Magnesium : મેગ્નેશિયમ ઉણપથી શરીરમાં ઘણી સમસ્યા થાય, આ ખોરાક મેગ્નેશિયમનો સારો સ્ત્રોત

Magnesium Rich Foods | શરીરમાં મેગ્નેશિયમ ઉણપને કારણે ઉબકા અને ઉલ્ટી, ભૂખ ન લાગવી, થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ અને ઊંઘમાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. મેગ્નેશિયમ ઉણપમાં મેગ્નેશિયમ રિચ ફૂડનું સેવન કરો.

Magnesium Rich Foods | શરીરમાં મેગ્નેશિયમ ઉણપને કારણે ઉબકા અને ઉલ્ટી, ભૂખ ન લાગવી, થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ અને ઊંઘમાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. મેગ્નેશિયમ ઉણપમાં મેગ્નેશિયમ રિચ ફૂડનું સેવન કરો.

author-image
shivani chauhan
New Update
Magnesium rich food

મેગ્નેશિયમ ઉણપથી શરીરમાં ઘણી સમસ્યા થાય, આ ખોરાક મેગ્નેશિયમનો સારો સ્ત્રોત

Magnesium : મેગ્નેશિયમ (Magnesium) એ એક આવશ્યક ખનિજ છે, જે આપણા શરીર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. આમાં સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમના કાર્યથી લઈને હૃદયની તંદુરસ્તી અને હાડકાંને મજબૂત કરવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતાં મોટાભાગના લોકો તેની જરૂરિયાતને સમજી શકતા નથી.

Advertisment

શરીરમાં મેગ્નેશિયમની ઉણપને કારણે ઉબકા અને ઉલ્ટી, ભૂખ ન લાગવી, થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ અને ઊંઘમાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. તેમને તાત્કાલિક નિયંત્રણમાં રાખવું જરૂરી છે, નહીં તો લાંબા ગાળે તેનાથી હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ, ઑસ્ટિયોપોરોસિસ, ક્રોનિક માઈગ્રેન જેવી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, મેગ્નેશિયમની ઉણપથી બચવા માટે આ 5 ખોરાકને આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો: કેળાને તાજા રાખવા માટે સરળ ટિપ્સ અનુસરો, કાળા અને નરમ નહિ પડે

મેગ્નેશિયમ રિચ ફૂડ (Magnesium rich food)

દાળ

ચણા, મગ અને દાળ જેવા કઠોળ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. આને દાળ, સૂપ અથવા સલાડ જેવી વિવિધ વાનગીઓમાં ઉમેરી શકાય છે. કઠોળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

Advertisment

એવોકાડો

એવોકાડો મેગ્નેશિયમ તેમજ તંદુરસ્ત ચરબીનો સારો સ્ત્રોત છે. તેનું સેવન સલાડ કે સેન્ડવીચમાં કરી શકાય છે.

દહીં

દહીં માત્ર કેલ્શિયમનો સારો સ્ત્રોત નથી, પરંતુ તેમાં મેગ્નેશિયમ પણ હોય છે. તેને નાસ્તામાં ફળો સાથે અથવા બપોરના ભોજનમાં રાયતા તરીકે ખાઈ શકાય છે. દહીંમાં પ્રોટીન અને પ્રોબાયોટીક્સ પણ હોય છે, જે પાચન માટે ફાયદાકારક હોય છે અને વેઇટ લોસમાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: Diabetes Diet Sadabahar Flower | ડાયાબિટીસના દર્દી માટે સદાબહાર ફૂલ રામબાણ ઉપાય

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, મેથી અને સરસવ, મેગ્નેશિયમના ઉત્તમ સ્ત્રોત છે. તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. તે સલાડ અથવા શાકભાજી તરીકે ખાઈ શકાય છે.

બદામ અને બીજ

બદામ, કાજુ અને કોળાના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. તમે મુઠ્ઠીભર બદામ અથવા બીજનું સેવન કરીને જરૂરી મેગ્નેશિયમ મેળવી શકો છો.

જીવનશૈલી health tips