/indian-express-gujarati/media/media_files/2026/02/26/onion-cutting-hacks-2026-02-26-15-04-27.jpg)
ડુંગળી કાપતી વખતે આંખોની બળતરા રોકવા માટેની ટિપ્સ. Photograph: (AGI)
Onion Cutting Hacks : રસોડામાં ડુંગળીનો ખૂબ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ શાકની ગ્રેવી બનાવવાથી લઈને દાળમાં વઘાર કરવા સુધીની દરેક વસ્તુમાં થાય છે. ડુંગળી કાપતી વખતે આંખમાં બળતરા અને આંસુ આવવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આનાથી બચવા માટે તમે કેટલાક સરળ પગલાં લઈ શકો છો. આમ કરવાથી આંખમાં આંસુ અને બળતરીની સમસ્યા ઓછી થઈ શકે છે.
ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ કેમ આવે છે?
જ્યારે ડુંગળી કાપવામાં આવે છે ત્યારે તેના કોષો તૂટે છે. આ કિસ્સામાં સલ્ફર ધરાવતા સંયોજનો તેમાંથી મુક્ત થાય છે. તેનાથી તમારી આંખોમાં બળતરા થાય છે. આ સંયોજનો આંખોમાં હાજર ભેજ સાથે પ્રતિક્રિયા કરે છે તે પછી સલ્ફ્યુરિક એસિડ બને છે. તેનાથી કોર્નિયામાં બળતરા થાય છે. તેનાથી બચવા માટે આંખો આંસુ ઉત્પન્ન કરે છે. જેથી તેને ધોઈને સાફ કરી શકાય અને દ્રષ્ટિ સુરક્ષિત રહે. આ એક પ્રકારની કુદરતી સુરક્ષા તંત્ર છે.
ડુંગળીને ઠંડી કરો
જો તમે ઇચ્છો છો કે ડુંગળી કાપતી વખતે તમારી આંખોમાં આસું ના આવે તો તમારે ડુંગળી કાપતા પહેલા તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખવી જોઈએ. ડુંગળીને કાપતી વખતે તેને ઠંડી કરવાથી કોઈ સમસ્યા થતી નથી. આ એટલા માટે છે કારણ કે તે રાસાયણિક અસરને ઘટાડે છે.
પાણીમાં પલાળી રાખો
ડુંગળીને કાપતા પહેલા તેની છાલ કાઢીને તરત જ કાપશો નહીં. તેને થોડી મિનિટો માટે ઠંડા પાણીમાં મૂકો. તે પછી ડુંગળીને બહાર કાઢો અને કાપી લો. આમ કરવાથી આંખોમાં બળતરાની સમસ્યા ઓછી થાય છે.
આ પણ વાંચો - મલ્ટીગ્રેન લોટ ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો, પોષક તત્તોનો છે ભંડાર
વહેતા પાણીની નીચે કાપો
ડુંગળી કાપતી વખતે આંખમાં થતી સમસ્યાથી બચવા માટે તમે ડુંગળીને વહેતા પાણીની નીચે કાપી શકો છો. આમ કરવાથી ડુંગળીમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ ધોવાઈ જાય છે. આ પણ એક અસરકારક પદ્ધતિ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us