તમે ભેળસેળવાળી ખજૂર તો ખાતા નથીને, આ રીતે અસલી ખજૂરની ઓળખ કરો

Real vs Adulterated Dates : બજારમાં ભેળસેળવાળી અને નકલી ખજૂર પણ વેચાય છે, જેની આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે. કેટલીક રીતો છે જેની મદદથી કોઈ અસલી ખજૂરની ઓળખ કરી શકો છો.

Real vs Adulterated Dates : બજારમાં ભેળસેળવાળી અને નકલી ખજૂર પણ વેચાય છે, જેની આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે. કેટલીક રીતો છે જેની મદદથી કોઈ અસલી ખજૂરની ઓળખ કરી શકો છો.

author-image
Ashish Goyal
New Update
Real vs Adulterated Dates

ખજૂરમાં પોટેશિયમ અને કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ હોય છે જે શરીરમાં પાણીની ઉણપને પુરી કરવામાં મદદ કરે છે Photograph: (Freepik)

Real vs Adulterated Dates : રમઝાન એ આત્મ-શુદ્ધિકરણ, દાન-પૂર્ણ્ય અને કુરાનના પઠનનો મહિનો છે. આ દરમિયાન રોઝા રાખવામાં આવે છે.  સાંજે ખજૂર સાથે રોઝા તોડવા સુન્નત માનવામાં આવે છે. ઇફ્તાર સમયે તાજા અથવા સૂકી ખજૂર સાથે રોઝા ખોલવામાં આવે છે. આની પાછળનું એક કારણ એ છે કે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહ્યા પછી શરીરને વધુ પાણીની જરૂર પડે છે અને આ ઉણપ ખજૂર ભરવામાં મદદ કરે છે.

Advertisment

ખજૂરમાં પોટેશિયમ અને કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ હોય છે જે શરીરમાં પાણીની ઉણપને પુરી કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે લોકો ખજૂરથી રોઝા ખોલે છે. પરંતુ બજારમાં ભેળસેળવાળી અને નકલી ખજૂર પણ વેચાય છે, જેની આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે. કેટલીક રીતો છે જેની મદદથી કોઈ અસલી ખજૂરની ઓળખ કરી શકો છો.

જ્યારે ખજૂરની માંગ વધે છે ત્યારે બજારમાં ભેળસેળ વધી જાય છે. કેટલીકવાર જંગલી કાચી ખજૂરને ગોળના પાણીમાં ઉકાળવામાં આવે છે. આ પછી તે અસલી ખજૂર જેવી દેખાવા લાગે છે અને પછી તેને સારી રીતે સૂકવવામાં આવે છે અને વેચવામાં આવે છે.

અસલી ખજૂરને ઓળખવાની રીત

અલગ હોય છે મીઠાશ

અસલી ખજૂરમાં હળવી અને કુદરતી મીઠાશની સુગંધ આવે છે. જ્યારે ભેળસેળવાળી ખજૂરમાં કેમિકલ જેવી ગંધ આવી શકે છે. આ કિસ્સામાં તમે તેને સૂંઘીને જાણી શકો છો.

Advertisment

પાણીથી કરો તપાસ

અસલી ખજૂરને ઓળખવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેને પાણીમાં મૂકો. જો તે પાણીમાં રંગ છોડે તો પછી તે ભેળસેળ વાળી હોઇ શકે છે. અસલી ખજૂર રંગ છોડતી નથી.

આ પણ વાંચો - સફરજન દૂર કરી શકે છે કારની ખરાબ દુર્ગંધ, જાણો ઉપયોગ કરવાની યોગ્ય રીત

સ્વાદ દ્વારા ઓળખો

ભેળસેળયુક્ત ખજૂર થોડી સખત અને ચાવવામાં મુશ્કેલ લાગે છે. મીઠાશથી સ્વાદ બગડી શકે છે. અસલી ખજૂર નરમ હોય છે અને મોઢામાં મૂકવામાં આવે ત્યારે સરળતાથી ઓગળી જાય છે. સ્વાદમાં કુદરતી મીઠાશ હોય છે.

ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

જીવનશૈલી