મહિલાઓ ખાલી પેટ આ બીજ પાણી સાથે મિક્ષ કરીને પીશે તો થશે ચમત્કારી ફાયદા ! જાણો

એનિમિયાની સમસ્યામાં લાલ રક્તકણોની સંખ્યા અથવા લાલ રક્તકણોમાં હિમોગ્લોબિન (ઓક્સિજન વહન કરતું પ્રોટીન) નું પ્રમાણ સામાન્ય કરતા ઓછું હોય છે, આનો અર્થ એ છે કે શરીરને પૂરતું ઓક્સિજનયુક્ત લોહી મળી રહ્યું નથી.

એનિમિયાની સમસ્યામાં લાલ રક્તકણોની સંખ્યા અથવા લાલ રક્તકણોમાં હિમોગ્લોબિન (ઓક્સિજન વહન કરતું પ્રોટીન) નું પ્રમાણ સામાન્ય કરતા ઓછું હોય છે, આનો અર્થ એ છે કે શરીરને પૂરતું ઓક્સિજનયુક્ત લોહી મળી રહ્યું નથી.

author-image
shivani chauhan
New Update
how to get rid of blood deficiency | blood deficiency | Anemia home remedies in gujarati

મહિલાઓ ખાલી પેટ આ બીજ પાણી સાથે મિક્ષ કરીને પીશે તો થશે ચમત્કારી ફાયદા ! જાણો

મહિલાઓમાં લોહીની ઉણપ અથવા એનિમિયા (Anemia) એક સામાન્ય પણ ગંભીર સમસ્યા છે. ખાસ કરીને 15 થી 45 વર્ષની વયની મહિલાઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.આના કારણે તેમને સતત થાક, નબળાઈ, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આ સાથે વાળ ખરવાની સમસ્યા પણ વધે છે. જો તમે પણ આ મહિલાઓમાંથી એક છો, તો તમારે માટે કેટલીક ટિપ્સ આપી છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરી શકે છે.

Advertisment

એનિમિયા અથવા લોહીની ઉણપ શું છે?

એનિમિયાની સમસ્યામાં લાલ રક્તકણોની સંખ્યા અથવા લાલ રક્તકણોમાં હિમોગ્લોબિન (ઓક્સિજન વહન કરતું પ્રોટીન) નું પ્રમાણ સામાન્ય કરતા ઓછું હોય છે, આનો અર્થ એ છે કે શરીરને પૂરતું ઓક્સિજનયુક્ત લોહી મળી રહ્યું નથી.

એનિમિયા કેવી રીતે દૂર કરવો?

એનિમિયાની સમસ્યાને લઈને પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ દીપશિખા જૈને આ બાબતને લઈને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, પોષણશાસ્ત્રી જણાવે છે કે, દરરોજ સવારે ખાલી પેટે પાણીમાં બે ખાસ વસ્તુઓ ભેળવીને પીવાથી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વસ્તુઓ શરીરમાં આયર્ન લેવલ વધારે છે, જે એનિમિયા દૂર કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: દરરોજ ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી શરીર રહેશે નિરોગી!

લાલ રક્તકણોના નિર્માણમાં આયર્ન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આયર્નની ઉણપ થાય છે, ત્યારે લાલ રક્તકણોની સંખ્યા ઘટી જાય છે, જેના કારણે એનિમિયા થાય છે. શરીરમાં આયર્નનું સ્તર વધારવા માટે, દીપશિખા જૈન દરરોજ ખાલી પેટે પાણીમાં હલીમના બીજ અને લીંબુનો રસ ભેળવીને પીવાની સલાહ આપે છે.

Advertisment

કેવી રીતે સેવન કરવું?

  • લોહીની ઉણપ દૂર કરવા એક ગ્લાસ પાણીમાં એક ચમચી હલીમના બીજ નાખો અને તેને આખી રાત રાખો.
  • સવારે આ પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને ખાલી પેટ પીવો.
  • પોષણશાસ્ત્રીના મતે, દરરોજ આ કરવાથી તમે કુદરતી રીતે આયર્ન વધારી શકો છો અને એનિમિયા દૂર કરી શકો છો.

હલીમ બીજના ફાયદા

હલીમના બીજ ખૂબ જ પૌષ્ટિક અને ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. ખાસ કરીને તેમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે જ સમયે, લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન સી આયર્નના શોષણમાં સુધારો કરે છે. આ રીતે આ બે વસ્તુઓનું સેવન એનિમિયા દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

જીવનશૈલી health tips