Hina Khan : હિના ખાને કીમોથેરાપી વચ્ચે સ્ટ્રેન્થ ટ્રેનિંગની ઝલક શેર કરી, કેન્સરના દર્દીઓ ફાયદા થઇ શકે? એક્સપર્ટ શું કહે છે?

Hina Khan Health : તાજેતરમાં હિના ખાનએ ઇન્સ્ટાગ્રામ પર એક જિમ વિડિયો પોસ્ટ કર્યો, જેમાં કીમોથેરાપી દરમિયાન તેની સ્ટ્રેન્થ ટ્રેનિંગ દર્શાવવામાં આવી છે. પરંતુ કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન તેના સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે છે અને કઈ સાવચેતી ધ્યાનમાં રાખવી જોઈએ તે અહીં નિષ્ણાતો જણાવે છે, અહીં જાણો

Written by shivani chauhan
September 17, 2024 07:00 IST
Hina Khan : હિના ખાને કીમોથેરાપી વચ્ચે સ્ટ્રેન્થ ટ્રેનિંગની ઝલક શેર કરી, કેન્સરના દર્દીઓ ફાયદા થઇ શકે? એક્સપર્ટ શું કહે છે?
Hina Khan : હિના ખાને કીમોથેરાપી વચ્ચે સ્ટ્રેન્થ ટ્રેનિંગની ઝલક શેર કરી, કેન્સરના દર્દીઓ ફાયદા થઇ શકે? એક્સપર્ટ શું કહે છે?

Hina Khan Health : હિના ખાન (Hina Khan) ના સોશિયલ મીડિયા પર તે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર (breast cancer) સાથેની તેની લડાઈ અંગે પોસ્ટ અને વિડીયો શેર કરે છે, જેમાં તેના કિકબોક્સિંગના પ્રયાસો અને મ્યુકોસાઇટિસ જેવી આડઅસર સાથેના તેના સંઘર્ષ સહિતની નિયમિત અપડેટ્સ આપે છે.

તાજેતરમાં હિના ખાનએ ઇન્સ્ટાગ્રામ પર એક જિમ વિડિયો પોસ્ટ કર્યો, જેમાં કીમોથેરાપી દરમિયાન તેની સ્ટ્રેન્થ ટ્રેનિંગ દર્શાવવામાં આવી છે. પરંતુ કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન તેના સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે છે અને કઈ સાવચેતી ધ્યાનમાં રાખવી જોઈએ તે અહીં નિષ્ણાતો જણાવે છે, અહીં જાણો

આ પણ વાંચો: જો તમે સવારના નાસ્તામાં 30 ગ્રામથી વધુ પ્રોટીન લેશો તો શરીર પર કેવી અસર થશે?

નિષ્ણાતો કહે છે કે કીમોથેરાપી દરમિયાન કસરત કરવામાં ધ્યાન રાખવામાં આવે તો ફાયદો થઈ શકે છે. મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલના ઓન્કોસર્જન ડો મેઘલ સંઘવીએ જણાવ્યું હતું કે ‘કિમોથેરાપી દરમિયાન દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ ટ્રીટમેન્ટને સહન કરવા માટે પર્યાપ્ત ફિટ હોવું તે શ્રેષ્ઠ બાબત છે. પહેલેથી જ કસરત કરવા માટે ટેવાયેલા દર્દીઓ ચાલુ રાખી શકે છે, પરંતુ તે તેમાં સાવધાની રાખવી જરૂરી છે. જોકે, જેઓ દર્દીઓ કસરત કરતા નથી અને હજુ શરૂઆત કરી છે તો એ ધીમે ધીમે અને દેખરેખ હેઠળ શરૂઆત કરી શકે છે.’

પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર અને ડૉકટ્યુબના સભ્ય ડૉ. શૈલેષ પુનતામ્બેકરે જણાવ્યું હતું કે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કીમોથેરાપી-પ્રેરિત થાક અને સ્નાયુઓની નબળાઈ સામે લડી શકે છે. કાર્યાત્મક શક્તિ જાળવવામાં મદદ કરે છે, મૂડ સુધારે છે અને એન્ડોર્ફિન મુક્ત કરીને હતાશા અને ચિંતાની લાગણીઓને ઘટાડે છે. વજન વહન કરવાની કસરતો હાડકાની ઘનતાના નુકશાનને રોકવામાં અને પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે.

દર્દીએ શું ટાળવું જોઈએ?

ડૉ. સંઘવીએ કહ્યું કે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ દરેક દર્દીને અનુરૂપ હોવી જોઈએ,કેન્સરના પ્રકાર અને સ્થાન તેમજ કીમોથેરાપીની આડઅસરોને ધ્યાનમાં લેતા સારવાર દરમિયાન સારા પોષણ અને હાઇડ્રેશનની સાથે ધ્યાન, યોગ અને સકારાત્મક માનસિકતા મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: સદગુરુ કહે છે કે જમ્યા પછી તરત સૂવાથી પીઠનો દુખાવો થઈ શકે, નિષ્ણાતો શું કહે છે?

ઇજાના વધતા જોખમને કારણે કીમોથેરાપી દરમિયાન પ્લાયમેટ્રિક્સ જેવી ઉચ્ચ અસરવાળી કસરતો ટાળવી જોઈએ . સંતુલનને પડકારતી પ્રવૃત્તિઓ, જેમ કે સિંગલ-લેગ સ્ક્વોટ્સ, જોખમી હોઈ શકે છે. હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેઇનિંગ (HIIT) ખૂબ ટેક્સિંગ હોઈ શકે છે અને વધુ પડતા થાકનું કારણ બની શકે છે, તેથી ઓછી-તીવ્રતાના ઓપ્શનની ભલામણ કરવામાં આવે છે. ઊંચા જોખમ સાથેની કસરતો ટાળો, જેમ કે અદ્યતન યોગ પોઝ અથવા જટિલ પ્રતિકારક તાલીમ વગેરે. ભારે વજનવાળી કસરતો ટાળો જે તમારા શરીર પર અતિશય તાણ લાવે છે, જેમ કે હેવી સ્ક્વોટ્સ અથવા ડેડલિફ્ટ્સ.

મુખ્ય શિસ્ત અને સુસંગતતા જાળવવાની છે, કારણ કે આનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. તેણે કહ્યું કે જ્યારે તમે કીમોથેરાપી પછી શારીરિક રીતે થાકી ગયા હોવ તેવા દિવસોમાં રેસ્ટ લેવો ઠીક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ