New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/mint-leaves-Benefits-in-summer-.jpg)
ઉનાળામાં નાના લીલા પાંદડાનું કરો સેવન, શરીરને મળશે રાહત
ઉનાળાની (Summer) ઋતુમાં ગરમી પડે છે. આકરા તાપમાં એસી, કુલર પણ ઘણી વાર રાહત આપતા નથી, ત્યારે તમારે એવી વસ્તુની જરૂર હોય છે જે તમને અંદરથી ઠંડક આપે. આ રાહતની અનુભૂતિ મેળવવા માટે જો તમે ઇચ્છો તો કોલ્ડ ડ્રિંક પી શકો છો અથવા આઈસ્ક્રીમ ખાઈ શકો છો. પરંતુ તમને જે રાહતની જરૂર છે તે મળતી નથી. શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. ફક્ત થોડા ફુદીનાના પાન (Mint Leave) ખાઓ,
Advertisment
આ લીલા પાન પાંદડા દેખાવમાં ખૂબ નાના અને લીલા રંગના હોય છે અને ઉનાળા દરમિયાન શરીરને અંદરથી ઠંડક પ્રદાન કરે છે. એટલું જ નહીં તે તમને ઘણી બીમારીઓથી દૂર રાખવામાં પણ અસરકારક છે.
ફુદીનાના પાનના ફાયદા (Mint Leaves benefits)
- શરીરને ઠંડુ રહે : ઉનાળામાં શરીરને ઠંડુ રાખવામાં ફુદીનાના પાન ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરને ઠંડુ રાખે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે.
- રોગપ્રતિકારક શક્તિ વધે : આ લીલા પાંદડાઓમાં હાજર વિટામિન સી, વિટામિન એ અને અન્ય પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- કફનો ઉપાય : ફુદીનાના પાન કફ સાફ કરવામાં પણ અસરકારક છે. આ પાંદડા ચાવવાથી છાતીમાં જકડાઈ જવાની સમસ્યા ઓછી થાય છે. આ પાંદડા અસ્થમાથી પીડાતા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
- પાચનતંત્ર મજબૂત થાય : ફુદીનાના પાનમાં હાજર ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ કબજિયાત, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
- ત્વચા અને વાળ માટે ફાયદાકારક : ફુદીનામાં વિટામિન સી હોય છે, જે વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે. તેના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે, ત્વચાના ચેપ પણ ઓછા થાય છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે કોળા બીજનું સેવન કરવું જોઈએ કે નહિ?
ફુદીનાના પાનનું સેવન કરવાની સાચી રીત
- ફુદીના રાયતું : દહીંમાં ફુદીનો, શેકેલું જીરું, કાળું મીઠું અને કાકડી મિક્સ કરીને ઠંડુ રાયતું બનાવો. જમતી વખતે ઠંડક મેળવવાની આ એક સરસ રીત છે.
- ફુદીનાનું શરબત : ઉનાળામાં ફુદીનાનું શરબત તાજગી આપે છે. આ બનાવવા માટે, ફુદીનાના પાન, લીંબુ, ખાંડ, કાળું મીઠું અને ઠંડુ પાણી મિક્સ કરો. તેને ગાળી લો, બરફ ઉમેરો અને પીવા માટે પીરસો.
- ફુદીનાની ચા : થોડી હૂંફાળી ફુદીનાની ચા પાચનક્રિયામાં સુધારો કરે છે. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો, તેમાં લીંબુ અને મધ ઉમેરો અને ગરમ કે ઠંડુ પીવો.
- ફુદીના ચટણી : ટામેટાં, કોથમીર, લીલા મરચાં, લીંબુ અને ફુદીનો મિક્સ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવો. તેને પરાઠા, ચાટ કે નાસ્તા સાથે ખાઓ.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us