/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/khajoor-benefits-with-lukewarm-water.jpg)
Khajoor Benefits With Lukewarm Water: સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ખજૂર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. (Photo - Freepik)
Khajoor Benefits With Lukewarm Water: ખજૂર એક સુપરફુડ્સ છે. ખજૂરના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. શરીરને શક્તિ આપવાની સાથે પેટની સમસ્યામાં પણ ખજૂરનું સેવન ફાયદો આપે છે. જો તમને સતત કબજિયાતની સમસ્યા રહેતી હોય કે પેટની સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાય અજમાવી શકો છો. ખરેખર, આ પગલાં ખૂબ અસરકારક છે અને લોકો હંમેશાં સારા સ્વાસ્થ્ય માટે અનુસરે છે.
આયુર્વેદમાં તેને મોર્નિંગ મંત્ર કહેવામાં આવ્યો છે, કારણ કે, જ્યારે તમે ખજૂર ખાવ છો ત્યારે તે શરીરમાં આયર્નની માત્રા વધારે છે, જેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને રક્ત પરિભ્રમણ વધે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે. વળી, તેના ઘણા ફાયદા પણ છે. આવો, જાણો સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણી સાથે ખજૂર ખાવાના ફાયદા.
સવારે ખાલી પેટે ખજૂરનું સેવન કરવાની રીત
તમારે ફક્ત 1 કપ ગરમ પાણી લેવાનું છે. હવે તેને ગ્લાસમાં રેડી લો અને પછી તેમાં 1 કપ ઠંડુ પાણી ઉમેરો. આ પછી, બે ખજૂર લો અને તેને ખાઇ લો. ત્યારબાદ આ પાણી પીવો. આ રીતે ખજૂર અને નવશેકું પાણી પીવાથી તમારા મેટાબોલિક રેટમાં વધારો થાય છે અને પાચનક્રિયા ઝડપી બને છે. આનાથી તમારું પેટ સાફ થશે અને કબજિયાતની સમસ્યા ઓછી થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/khajoor-benefits-.jpg)
સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણી સાથે ખજૂર ખાવાના ફાયદા
આળસ દૂર થશે
સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણી સાથે ખજૂર ખાવાથી શરીરમાં ઊર્જા આવે છે અને આળસ દૂર થાય છે. ખરેખર, આ પદ્ધતિ શરીરમાં લોહીની માત્રા વધારે છે અને પછી નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. જે લોકો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં દુખાવાની ફરિયાદ કરે છે તેમના માટે આ ફાયદાકારક છે. શરીર જકડાઇ જવાની સમસ્યા દૂર કરવાની સાથે દુખાવ અને નબળાઇને દૂર કરવાની આ એક અસરકારક રીત છે.
આ પણ વાંચો | સ્વસ્થ રહેવાના સરળ ઉપાય, શરીરની 80 ટકા બીમારી થશે દૂર, જાણો સદગુરુ પાસેથી
ચહેરા પર ચમક આવશે
જો તમારો ચહેરો નિસ્તેજ અને સુસ્ત લાગે છે તો તમે આ ઉપાય અપનાવી શકો છો. ખજૂર સ્કીન સાફ કરવા અને તેની ચમક વધારવામાં મદદગાર છે. તેનાથી લોહીની કમી દૂર થાય છે અને ચહેરાની ચમક જળવાઈ રહે છે તેમજ હેલ્થ સારી રહે છે. ઉપરાંત તેનું સેવન શરીર માંથી ઝેરી તત્વોને બહાર ફેકવામાં અને અંદરથી ત્વચાને સુધારવામાં મદદરૂપ થાય છે. થોડા દિવસો સુધી આ રૂટિન ફોલો કરવાથી તમને તેના ફાયદા જોવા મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us