નાની બાલ્કનીમાં પણ લગાવી શકો છો ભીંડાનો છોડ, આવી રીતે કરો દેખભાળ

Organic Okra in a Small Balcony : ભીંડાનો છોડ વધુ જગ્યા લેતો નથી, તેથી તેને નાની જગ્યામાં પણ સરળતાથી રોપી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે તમને ઘરે ખાવા માટે તાજા અને ઓર્ગેનિક ભીંડા મળશે.

Organic Okra in a Small Balcony : ભીંડાનો છોડ વધુ જગ્યા લેતો નથી, તેથી તેને નાની જગ્યામાં પણ સરળતાથી રોપી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે તમને ઘરે ખાવા માટે તાજા અને ઓર્ગેનિક ભીંડા મળશે.

author-image
Ashish Goyal
New Update
Ladies Finger Farming

બાલ્કની અથવા ટેરેસ પર તાજા ભીંડા ઉગાડી શકો છો Photograph: (અનસ્પ્લેશ)

Organic Okra in a Small Balcony : શહેરોમાં રહેતા લોકો ઘણીવાર ખેતીથી વંચિત રહે છે. તમારે મોટાભાગની વસ્તુઓ માટે બજાર પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ બાલ્કનીમાં અથવા નાની જગ્યામાં તમે કેટલાક શાકભાજી અને ફળો ઉગાડી શકો છો. આજે આપણે ભીંડા વિશે વાત કરીશું. જેને તમે કુંડામાં રોપી શકો છો. થોડી કાળજી રાખીને તમે તમારી બાલ્કની અથવા ટેરેસ પર તાજા ભીંડા ઉગાડી શકો છો.

Advertisment

ભીંડાનો છોડ વધુ જગ્યા લેતો નથી, તેથી તેને નાની જગ્યામાં પણ સરળતાથી રોપી શકાય છે. સૌથી મોટી વાત એ છે કે તમને ઘરે ખાવા માટે તાજા અને ઓર્ગેનિક ભીંડા મળશે.

જાતની પસંદગી

સૌ પ્રથમ ભીંડાની એવા પ્રકારની જાત પસંદ કરો જે ઓછી જગ્યામાં વધારે ભીંડા આપે. આ માટે તમે બીજ સેન્ટરની સલાહ લઈ શકો છો.

યોગ્ય કુંડુ જરૂરી છે

ભીંડા માટે યોગ્ય કુંડુ પસંદ કરવું મહત્વપૂર્ણ છે. તેના મૂળ ઊંડા હોય છે, તેથી ઓછામાં ઓછા 12-15 ઇંચ ઊંડા કુંડાની જરૂર પડે છે. આવા ઊંડા કંડામાં મૂળ સરળતાથી ફેલાઈ શકે છે. આ સાથે કુંડાનીચે પાણી જાય તે માટે એક નાનું છિદ્ર જરૂરી છે.

Advertisment

માટી કેવી પસંદ કરવી

ભીંડાના છોડને પોષણ આપવા માટે ખાતર વાળી માટી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ માટે તમારે 40% બાગાયતી માટી, 30% ગાયના છાણનું ખાતર અને 30% કોકોપેટને ભેળવીને માટી તૈયાર કરી લો.

બીજ કેવી રીતે વાવવું

સૌ પ્રથમ, બીજને આખી રાત પાણીમાં પલાળી રાખો, તેનાથી અંકુરણ સુધરે છે. આ પછી કુંડામાં માટી ભરી 1 ઇંચની ઊંડાઈમાં 2-3 દાણા રોપી લો. તેવી જ રીતે બીજા કુંડામાં બીજ રોપી દો.

યોગ્ય સૂર્યપ્રકાશ

ભીંડાના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હોય. તેને ઓછામાં ઓછા 5-6 કલાક સૂર્યપ્રકાશની જરૂર પડે છે.

પાણી

ભીંડાના છોડને નિયમિતપણે પાણી આપી શકાય છે. જોકે ધ્યાનમાં રાખો કે પાણી રોકાવવું ના જોઈએ. જો જમીનમાં પાણી રોકાય તો છોડ સડી શકે છે.

આ પણ વાંચો - રોજ સવારે એક કેળું ખાવાથી શરીરમાં શું થાય છે? એક્સપર્ટ પાસેથી જાણો

જૈવિક ખાતર 

જૈવિક ખાતર માટે દર 15 થી 50 દિવસના અંતરે કુંડામાં વર્મીકમ્પોસ્ટ અથવા છાણનું ખાતર ઉમેરતા રહો. આ છોડને પોષણ આપે છે અને ઝડપથી ફળ આપે છે.

જંતુઓથી કેવી રીતે બચાવવું

ભીંડાના છોડને જંતુઓથી બચાવવા માટે લીમડાનું તેલ છાંટી શકાય છે.

ભીંડાનો છોડ ક્યારે તૈયાર થશે

વાવેતર પછી લગભગ 50-60 દિવસમાં ભીંડાના છોડ પર ભીંડા બનવાનું શરૂ થાય છે. જ્યારે ભીંડા લીલા, કોમળ અને 3-4 ઇંચ લાંબા થાય ત્યારે તેને તોડી શકાય છે.

ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

જીવનશૈલી