Mahashivratri Bhog Thali: મહાશિવરાત્રી ભોગ થાળી સ્પેશિયલ મખાના નાળિયેર ખીર, નોંધી લો રેસીપી

Mahashivratri 2025 : મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે અને શિવભક્તો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. શિવ ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને માત્ર ફળો જ ખાય છે. અહીં ઉપવાસમાં ખવાતી મખાના નાળિયેર ખીરની રેસીપી જણાવી રહ્યા છીએ

Mahashivratri 2025 : મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે અને શિવભક્તો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. શિવ ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને માત્ર ફળો જ ખાય છે. અહીં ઉપવાસમાં ખવાતી મખાના નાળિયેર ખીરની રેસીપી જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Makhana Coconut Kheer, Mahashivratri 2025

મખાના નાળિયેર ખીરની રેસીપી ઉપવાસમાં ખાઇ શકો છો (તસવીર - ફ્રીપિક)

Mahashivratri bhog thali: મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે અને શિવભક્તો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. શિવ ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને માત્ર ફળો જ ખાય છે. અહીં આપેલી મખાના નાળિયર ખીર રેસીપી જાણી ભગવાન શિવ માટેની ભોગ થાળીને સ્પેશિયલ બનાવો.

Advertisment

આ અવસરે લોકોના ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ખાવામાં આવે છે. લોકો માલપુઆ બનાવે છે, ભગવાન શિવ માટે ખીર બનાવે છે. ભોગમાં આ ખીર ચઢાવ્યા બાદ ભક્તો પોતે પણ તેને ખાય છે. વાત એમ છે કે આ ખીરમાં અનાજ નથી એટલે જે લોકો ફળ ખાય છે તે પણ ખાઈ શકે છે. જાણો તેની રેસીપી.

મખાના નાળિયેર ખીરની રેસીપી સામગ્રી

  • મખાના
  • ખમણેલું કાચું નાળિયેર
  • ખાંડ
  • ઘી
  • કેસર
  • દૂધ
  • કાજુ, બદામ અને કિસમિસ.

મખાના નાળિયેર ખીર કેવી રીતે બનાવવી

  • મખાના નાળિયેર ખીર બનાવવા માટે તમારે સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી નાખીને મખાના નાખીને તળવાનું છે.
  • પછી આ મખાનાને પીસી લો.
  • હવે કાચા નારિયેળને છીણી લો.
  • ત્યારબાદ એક વાસણમાં દૂધ ઉમેરો અને પછી તેમાં મખાના નાખીને સારી રીતે રાંધો.
  • તેમાં ખમણેલું નાળિયેર ઉમેરો.
  • દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને સારી રીતે રાંધો.
  • હવે એક પેન લો અને તેમાં ઘી ઉમેરો. ઘી નાખ્યા પછી તેમાં ખાંડ નાખીને થોડું પાણી નાખીને સારી રીતે ઓગાળી લો જેમ ખાંડની ચાસણી બને છે.
  • હવે ખીર ઘટ્ટ થઇ જાય એટલે તેમાં આ ખાંડની ચાસણી ઉમેરો.
  • ઈલાયચીને ક્રશ કરીને પાવડર બનાવો અને પછી ખીરમાં મિક્સ કરો.
  • સારી રીતે રાંધ્યા પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
  • હવે તેમાં કેસર નાખી ખીરને પકાવીને ભોગ માટે સર્વ કરો.

આ પણ વાંચો - ભ્રામરી પ્રાણાયામથી કરો દિવસની શરુઆત, તણાવ દિવસભર રહેશે દૂર

Advertisment

આ ખીર ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે

આ ખીરની ખાસ વાત એ છે કે તે ફાઇબર અને પ્રોટીનનું મિશ્રણ છે. તમે તેને માત્ર ભગવાનને જ અર્પણ કરી શકતા નથી, પરંતુ જે લોકો આ ઉપવાસમાં ફક્ત ફળો ખાઇને રહેશે તેઓ પણ તેને ખાઈ શકે છે.

આ મહાશિવરાત્રી પર તમારે આ ખીર બનાવીને ખાવી જ જોઇએ. તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને તેને ખાધા પછી તમને આ ખીરને વારંવાર બનાવવાનું ગમશે.આ ખીર બનાવવા માટે તમે મખાના ઉપરાંત અન્ય ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો.

રેસીપી મહાશિવરાત્રી જીવનશૈલી