આ 5 ઔષધીય પ્લાન્ટ ઘરે જરૂર લગાવો, દવા જેવું કરે છે કામ

Top 5 Medicinal Plants : ઘણા લોકોને ઘરે ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે. કેટલાક લોકો તેમના ઘરની બાલ્કની અને ટેરેસ પર કુંડાવાળા છોડ રોપે છે. મની પ્લાન્ટથી લઇને અલગ-અલગ છોડ વાવે છે

Top 5 Medicinal Plants : ઘણા લોકોને ઘરે ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે. કેટલાક લોકો તેમના ઘરની બાલ્કની અને ટેરેસ પર કુંડાવાળા છોડ રોપે છે. મની પ્લાન્ટથી લઇને અલગ-અલગ છોડ વાવે છે

author-image
Ashish Goyal
New Update
tulsi plant

કેટલાક લોકો તેમના ઘરની બાલ્કની અને ટેરેસ પર કુંડાવાળા છોડ રોપે છે

Top 5 Medicinal Plants :  ઘણા લોકોને ઘરે ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે. કેટલાક લોકો તેમના ઘરની બાલ્કની અને ટેરેસ પર કુંડાવાળા છોડ રોપે છે. મની પ્લાન્ટથી લઇને અલગ-અલગ છોડ વાવે છે. છોડ વાવવા એ ઘણું સારું છે, તેમ છતાં ઘણા છોડ છે એવા હોય જે દવાનું કામ કરે છે. જો તમે પણ આ છોડને ઘરમાં જ ઉગાડવા માંગો છો તો અમે તમારા માટે કેટલાક છોડ લાવ્યા છીએ, જેને તમે તમારા ઘરે સરળતાથી ઉગાડી શકો છો.

Advertisment

 તુલસીનો છોડ

આયુર્વેદમાં તુલસીને ઔષધિ તરીકે વર્ણવવામાં આવી છે. તેને ઘરે લગાવવાથી સારી સુગંધ આવે છે, જે સમગ્ર વાતાવરણને ખુશનુમા બનાવે છે. તુલસીમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે, જે શરીરને ચેપથી બચાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એલોવેરા પ્લાન્ટ 

તમારે તમારા ઘરના બગીચામાં એલોવેરા પ્લાન્ટ લગાવવો જ જોઇએ. આયુર્વેદમાં આ છોડને ઔષધીય છોડનો રાજા કહેવામાં આવે છે. તમે ઘરે પણ ઘણી દવાઓ બનાવવા માટે આ છોડનો ઉપયોગ કરી શકો છો. તે સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ઘણું સારું છે. તેના ઉપયોગથી પાચન પણ ઘણું સારું રહે છે. એલોવેરા જ્યૂસ પીવાથી ઈમ્યુનિટી વધે છે અને વજન કંટ્રોલમાં રહે છે.

સરગવાનો પ્લાન્ટ

ડ્રમસ્ટિકનો છોડ, જેને મુનદા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમારા ઘરે લગાવી શકાય છે. તેને લગાવવાથી તમને ઘણા ફાયદા મળશે. તેના પાંદડા, ફૂલો અને ફળો ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનમાં સુધારો કરે છે. ડ્રમસ્ટિક છોડમાં પણ ઘણા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે.

Advertisment

આ પણ વાંચો - ફૂલોથી ઘરે જ બનાવો નેચરલી અગરબત્તી, આખું ઘર સુગંધથી મહેંકી ઉઠશે

અપરાજિતા

અપરાજિતાના છોડમાં ઘણા ઔષધીય ગુણો છે, જે ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે. તેને ઘરે લગાવવાથી માનસિક શાંતિ પણ મળે છે. તેના ફૂલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેના ફૂલોમાંથી ચા બનાવી શકાય છે. સાથે જ તેના ફૂલનો ઉપયોગ ત્વચા અને વાળ ઉપર પણ કરી શકાય છે. સાથે જ ધાર્મિક દ્રષ્ટિએ પણ આ છોડને શુભ માનવામાં આવે છે.

ફુદીનાનો પ્લાન્ટ

ઘરમાં ફુદીનાનો છોડ વાવવો વધુ સારું છે. તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે સ્વાસ્થ્યમાં મોટા પ્રમાણમાં સુધારો કરે છે. તેનો ઉપયોગ ચા, સલાડ અને વિવિધ પીણામાં પણ થાય છે. તે ઘરના વાતાવરણને વધુ સારું રાખવામાં પણ મદદ કરે છે

જીવનશૈલી