/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Follow-these-simple-tips-to-avoid-overeating-unsplash-1.jpg)
અતિશય આહાર ટાળવા માટે આ સરળ ટિપ્સ અનુસરો (અનસ્પ્લેશ)
આપણામાંના ઘણા ફૂડી હોય છે અને અવનવા ફૂડ ભૂખ ન હોવા છતાં ખાતા હોય છે, ખાસ કરીને, પાર્ટીઓ, રેસ્ટોરન્ટમાં અને આ પ્રસંગો પછી આપણને ગેસ જેવી પાચનની સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. જો તમને પણ વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો ચોક્કસ સાવચેતી રાખવાની જરૂર છે.
ઓવરઈટિંગ કરવાથી પાચનને લગતી સમસ્યા થાય છે, તમે ઓવરટિંગ માટે આ કાળજી રાખી શકો છો,
ઓછી કેલરીવાળી વસ્તુઓ - જો તમે ડાયટ પર હોવ અને વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો ફ્રાય શાકભાજી, ગ્રીલ આઈટમ જેવી કે પનર ટિક્કા, તંદૂરી ચિકન વગેરે અને ક્રીમ વગરના સૂપ લો. મીઠાઈઓથી દૂર રહો.
આ પણ વાંચો: National Nutrition Week 2023 : રાષ્ટ્રીય પોષણ સપ્તાહ પર આ 10 સૌથી વધુ પૌષ્ટિક ખોરાકના ફાયદા જાણો
ધીરે ધીરે ખાઓ - એક નાની ચમચીનો ઉપયોગ કરો અને તમારી ખોરાકના દરેક ભાગને માણો. આ તમને ઓછી માત્રામાં પણ સંતોષ અનુભવવામાં મદદ કરશે. ખાવા કરતાં વાતોમાં વધુ સમય પસાર કરો.
લીંબુ પાણી જેવા ઘરેલું ઉપચાર પાચનતંત્રના ph લેવલને બદલીને અને કામચલાઉ આરામ પ્રદાન કરે છે અને માત્ર ઉપરછલ્લું કામ કરે છે. પરંતુ અપાચિત ખોરાકમાં ફક્ત તમારા શરીરમાં ચરબી તરીકે જમા થાય છે,
સુષ્મા પીએસ, ચીફ ડાયેટિશિયન, જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ, બેંગલોર એ એવા ઉપાયોની યાદી આપી છે જે મદદ કરી શકે છે:
ભોજન પહેલા: તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ નવશેકા પાણી અથવા વરિયાળી, જીરું અથવા અજમો જેવી જડીબુટ્ટીઓવાળા પાણીથી કરો. નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે કારણ કે તે બાકીના દિવસ માટે ઊર્જા પ્રદાન કરે છે. જમતા પહેલા પાણી પીવાથી તમને પેટ ભરેલું લાગે છે અને વધુ પડતું ખાવાનું ટાળવામાં મદદ મળે છે. પ્રોસેસ્ડ અથવા વધુ કેલરીવાળા નાસ્તાને બદલે, ફળો, બદામ અથવા દહીં જેવા પૌષ્ટિક નાસ્તાનું સેવન કરો.
ભોજન દરમિયાન- જમતી વખતે વર્તમાન વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માઇન્ડફુલ ખાવું એ એક મૂલ્યવાન ટિપ્સ હોઈ શકે છે. તમે વધુ સેલ્ફ-અવેર બનીને ખાવાની પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારી ખાવાની રીતોને સુધારી શકો છો. અવેર ડાયટ કરવાથી તમે ઓવરઈટિંગનો ભોગ નથી બનતા અને ખોરાકનો ઓછો વપરાશ ઘટાડો છો. તમારી થાળીમાં શાકભાજી, એક ક્વાર્ટર પ્રોટીન અને એક ક્વાર્ટર કાર્બોહાઈડ્રેટ્સ હોવા જોઈએ.
જમ્યા પછી- જમ્યા પછી થોડી વાર ચાલવાથી પાચન અને બ્લડ સુગરના નિયમનમાં મદદ મળી શકે છે. મીઠી વસ્તુઓ ખાવાને બદલે, ફળો અથવા ઓછા ફેટ વાળી વસ્તુઓ દહીં જેવા હેલ્થી ઓપ્શન પર જાઓ. જમ્યા પહેલા પાણી પીવાથી તમને પેટ ભરેલું લાગે છે અને વધુ પડતું ખાવાનું ટાળવામાં મદદ મળે છે.
એક્સપર્ટે કહ્યું કે, ''યાદ રાખો કે સારી રીતે સંતુલિત અને પૌષ્ટિક આહાર, તેમજ કસરત, સારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us