સલ્ફાસ અને કેમિકલ વગર પણ અનાજ સુરક્ષિત રહેશે, આ 5 કુદરતી વસ્તુઓમાંથી જંતુનાશક ગોળીઓ બનાવો

અનાજને જીવાતથી બચાવવા અને સુરક્ષિત રાખવા માટે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેનાથી અનાજ સુરક્ષિત રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ કોઈ જોખમ ઉભું કરતું નથી

અનાજને જીવાતથી બચાવવા અને સુરક્ષિત રાખવા માટે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેનાથી અનાજ સુરક્ષિત રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ કોઈ જોખમ ઉભું કરતું નથી

author-image
Ashish Goyal
New Update
protect grain from weevils

અનાજમાંંથી જીવાત ભગાડવાના ઉપાય (ફોટો: પિન્ટરેસ્ટ)

how to protect grain from weevils : ઘઉં હોય, ચોખા હોય કે અન્ય કોઈ અનાજ હોય તેને ઘણો સમય રાખ્યા પછી તેમાં જીવજંતુઓ દેખાવા લાગે છે. તે જ સમયે ઘણા લોકો જંતુઓને ભગાડવા માટે અનાજમાં સલ્ફાસ કે ઘણા પ્રકારની કેમિકલવાળી ગોળીઓનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

Advertisment

આવી સ્થિતિમાં તમે લવિંગ, તમાલપત્ર, લીમડાના પાન, તજ અને તુલસી જેવી કુદરતી વસ્તુઓમાંથી ઘરે જંતુનાશક ગોળીઓ તૈયાર કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ સદીઓથી અનાજની સુરક્ષા માટે કરવામાં આવે છે. તેનાથી અનાજ સુરક્ષિત રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ કોઈ જોખમ ઉભું કરતું નથી.

કુદરતી જંતુનાશક ગોળીઓ કેવી રીતે બનાવવી?

કુદરતી જંતુનાશક ગોળીઓ તૈયાર કરવા માટે, લીમડાના પાન, તુલસી અને તમાલપત્રને તડકામાં સૂકવી અને તેનો હળવો પાવડર બનાવો. હવે તેમાં થોડી માત્રામાં તજ પાવડર અને ક્રશ કરેલી લવિંગ ઉમેરો. આ પછી આ મિશ્રણમાં થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટની નાની નાની ગોળીઓ બનાવીને બે-ત્રણ દિવસ સુધી તડકામાં સૂકવી લો.

આ રીતે અનાજમાં કરો સ્ટોર

થોડા સમય સુધી તડકામાં સૂકવ્યા પછી આ ગોળીઓ સખત થઈ જશે. હવે તમે આ ગોળીઓને અનાજના કન્ટેનર, કોથળા અથવા ડ્રમમાં મૂકી શકો છો. તમે એક કોથળામાં અથવા 50 કિલો અનાજમાં 4-5 ગોળીઓ મૂકી શકો છો. આ ગોળીઓમાં કુદરતી સુગંધ આવે છે જે જંતુઓને દૂર રાખે છે.

Advertisment

આ પણ વાંચો - બાળકોને મેંદા વાળા બિસ્કીટ આપવાના બદલે ઘરે બનાવો રાગી કુકીઝ, નોંધી લો રેસીપી

આ ગોળીઓ લવિંગ, તમાલપત્ર, લીમડાના પાન, તજ અને તુલસી જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે. આ કિસ્સામાં લવિંગમાં મળતું તેલ એક મજબૂત સુગંધ ફેલાવે છે, જે જંતુઓને નજીક આવવા દેતું નથી. તમાલપત્રને પણ અનાજના સંગ્રહ માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેની સુગંધ પણ અનાજને જંતુઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

લીમડાના પાંદડામાં કુદરતી જંતુનાશક ગુણધર્મો હોય છે, જે અનાજને જીવાત અને કીડાઓથી બચાવે છે. તજની સુગંધ અને તેની અંદરના ગુણો પણ જંતુઓને દૂર રાખવા કામ આવે છે. તુલસીના પાંદડા અનાજની ભેજની માત્રા ઘટાડે છે અને જંતુઓને વિચલિત રાખે છે.

જીવનશૈલી