શું તમારી બાલ્કની અને છત પર છે કબૂતરનો ત્રાસ? આ ઉપાયથી નહીં આવે એકપણ કબૂતર

ટેરેસ અને બાલ્કનીમાં આવતા કબૂતરથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. તમે કેટલીક ખાસ ટીપ્સને અનુસરીને કબૂતરોના ટોળાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો

ટેરેસ અને બાલ્કનીમાં આવતા કબૂતરથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. તમે કેટલીક ખાસ ટીપ્સને અનુસરીને કબૂતરોના ટોળાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
how to get rid of pigeons from your balcony

કબૂતરથી છુટકારો મેળવવા માટે સૌ પ્રથમ તમારી બાલ્કની અને છતને સ્વચ્છ રાખો (ફોટો: પિન્ટરેસ્ટ)

kabutar ko ghar se kaise bhagaye : ટેરેસ અને બાલ્કનીમાં આવતા કબૂતરથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. કબૂતરો બાલ્કની, છત અને બારીઓ પર બેસે છે અને ગંદકી ફેલાવે છે. તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ છે. સાથે તેનાથી અનેક બીમારીઓ ફેલાવવાનું જોખમ પણ રહે છે.

Advertisment

લોકો ઘર અને બાલ્કનીમાં આવતા કબૂતરોને ભગાડવા માટે અલગ-અલગ ઉપાયો કરે છે. ઘણા લોકો દવાનો પણ ઉપયોગ કરે છે, જે ક્યારેક કબૂતરો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ કિસ્સામાં તમે કેટલીક ખાસ ટીપ્સને અનુસરીને કબૂતરોના ટોળાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

કબૂતરથી છુટકારો કેવી રીતે મેળવવો?

  • કબૂતરથી છુટકારો મેળવવા માટે સૌ પ્રથમ તમારી બાલ્કની અને છતને સ્વચ્છ રાખો. કબૂતરોને ગંદી અને ધૂળવાળી જગ્યાઓ ગમે છે. તેથી છત અને બાલ્કનીને નિયમિતપણે સાફ કરો.
  • તમે બાલ્કનીમાં નેટ અથવા જાળી પણ લગાવી શકો છો. આ કબૂતરોને અંદર આવતા અટકાવે છે. તમે સરળતાથી બજારમાં ઘણા પ્રકારના એન્ટિ-બર્ડ નેટ મળશે, જે તમે લગાવી શકો છો. આનાથી કબૂતરો અંદર આવતા અટકશે.
Advertisment
  • તમે બાલ્કનીમાં લીંબુ અથવા સિરકાનો સ્પ્રે પણ છંટકાવ કરી શકો છો. કબૂતરોને તેની ગંધ પસંદ પડતી નથી. તમે કબૂતરોને ડરાવવા માટે નકલી ઘુવડ અથવા સમડીના મોડલો પણ મૂકી શકો છો. તેનાથી પણ કબૂતરો આવતા નથી.

આ પણ વાંચો - શિયાળામાં અમૃતનું કામ કરે છે આ શાકભાજીનું જ્યૂસ, ડોક્ટર પાસેથી જાણો 5 મોટા ફાયદા

  • ઘણી વખત લોકો ટેરેસ અથવા બાલ્કનીમાં ખાવા-પીવાની વસ્તુઓ રાખી છે. આવી સ્થિતિમાં કબૂતરો તેમને ખાવા માટે બાલ્કનીમાં આવે છે. તેથી તમારે ક્યારેય અનાજ અથવા વધેલા ખોરાકના ટુકડાઓને બાલ્કની અથવા ટેરેસ પર છોડવા જોઈએ નહીં.
જીવનશૈલી