Neena Gupta Tomato Chutney Recipe In Gujarati | કોઈપણ ફૂડી વ્યક્તિને પૂછો, અને તેઓ ખાતરી કરશે કે વિવિધ સંસ્કૃતિઓની ચટણી કોઈપણ ભોજનમાં સ્વાદ ઉમેરે છે. તમારા ભોજનની સાથે થોડી ચટણી ભોજનનો સ્વાદ વધારે છે. તાજતેરમાં નીના ગુપ્તા (Neena Gupta) એ સ્વાદિષ્ટ ઓલ સીઝન ચટણી રેસીપી (all season chutney recipe) શેર કરી છે,
એકટ્રેસ નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર ફૂડ રેસિપી શેર કરતી રહે છે, તેણે હવે એક સ્વાદિષ્ટ, સરળતાથી બનાવી શકાય તેવી ટામેટા ચટણી રેસીપી (tomato chutney recipe) શેર કરી છે જેનો આનંદ આખું વર્ષ માણી શકાય છે. અહીં જાણો નીના ગુપ્તા સ્પેશિયલ ટામેટા ચટણી રેસીપી
નીના ગુપ્તા ટામેટા ચટણી રેસીપી
સામગ્રી
- 2 તાજા ટામેટાં
- 3-4 લીલા મરચાં
- 1-2 ચમચી તેલ
- 1 ચમચી છીણેલું આદુ,
- 3-4 ઝીણું સમારેલું લસણ
- મુઠ્ઠીભર કોથમીરના પાન
- સ્વાદ મુજબ મીઠું
નીના ગુપ્તા ટામેટા ચટણી બનાવાની રીત
- સૌ પ્રથમ ટામેટાં અને લીલા મરચાંને સારી રીતે ધોઈ લો.
- તેમને એકસાથે નરમ અને મુલાયમ થાય ત્યાં સુધી ઉકાળો.
- તેમને ઠંડુ થવા દો, પછી એક પ્યુરીમાં બનવો.
- મધ્યમ તાપ પર કડાઈમાં તેલ ગરમ કરો.
- છીણેલું આદુ અને વાટેલું લસણ ઉમેરો. સોનેરી અને સુગંધિત થાય ત્યાં સુધી સાંતળો.
- ટામેટા-મરચાંની પ્યુરી નાખીને સારી રીતે મિક્સ કરો.
- મીઠું અને સમારેલી કોથમીર ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
- ગેસ બંધ કરો અને તેને થોડું ઠંડુ થવા દો, તમારી ટામેટા ચટણી તૈયાર છે.
નીના ગુપ્તા ચટણી પર ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે?
ક્લિનિકલ ડાયેટિશિયન ખુશ્મા શાહના મતે, નીના ગુપ્તાની ચટણી, નિઃશંકપણે, આખું વર્ષ ખાવામાં આવે છે, પરંતુ તેમાં વિવિધ ઋતુઓમાં નાના ફેરફારોની જરૂર પડે છે. “આ ચટણીમાં કેલરી ઓછી હોય છે અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. હા, તે બધી ઋતુઓમાં ખાઈ શકાય છે, પરંતુ ઉનાળામાં જો તમને એસિડિટીની ભય હોય તો મરચાંનું પ્રમાણ મર્યાદિત કરો.”
ચોમાસા કે શિયાળા દરમિયાન આ ચટણી ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે: “આદુ, લસણ અને મરચાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે.” શાહ દરેક ભોજનમાં 1-2 ચમચી સર્વિંગ લેવાની ભલામણ કરે છે, જેથી વધુ પડતું સોડિયમ અથવા મસાલા ઉમેરવાનું ટાળી શકાય.

ફ્લાવર વટાણા શાક રેસીપી, શિયાળામાં કેમ ખાવું જોઈએ?
નીના ગુપ્તા ટામેટા ચટણી રોજ ખાઈ શકાય?
આનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. જોકે, શાહ તેમના રોજિંદા ભોજનમાં ગુપ્તાની ચટણી ઉમેરવા માંગતા લોકો માટે આ ટિપ્સની ભલામણ કરે છે:
- મધ્યમ મીઠું ઉમેરો અને ઓછી ખાઓ.
- કેટલાક લોકોને દરરોજ ટામેટાં અને મરચાં ખાધા પછી એસિડિટીનો અનુભવ થઈ શકે છે, ખાસ કરીને ખાલી પેટે. એસિડિટીને સંતુલિત કરવા માટે તેમાં એક ચપટી શેકેલું જીરું પાવડર ઉમેરો.
- મસાલા તમારા કમ્ફર્ટ પ્રમાણે ઉમેરી શકો છો.





