Health Tips : શું લીંબુનું સેવન ડાયબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે? જાણો અહીં

Health Tips : તમારા સ્ટાર્ચયુક્ત ખોરાક પર એક તાજા લીંબુનો રસ નાખવથી તમારા ઇન્સ્યુલિન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે

Written by shivani chauhan
June 14, 2023 07:53 IST
Health Tips : શું લીંબુનું સેવન ડાયબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે? જાણો અહીં
તમારે લીંબુ શા માટે ઉમેરવું જોઈએ તે અહીં છે

લીંબુ અનેક સ્વાસ્થ્ય લાભો માટે ખુબજ જાણીતું છે પરંતુ શું તમને ખબર છે કે તે તમારા ઇન્સ્યુલિનને કેવી રીતે અસર કરે છે. અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મુખ્ય કોચ બાસુ શંકરની આ પોસ્ટમાં તેમણે ચોખા, પાસ્તા અને નૂડલ્સ જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક પર લીંબુ નિચોવીને કેવી રીતે ગ્લાયસેમિક ઇન્ડેક્સને કંટ્રોલ કરી શકાય તે વિશે વાત કરી હતી.

કોચે કંઈક આવું કહ્યું છે,

તેમણે કહ્યું હતું કે, “તમારા સ્ટાર્ચયુક્ત ખોરાક પર એક ફ્રેશ લીંબુનો રસ નાખવાથી તમારા ઇન્સ્યુલિન રોલર કોસ્ટરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.”

શા માટે?શંકરે કહ્યું હતું કે, “લીંબુ પ્રકૃતિમાં એસિડિક હોવાથી, તે ગ્લાયકેમિક ઇન્ડેક્સને મોટા પ્રમાણમાં ઘટાડે છે.”

નોંધપાત્ર રીતે, ગ્લાયકેમિક ઇન્ડેક્સ અમુક ખોરાક ખાધા પછી બ્લડ સુગરના સ્તરનો પ્રતિભાવ સમય સૂચવે છે. રજિસ્ટર્ડ ડાયેટિશિયન ગરિમા ગોયલે જણાવ્યું હતું કે, “તેનું માપ 0-100 ના સ્કેલના આધારે કરવામાં આવે છે, જેમાં 100 શુદ્ધ ગ્લુકોઝ છે. ખોરાકનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ છે, બ્લડ સુગરમાં વધારો વધુ છે.”

આ પણ વાંચો: Cyclone Biparjoy : સાઈક્લોન બિપરજોયને લઈને નિષ્ણાતોએ સલામત રહેવા માટે આ આરોગ્યને લગતા પગલાં શેર કર્યા

શું તે ખરેખર મદદ કરે છે?

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ઉષાકિરણ સિસોદિયાએ જણાવ્યું હતું કે નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક વધુ ધીમેથી પચાય છે અને શોષાય છે, જેના કારણે લોહીમાં શર્કરાના સ્તરમાં ધીમો અને નાનો વધારો થાય છે. ગોયલે કહ્યું હતું કે, “ક્રિયાની પદ્ધતિ એ છે કે જ્યારે પણ કોઈપણ ભોજનનું pH ઓછું કરવામાં આવે છે, ત્યાં લાળ આલ્ફા-એમાઈલેસ એન્ઝાઇમનું અકાળ અવરોધ છે જે સ્ટાર્ચનું પાચન ધીમું કરે છે. આ તેની વિટામિન સી સામગ્રી અને આવા સાઇટ્રસ ફળોમાં દ્રાવ્ય ફાઇબરની હાજરીને આભારી છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે લીંબુને સુપરફૂડ ગણવામાં આવે છે.”

ગ્લાયકેમિક ઇન્ડેક્સ પર લીંબુના રસની ચોક્કસ અસર અંગે કોઈ ચોક્કસ અભ્યાસ થયો નથી તેની નોંધ લેતા , સિસોદિયાએ ઉલ્લેખ કર્યો કે સૈદ્ધાંતિક રીતે, શક્ય છે કે લીંબુના રસની એસિડિક પ્રકૃતિ કાર્બોહાઇડ્રેટ્સના પાચનને ધીમું કરી શકે છે, અને તેથી, સંભવિત રીતે ભોજનના એકંદર ગ્લાયકેમિક પ્રતિભાવને ઘટાડે છે. સિસોદિયાએ indianexpress.com ને કહ્યું હતું કે, “જો કે, અસર નાની હોઈ શકે છે અને આ સંભવિત લાભની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.”

ગોયલે ઉમેર્યું હતું કે, બીજી શક્યતા એ છે કે લીંબુના રસમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે ટાઈપ 2 ડાયાબિટીસના વિકાસ સામે રક્ષણમાં મદદ કરે છે.

તો, તમે તમારા આહારમાં લીંબુનો રસ કેવી રીતે ઉમેરી શકો?

તમારા સલાડમાં હંમેશા લીંબુનો રસ ઉમેરો, પછી ભલે તેનાં ઘટકો ગમે તે હોય. ગોયલે જણાવ્યું હતું કે, “તે માત્ર સ્વાદને વધારશે જ નહીં, પરંતુ ચરબી ઘટાડનાર તરીકે કામ કરીને અને વજન ઘટાડવામાં પણ મદદ કરીને શરીરના ચયાપચયને પણ વધારશે.”

આ પણ વાંચો: Weight Loss Tips : આ 7 હેલ્થી બ્રેકફાસ્ટ, જે અંશુલા કપૂરની ડાયટ પેટર્નનો ભાગ છે, વેઇટ લોસ કરવામાં તમને થશે મદદગાર

શું ધ્યાન રાખવું?

ગોયલે કહ્યું હતું કે, “તેનું વધુ પડતું સેવન કરશો નહીં કારણ કે લીંબુ પ્રકૃતિમાં એસિડિક છે અને તે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.”

એ નોંધવું અગત્યનું છે કે સંતુલિત આહાર અને એકંદર ખાવાની રીતો બ્લડ સુગરના કંટ્રોલમાં ઘણી મોટી ભૂમિકા ભજવે છે . સિસોદિયાએ ઉમેર્યું હતું કે, “બ્લડ સુગરના સ્તરને ઘટાડવાની અસરકારક રીતો વિશે વધુ જાણવા માટે તમારા ન્યુટ્રિશનિસ્ટ અને એન્ડોક્રિનોલોજિસ્ટ સાથે સંપર્ક કરવો જરૂરી છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ