નવરાત્રી ઉપવાસ : સવારે નાસ્તામાં શું ખાવાથી દિવસભર રહેશે એનર્જી, નહીં લાગે ભૂખ

Navratri Upvas : નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા લોકો આ સમય દરમિયાન ઉપવાસ પણ કરે છે. ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું જોઈએ, જેથી દિવસભર ઉર્જા રહે

Navratri Upvas : નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા લોકો આ સમય દરમિયાન ઉપવાસ પણ કરે છે. ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું જોઈએ, જેથી દિવસભર ઉર્જા રહે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Navratri Upvas Breakfast, Navratri Upvas, Navratri

નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, ભક્તોએ તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે (તસવીર - ફ્રીપીક)

Navratri Upvas Breakfast, નવરાત્રી ઉપવાસ ફૂડ : નવરાત્રીનો પવિત્ર તહેવાર આજથી એટલે કે ગુરુવાર, 3 ઓક્ટોબરને શરૂ થઈ ગયો છે. નવરાત્રીમાં ભક્તો નવ દિવસ સુધી માના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા લોકો આ સમય દરમિયાન ઉપવાસ પણ કરે છે. ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, ભક્તોએ તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નવ દિવસ સુધી ભક્તોએ પણ અનેક નિયમોનું પાલન કરવું પડે છે.

Advertisment

ભક્તો કરે છે અનુષ્ઠાન

નવરાત્રીના નવ દિવસ સુધી ભક્તો ઉપવાસ રાખે છે તેમજ માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના અનુષ્ઠાન પણ કરે છે. સાથે જ નવરાત્રીના પાવન પર્વ પર ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું જોઈએ, જેથી દિવસભર ઉર્જા રહે. આજે અમે તમને આ વિશેની માહિતી આ લેખમાં જણાવીશું

ઉપવાસ દરમિયાન સવારે શું ખાવું?

નવરાત્રીના પહેલા દિવસે ઉપવાસ દરમિયાન તમે દહીંમાં નટ્સ નાખીને ખાઈ શકો છો. તેમાં વધુ પ્રોટીન અને ફાઇબર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરે છે. આ તમને દિવસભર ઉર્જાવાન રાખી શકે છે. ફાયબર ખાવાથી તમને આખો દિવસ પેટ ભરેલું હોય તેવું અનુભવ છો અને પ્રોટીન ખોરાકની તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેમજ આખો દિવસ તમને ઊર્જાવાન પણ રાખે છે.

આ પણ વાંચો - સાબુદાણા અસલી છે કે નકલી, આવી રીતે ઓળખો? ઉપવાસમાં ખાતા પહેલા જાણી લો

Advertisment

દહીંમાં નટ્સ અને ફળો ઉમેરવાથી તમને એકસાથે મોટી માત્રામાં કેલરી, પ્રોટીન અને ફાયબર મળશે, જેથી તમે આખો દિવસ ઊર્જાસભર અનુભવશો. આ સિવાય તમે દૂધ અને કેળા પણ ખાઈ શકો છો, તમે તેમાં લાઈટ ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

જીવનશૈલી navratri ધર્મ ભક્તિ