ડાયાબિટીસના દર્દીઓ માટે કોળા બીજનું સેવન કરવું જોઈએ કે નહિ?

ડાયાબિટીસના લક્ષણોને સમયસર ઓળખવા અને તેને નિયંત્રિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે તમારા ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

ડાયાબિટીસના લક્ષણોને સમયસર ઓળખવા અને તેને નિયંત્રિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે તમારા ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

author-image
shivani chauhan
New Update
pumpkin seeds for diabetes

ડાયબિટીસના દર્દીઓ માટે કોળા બીજનું સેવન કરવું જોઈએ કે નહિ?

ડાયાબિટીસ (Diabetes) એક ગંભીર રોગ છે. આમાં, સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટાડે છે અથવા બંધ કરે છે. જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. આના કારણે વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો, ભૂખ વધવી, ઘા રૂઝવામાં વિલંબ થવો અને નબળી દ્રષ્ટિ જેવા લક્ષણો જોવા મળે છે. જો આને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો હૃદય, કિડની અને ફેફસાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Advertisment

ડાયાબિટીસના લક્ષણોને સમયસર ઓળખવા અને તેને નિયંત્રિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે તમારા ખાવા-પીવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અહીં કોળાના બીજ ખાવાના ફાયદાઓ વિશે અને આ બીજ ડાયબિટીસમાં કેટલા અસરકારક છે? જાણો

કોળાના બીજ ખાવા જોઈએ કે નહીં (Should pumpkin seeds be eaten or not)

કોળાના બીજનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગરને ધીમે ધીમે જાળવી રાખવામાં મદદ કરે છે. તેનો GI લગભગ 15 છે. જેના કારણે તમારા બ્લડ સુગરનું સ્તર સંતુલિત રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક ઉત્તમ ખોરાક છે.

આ પણ વાંચો: Red Chilli: લાલ મરચાના ફાયદા જાણી તમે પણ ખાતા થઇ જશો!

કોળાના બીજમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવામાં મદદ કરે છે. આ બીજ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે બળતરાને નિયંત્રણમાં રાખે છે. આ બીજમાં ઓમેગા 3 અને ઓમેગા 6 જેવા સ્વસ્થ ચરબી હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે.

Advertisment

તમે કોળાના બીજને સલાડ, સ્મૂધી અથવા દહીંમાં ભેળવીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય, તમે કોળાના બીજ શેકીને ખાઈ શકો છો. તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

ડાયાબિટીશ જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips