બ્લડ સુગર લેવલ વધવાના કારણો, કેવા પ્રકારની આદતો તમારે બદલવી જોઈએ?

બ્લડ સુગર લેવલ વધવાના કારણો | ડાયાબિટીસમાં ક્યારેક અમુક આદતો જે તમને હેલ્ધી લાગે છે તે તમારા બ્લડ સુગરના લેવલમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, અહીં જાણો

Written by shivani chauhan
August 22, 2025 15:54 IST
બ્લડ સુગર લેવલ વધવાના કારણો, કેવા પ્રકારની આદતો તમારે બદલવી જોઈએ?
high blood sugar levels Causes in gujarati

High Blood Sugar Levels Causes | ડાયાબિટીસ (diabetes) ધરાવતા લોકોએ તેના આહાર પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે. તેમણે એવા ખોરાક પસંદ કરવાની જરૂર છે જે બ્લડ સુગરના લેવલમાં વધારો ન કરે. ફક્ત મીઠાઈઓ જ બ્લડ સુગરના લેવલમાં વધારો કરતી નથી. કેટલીકવાર કેટલીક આદતો જે તમને હેલ્ધી લાગે છે તે તમારા બ્લડ સુગરના સ્તરમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, એમ આઇવી લીગ-પ્રશિક્ષિત ડાયાબિટીસ નિવારણ નિષ્ણાત ડૉ. ટેસ થોમસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

ડાયાબિટીસમાં ક્યારેક અમુક આદતો જે તમને હેલ્ધી લાગે છે તે તમારા બ્લડ સુગરના લેવલમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, અહીં જાણો

બ્લડ સુગર લેવલ વધવાનું કારણ

  • નાસ્તો સ્કિપ કરવાનો (ખાસ કરીને પ્રોટીનયુક્ત)
  • ભોજન પહેલાં કોફી પીવો.
  • ખાલી પેટ વાઇન પીવો
  • કાર્બોહાઇડ્રેટ્સનું વધારે સેવન
  • પ્રોટીન ન હોય તેવા સલાડ પર આધાર રાખો
  • ભોજનકરવાને બદલે દિવસભર નાસ્તો કરો
  • મોડું ભોજન લેવું

ડૉ. થોમસે કહ્યું કે “આમાંથી કોઈ પણ વસ્તુ તમને ખરાબ વ્યક્તિ બનાવતી નથી. પરંતુ તે તમારા શરીર માટે ઊર્જા, ભૂખ અને મૂડને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બનાવે છે.’

થાણેની જ્યુપિટર હોસ્પિટલના ડૉ. અમિત સરાફે જણાવ્યું કે, ‘પ્રોટીનયુક્ત નાસ્તો છોડી દેવાથી દિવસના અંતમાં બ્લડ સુગરના લેવલમાં વધઘટ થઈ શકે છે. ભોજન પહેલાં કોફી પીવાથી દિવસની શરૂઆત તણાવ હોર્મોન્સમાં વધારો થઈ શકે છે, જે ગ્લુકોઝના લેવલને પણ અસર કરે છે. પ્રોટીન કે ચરબી વિના કાર્બોહાઇડ્રેટ્સ ખાવાથી બ્લડ સુગરના સ્તરમાં તીવ્ર વધારો થઈ શકે છે.’

ડૉ. સરાફે નોંધ્યું કે, ખાલી પેટે વાઇન પીવું, લાંબા સમય સુધી ભોજન ન લેવું, સંતુલિત ભોજનને બદલે દિવસભર નાસ્તો કરવો, અથવા પ્રોટીન વિના સલાડ ખાવાથી બ્લડ સુગરના સતત નિયંત્રણમાં ખલેલ પહોંચી શકે છે. રાત્રે ખૂબ મોડું ખાવાથી પણ બ્લડ સુગરમાં ઝડપી વધારો થઈ શકે છે.

જ્યારે આમાંની ઘણી આદતો હાનિકારક લાગે છે તેમને બદલવાથી “ઊર્જા, મૂડ અને લાંબા ગાળાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફરક પડી શકે છે.” ડૉ. સરાફે કહ્યું કે “તમારી આદતોમાં નાના, સતત ફેરફારો, જેમ કે દરેક ભોજન સાથે પ્રોટીન ખાવું અને નિયમિત ભોજન સમયપત્રકનું પાલન કરવું, તમારા બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ