કેળાને તાજા રાખવા માટે સરળ ટિપ્સ અનુસરો, કાળા અને નરમ નહિ પડે

બજારમાંથી કેળા લાવ્યા બાદ તમે તેને યોગ્ય રીતે સ્ટોર કરી શકો છો. અહીં કેળાને લાંબા સમય સુધી તાજા રાખવાની કેટલીક ટિપ્સ જણાવી છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Written by shivani chauhan
October 05, 2024 14:36 IST
કેળાને તાજા રાખવા માટે સરળ ટિપ્સ અનુસરો, કાળા અને નરમ નહિ પડે
કેળાને તાજા રાખવા માટે સરળ ટિપ્સ અનુસરો, કાળા અને નરમ નહિ પડે

કેળા (Banana) એક એવું ફળ છે જે દરેક ભારતીય ઘરમાં ખાવામાં આવે છે. કેળાના સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે લોકો તેને નાસ્તામાં સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે. જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે સવારના નાસ્તામાં 2 કેળા ખાવાથી શરીર આખો દિવસ એનર્જીથી ભરેલું રહે છે. ખાસ કરીને ઉપવાસના દિવસોમાં કેળાની માંગ વધી જાય છે. નવરાત્રિ (Navratri) દરમિયાન પણ લોકો ફળોમાં સૌથી વધુ કેળાની ખરીદી કરતા હોય છે.

પરંતુ કેળાને ઘરે લાવવાની સાથે જ તે કાળા થવા લાગે છે. જો રાત્રે લાવેલા કેળા સવાર સુધીમાં સડવા લાગે તો ચિંતા થવી સ્વાભાવિક છે. જો કે, બજારમાંથી કેળા લાવ્યા પછી, તમે તેને યોગ્ય રીતે સ્ટોર કરી શકો છો. અમે તમને કેળાને લાંબા સમય સુધી તાજા રાખવાની કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની ટિપ્સ

કેળાને ફ્રિજમાં ન રાખો

જ્યારે તમે બજારમાંથી કેળા લાવો છો, ત્યારે તમારે તેમની તાજગી અનુસાર તેને સંગ્રહિત કરવા વિશે વિચારવું જોઈએ. ખરેખર, કેળાનો રંગ અને આકાર તમને કહેશે કે કેળા કેટલા સમય સુધી તાજા રહી શકે છે. જો કેળા થોડા કાચા હોય તો તેને સીધા જ રેફ્રિજરેટરમાં રાખવાની ભૂલ ન કરો. તેમને રસોડામાં 2 દિવસ સુધી ખુલ્લા રાખો.

આ પણ વાંચો: Navratri : વ્રતમાં મોરૈયાની ખીચડી ખાઓ છો? આટલા ફાયદા જાણી લો

લટકાવવાની પદ્ધતિ

કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને લટકાવવાની યુક્તિ પણ ખૂબ ઉપયોગી છે. કેળાને ટેબલ પર કે અન્ય સપાટી પર રાખવાને બદલે તેને ગમે ત્યાં લટકાવી દો. આ માટે કેળાની ડાળી પર દોરો બાંધો અને પછી તેને ગમે ત્યાં લટકાવી દો. આમ કરવાથી કેળા ઝડપથી પાકશે નહીં અને તાજા રહેશે. જો કે એક વાતનું ધ્યાન રાખો કે કેળાને ક્યાંય પણ કાપવા ન જોઈએ.

આ પણ વાંચો: નવરાત્રી ઉપવાસ : સવારે નાસ્તામાં શું ખાવાથી દિવસભર રહેશે એનર્જી, નહીં લાગે ભૂખ

વિનેગરમાં ધોવાથી પણ મદદ મળશે

કેળાને ઝડપથી બગડતા અટકાવવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે એક મોટા વાસણમાં પાણી ભરો અને તેમાં થોડા ચમચી વિનેગર નાખો. હવે કેળાને આ દ્રાવણમાં બોળીને બહાર કાઢો. અને પછી તેને અટકી દો. આ ટ્રીકથી કેળાને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ