વજન ઘટાડવું છે અને બટાટા પણ ખાવા છે? આટલી બાબતોનું ધ્યાન રાખો

મુંબઈની ઝાયનોવા શાલ્બી હોસ્પિટલના ડાયેટિશિયન જીનલ પટેલએ જણાવ્યું હતું કે તમારી ખાણીપીણીની આદતોમાં નવો ફેરફાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતોની સલાહ લો. વેઇટ લોસ જર્નીમાં બટાકાનું સેવન કરતા આટલી બાબતોનું ધ્યાન રાખો

મુંબઈની ઝાયનોવા શાલ્બી હોસ્પિટલના ડાયેટિશિયન જીનલ પટેલએ જણાવ્યું હતું કે તમારી ખાણીપીણીની આદતોમાં નવો ફેરફાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતોની સલાહ લો. વેઇટ લોસ જર્નીમાં બટાકાનું સેવન કરતા આટલી બાબતોનું ધ્યાન રાખો

author-image
shivani chauhan
New Update
Potatoes in weight loss journey

વજન ઘટાડવું છે અને બટાટા પણ ખાવા છે? આટલી બાબતોનું ધ્યાન રાખો

વિશ્વભરમાં બટાકાનું સેવન થાય છે પછી તે બાફીને, તળીને, સબ્જી બનાવીને, સ્ટ્રીટ ફૂડમાં વગેરે રીતે ખાવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ દીપશિખા જૈને કહ્યું કે વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો પણ બટાકાનું સેવન કરી શકે છે. જાણો અહીં

Advertisment

એક્સપર્ટ કહે છે કે, ' બટાકાને તળીને ખાવાનું ટાળો. બટાટાને પકાવો અને 6-7 કલાક બાદ તેને કરીને પછી તેનું સેવન કરો. એવું કરવાથી તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું થશે. આ ઉપરાંત બટાટાને રોટલી/ભાત/બ્રેડ સાથે ભેળવવાને બદલે નાસ્તા તરીકે અથવા પ્રોટીન સાથે ખાઓ, બટાકા કાર્બોહાઇડ્રેટ સ્ત્રોત છે.'

આ પણ વાંચો: શું સૂતા પહેલા ગોળ સાથે દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે? આયુર્વેદ શું કહે છે?

પરંતુ બટાકા કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ?

મુંબઈની ઝાયનોવા શાલ્બી હોસ્પિટલના ડાયેટિશિયન જીનલ પટેલએ જણાવ્યું હતું કે તે એક માન્યતા છે કે બટાકામાં સરળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે ફક્ત વજનમાં વધારો કરે છે. એ જાણવું અગત્યનું છે કે વધુ પડતા બટાકા ખાવાથી પણ તમારી એકંદર સુખાકારીમાં અવરોધ આવી શકે છે. બટાકાને ઘણીવાર અનેક મસાલા, માખણ, ઘી, જડીબુટ્ટીઓ, ક્રીમ અને તેલ સાથે રાંધવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આનાથી બટાકાની કેલરી સામગ્રી પણ વધી શકે છે.'
તેઓએ ઉમેર્યું હતું કે તે સમજવું નિર્ણાયક છે કે બટાટા એક "સ્ટાર્ચી શાકભાજી" છે જે કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે .

Advertisment

“કાર્બોહાઈડ્રેટ્સ જેવા પોષક તત્વો સરળતાથી ખાંડમાં રૂપાંતરિત થઈ શકે છે, અને શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થઈ શકે છે. તે સંવેદનશીલ પેટવાળા લોકોમાં પણ પાચન ધીમું કરી શકે છે. તેથી જો તમે સક્રિયપણે બટાટા આધારિત વાનગીઓ ખાઓ છો તો સાવચેત રહો. બાફેલા અથવા રાંધેલા ગમે તે બટાકા જો વધુ પ્રમાણમાં ખાવામાં આવતા બટાટા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.'

આ પણ વાંચો: Monsoon special : ચોમાસા દરમિયાન થતી બીમારીઓ અને તંદુરસ્ત રહેવાના નિવારક પગલાં

એક્સપર્ટ સારા સ્વાસ્થ્ય માટે મધ્યસ્થતા પર ભાર મૂક્યો હતો. તમે તેને ઓછા તેલ અને મસાલા સાથે રાંધવાનો પ્રયાસ કરી શકો છો. એક્સપર્ટે એમ પણ કહ્યું કે બટાકાને તેમના શરીરની સ્થિતિના આધારે છૂટક મળ અથવા ઝાડાના કિસ્સામાં જઠરાંત્રિય રાહત માટે સલાહ આપી શકાય છે. વ્યક્તિઓને સલાહ આપવામાં આવે છે કે તમે કંઈક ઓનલાઈન જુએ છે તેવા હેક્સ અને વીડિયો પર આંધળો વિશ્વાસ ન કરો. તમારી ખાદ્ય આદતોમાં નવો ફેરફાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતોની સલાહ લો. તેઓ તમને ફેરફારોમાં મદદ કરી શકે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips