/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/matka-Water-.jpg)
માટલાનું પાણી પીવાથી થાય અઢળક ફાયદા, જાણો
Summer Special : ઉનાળા (summer) ની અસહ્ય ગરમી રાજ્યભરમાં વર્તાઈ રહી છે. ગરમીની સીઝનમાં બોડીને ઠંડક આપવા ઠંડુ પાણી પીવાય છે. મોટાભાગના ઘરોમાં ફ્રીજનું ચિલ્ડ પાણી પીવાય છે. ફ્રીજના પાણીથી વારંવાર તરસ લાગે છે અને તરસ છિપાતી નથી. પરંતુ માટલુંનું પાણી ઉનાળા દરમિયાન અત્યંત શીતળતા આપે છે. વર્ષોથી જયારે ફ્રીજ ન હતા ત્યારે પાણીને ઠંડુ રાખવા માટે માટલામાં સંગ્રહિત કરવામાં આવતું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Matka-Water-Benefits-.jpg)
હજુ ઘણા પરિવારો પીવાના પાણીને ઠંડુ રાખવા માટે માટલાનો ઉપયોગ કરે છે. આ પાણીનો સ્વાદ તદ્દન અલગ અને તમારી તરસ છીપાવે છે, પરંતુ શું તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે? ઇન્સ્ટાગ્રામ પર ન્યુટ્રિશનિસ્ટ રશ્મિ મિશ્રાની એક પોસ્ટ રસપ્રદ છે જેમાં આવું સૂચવવામાં આવ્યું હતું,
માટલાના સૌથી મહત્વપૂર્ણ ફાયદાઓમાંનો એક એ છે કે તે કુદરતી ઠંડક ગુણધર્મો ધરાવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર "માટીના વાસણો છિદ્રાળુ પ્રકૃતિ ધરાવે છે જે પાણીને સપાટી પરથી બાષ્પીભવન કરવામાં મદદ કરે છે, કુદરતી રીતે પાણીને અંદરથી ઠંડુ કરે છે.''
આ પણ વાંચો: Summer Special : દરરોજ નાસ્તામાં કેરી ખાવાથી શરીર પર શું અસર થાય?
માટલાનું પાણી પીવાથી પાચનમાં સુધાર થાય?
માટલાનું પાણી ઓરડાના તાપમાને હોય છે અને કુદરતી રીતે ઠંડુ થાય છે તેથી તે પાણી પીવાથી પાચનમાં મદદ મળી શકે છે, અત્યંત ઠંડુ પાણી રક્ત વાહિનીઓને કડક કરી શકે છે અને પાચનમાં અવરોધ લાવી શકે છે, જ્યારે માટલાનું પાણી, હળવું ઠંડુ હોવાથી, પાચન તંત્ર પર માઈલ્ડ હોય છે અને તંદુરસ્ત પાચન પ્રક્રિયાને જાળવવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત માટલાના પાણીમાં થોડા આલ્કલાઇનની પ્રકૃતિ હોવાનું માનવામાં આવે છે, જે શરીરના pH લેવલને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે, જે એસિડિટીને ઘટાડે છે અને પાચન સુધારવામાં પણ ફાળો આપી શકે છે. ઓરડાના તાપમાને રહેલ હળવું ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ લેવલ વધારે છે. રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે, જ્યારે માટલાનું પાણી મેટાબોલિઝમ લેવલ જાળવવામાં મદદ કરે છે.
આ ઉપરાંત ફ્રિજમાં મુકવામાં આવતી પાણીની બોટલ પ્લાસ્ટિક હોય છે. પ્લાસ્ટિક અથવા ધાતુના કન્ટેનરને બદલે માટીના વાસણનો ઉપયોગ કરવાથી પર્યાવરણને મદદ મળે છે. માટલામાંથી પાણી પીવાના ફાયદા હોવા છતાં, તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે તે "પરંપરાગત માન્યતાઓ" હોઈ શકે છે.
એક્સપર્ટે કહ્યું, આ દાવાઓને સીધા સમર્થન આપતા મર્યાદિત વૈજ્ઞાનિક પુરાવા છે. પરંતુ માટીના વાસણમાંથી પાણીનો સુખદ સ્વાદ હાઇડ્રેશનને પ્રોત્સાહન આપે છે અને આરોગ્ય માટે પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે, જે આડકતરી રીતે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે અને બ્લડ પ્રેશરના નિયમન પર હળવી અસર કરી શકે છે.
આ પણ વાંચો: સોહા અલી ખાન ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાય છે? શું તે યોગ્ય છે?
મટકાના પાણીને કુદરતી રીતે ફિલ્ટર કરવામાં આવતું હોવાથી તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણો હોવાનું માનવામાં આવે છે. ઓક્સિડેટીવ તાણ સામે લડવા અને ક્રોનિક રોગોના જોખમને ઘટાડવા માટે એન્ટીઑકિસડન્ટ આવશ્યક છે. જો કે, ડોકટરો વિનંતી કરે છે કે માટલાનું પાણી પર આધાર રાખવાને બદલે લાઇફસ્ટાઇલ ફેરફારો દ્વારા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને અસરકારક રીતે સંચાલિત કરવું મહત્વપૂર્ણ છે. સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી સારવાર માટે ડૉક્ટરોની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us