ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ? શારીરિક પ્રવૃત્તિ પ્રમાણે પાણીનું સેવન કેવી રીતે નક્કી કરવું? જાણો

Water Intake Amount In Summer : ઉનાળા દરમિયાન શરીરમાં પાણીની ઉણપ ન અનુભવાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. ઉનાળા દરમિયાન તમારી શારીરિક પ્રવૃત્તિના આધારે તમારા શરીરને કેટલું પાણીની જરૂર છે તે જાણવું મહત્વપૂર્ણ છે

Water Intake Amount In Summer : ઉનાળા દરમિયાન શરીરમાં પાણીની ઉણપ ન અનુભવાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. ઉનાળા દરમિયાન તમારી શારીરિક પ્રવૃત્તિના આધારે તમારા શરીરને કેટલું પાણીની જરૂર છે તે જાણવું મહત્વપૂર્ણ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Water in summer, summer

ઉનાળામાં શરીરનું યોગ્ય તાપમાન જાળવવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે (તસવીર - ફ્રીપિક)

Water Intake Amount In Summer : ઉનાળામાં કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. ઉનાળામાં શરીરનું યોગ્ય તાપમાન જાળવવા માટે હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળો છે. જો તમે આ વાતને થોડી પણ અવગણશો તો પણ તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. શારીરિક પ્રવૃત્તિઓમાં અવરોધો ઉભા થાય છે. કિડનીનું કાર્ય ઘટે છે. પોષક તત્વોનું શોષણ ઓછું થવાથી અને સાંધાના દુખાવામાં વધારો થવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો જોવા મળે છે.

Advertisment

તેથી ઉનાળા દરમિયાન શરીરમાં પાણીની ઉણપ ન અનુભવાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. ઉનાળા દરમિયાન તમારી શારીરિક પ્રવૃત્તિના આધારે તમારા શરીરને કેટલું પાણીની જરૂર છે તે જાણવું મહત્વપૂર્ણ છે.

ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?

આ પ્રશ્નનો જવાબ તમારી શારીરિક પ્રવૃત્તિ પર આધાર રાખે છે. આ સિવાય તમે જ્યાં રહો છો ત્યાંની હવામાન પરિસ્થિતિઓ અને તમારા શરીરના વજન પર આધાર રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો વધુ શારીરિક પ્રવૃત્તિનો અર્થ એ છે કે શરીરને પાણીની વધુ જરૂરિયાત અનુભવાય છે, જેના પરિણામે વધુ પાણી પીવાની જરૂર પડે છે. ઉપરાંત ગરમ હવામાનને કારણે શરીરમાં પરસેવો થાય છે, જેના માટે વધુ પ્રવાહી પીવાની જરૂર પડે છે. જે લોકોનું વજન વધારે છે તેમને હાઇડ્રેટેડ રહેવા માટે વધુ પાણી પીવું જરૂરી છે.

પાણીનું સેવન

પુરુષ : દરરોજ 3-4 લિટર પાણી પીવો, જેમાં બધા પ્રવાહીનો સમાવેશ થાય છે.

મહિલા : દરરોજ 2-3 લિટર પાણી પીવો, જેમાં બધા પ્રવાહીનો સમાવેશ થાય છે.

જો તમે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરી રહ્યા છો, તો તમારે કસરત કર્યાના એક કલાકની અંદર વધારાનું 0.5-1 લિટર પાણી પીવું જોઈએ. જે લોકો ખૂબ શારીરિક પ્રવૃત્તિ કરે છે તેમણે કસરતના એક કલાક પહેલા 1-1.5 લિટર વધારાનું પાણી પીવું જોઈએ.

Advertisment

આ પણ વાંચો - ઉનાળામાં બાળકોને રાખવા છે ફિટ અને હેલ્ધી તો સવારે કરાવો આ 5 યોગાસન, ઝડપથી વધશે હાઇટ

ઉનાળા દરમિયાન તમારા હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટનું સ્તર તમારા એકંદર સ્વાસ્થ્યને નિર્ધારિત કરે છે. ખાસ કરીને ભારતમાં હાઇડ્રેશનની માત્રા સમજવી અને તે મુજબ પાણીનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.

ઉનાળામાં પાણી પીવાના ફાયદા

કબજિયાતમાં રાહત આપે છે : જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો તમારે સૌથી પહેલા પૂરતું પાણી પીવું જોઈએ. આમ કરવાથી કબજિયાતની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ શકે છે.

મગજના કાર્યમાં સુધારો કરે છે: ડિહાઇડ્રેટેડ શરીર સરળ કાર્યો પણ કરી શકતું નથી, કારણ કે હાઇડ્રેશન મગજ પર મોટી અસર કરે છે. અભ્યાસો અનુસાર સહેજ પણ ડિહાઇડ્રેશન મગજના કાર્યને અસર કરી શકે છે.

શારીરિક કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે: પાણી પીવાથી શરીર માત્ર હાઇડ્રેટેડ રહે છે એટલું જ નહીં, પરંતુ દિવસભરના કામ માટે ઉર્જા પણ મળે છે, જેની મદદથી તમે દિવસભર વધુ સારી રીતે કામ કરી શકો છો. જ્યારે શરીર સંપૂર્ણપણે હાઇડ્રેટેડ હોય છે, ત્યારે શારીરિક પ્રવૃત્તિમાં પણ સુધારો થાય છે.

હેલ્થ જીવનશૈલી health tips