન્સ્યુલિન ટાળવાનો સમાવેશ થાય છે.

બ્લડ સુગર લેવલ વધવાના કારણો

  • દવાઓ: કેટલીક દવાઓ બ્લડ સુગર લેવલ વધારી શકે છે. ઉદાહરણ તરીકે, રુમેટોઇડ સંધિવા, શ્વાસનળીના અસ્થમા અથવા ઓટોઇમ્યુન ડિસઓર્ડર (દા.ત. લ્યુપસ) જેવી પરિસ્થિતિઓ માટે વપરાતા સ્ટેરોઇડ્સ (કોર્ટીકોસ્ટેરોઇડ્સ) લોહીમાં ગ્લુકોઝ લેવલ વધારી શકે છે, ડૉ. અરોરાએ જણાવ્યું હતું. એન્ટીડિપ્રેસન્ટ્સ, ડીકોન્જેસ્ટન્ટ્સ અને બર્થ કંટ્રોલ ગોળીઓ પણ બ્લડ સુગરને અસર કરી શકે છે.
  • ઊંઘ: પૂરતી ઊંઘ ન લેવાથી કોર્ટિસોલનું સ્તર વધી શકે છે ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઓછી થઈ શકે છે અને બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.
  • ખરાબ જીવનશૈલી: કસરત વિના બેઠાડુ જીવનશૈલી ઇન્સ્યુલિન પ્રતિકાર તરફ દોરી શકે છે, જે રક્ત ખાંડના સ્તરમાં વધારો કરવાનું મુખ્ય પરિબળ છે.
  • ચેપ અથવા બીમારીઓ: જો ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ સુગર ટાળે છે, તો પણ ખાંસી, શરદી અને તાવ જેવા ચેપ અથવા ન્યુમોનિયા જેવી ગંભીર સ્થિતિઓ લોહીમાં સુગર લેવલમાં વધારો કરી શકે છે.

એમ ડૉ. અરોરાએ જણાવ્યું હતું કે, એ એક ખોટી માન્યતા છે કે ફક્ત મીઠાઈઓ જ લોહીમાં સુગર લેવલ વધારે છે. જીવનશૈલી, હોર્મોનલ, તબીબી અને શારીરિક પરિબળો આમાં ભૂમિકા ભજવે છે. બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે આહાર, કસરત, દવાની સમીક્ષા, તણાવ વ્યવસ્થાપન અને નિયમિત દેખરેખ સહિત એક સર્વાંગી અભિગમની જરૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ