/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Right-Way-of-Brushing-.jpg)
શું બ્રશ કર્યા બાદ તરત કોગળા ન કરવા જોઈએ? ડેન્ટિસ્ટ શું કહે છે?
Oral Health : સામાન્ય રીતે બ્રશ કર્યા બાદ તરત કોગળા કરવામાં આવે છે. પરંતુ શું તે તમારા ડેન્ટલ હાઇજીન માટે સાચી પ્રેક્ટિસ છે? બ્રશ કર્યા પછી તરત કોગળા કરવાથી તમારા દાંતને કોઈ ફાયદો થતો નથી. જાણો ડેન્ટિસ્ટ શું કહે છે? ડેન્ટિસ્ટ ડૉ સારા અલહમ્માદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે, “ અમે કહીયે છીએ કે, તમારા દાંત સાફ કર્યા પછી કોગળા ન કરો." જાણો કેમ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Oral-Health.jpg)
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે, “આ અંગે બે વિચારસરણી છે. સામાન્ય માનસિકતા બ્રશ કર્યા પછી તરત જ કોગળા કરવાની છે. આની પાછળનું કારણ એ છે કે આપણે ફ્લોરાઈડ ગળી જવાનું નથી. કેટલીક ડેન્ટલ પ્રોડક્ટ્સ છે જેમાં ફલોરાઇડનું સ્તર સામાન્ય રીતે દૈનિક ઇન્જેશન માટે ભલામણ કરવામાં આવે છે તેનાથી વધુ હોય છે.”
આ પણ વાંચો: Summer Special : માટલાનું પાણી પીવાથી થાય અઢળક ફાયદા, જાણો
દાંત સાફ કર્યા પછી પાણીથી કોગળા કરવા જોઈએ કે કેમ તે અંગે કોઈ સર્વસંમતિ નથી, પરંતુ કોગળા ન કરવાથી દાંતમાં સડો થવાની શક્યતા ઘટે છે. તેથી તે થુંકી નાખવું નહિ કે કોગળા કરવા.
બ્રશ કર્યા પછી ટૂથપેસ્ટ મોઢામાં રાખવાથી દાંતને કેવી રીતે ફાયદો થાય છે?
બ્રશ કર્યા પછી દાંત પર ટૂથપેસ્ટ રાખવાથી આપણા દાંતના સ્વાસ્થ્યને ફાયદો થઇ શકે છે. ટૂથપેસ્ટમાં રહેલ ફ્લોરાઇડ આપણા દાંત પર લાંબા સમય સુધી રહેવાથી દાંતનો સડોને અટકાવશે. સેન્સિટિવિટીના કિસ્સામાં, તે ચાલુ રાખવાથી ટૂથપેસ્ટમાંના આયનોને ટ્યુબ્યુલ્સને વધુ સારી રીતે બંધ કરવામાં મદદ મળશે, જે સેન્સિટિવિટીને ઝડપી ઘટાડવામાં મદદ કરે છે.
તમારે બ્રશ કર્યા પછી વધારાની ટૂથપેસ્ટને થૂંકવી જોઈએ અને કોગળા ન કરવા જોઈએ કારણ કે તે બાકીની ટૂથપેસ્ટમાં કેન્દ્રિત ફ્લોરાઈડને ધોઈ નાખશે. રિન્સિંગ તેને પાતળું કરે છે અને તેની નિવારક અસરો ઘટાડે છે. એ હકીકતને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ છે કે બ્રશ કર્યા પછી તરત જ કોગળા કરવા તમારા ઓરલ હેલ્થ માટે સારું નથી.
આ પણ વાંચો: Summer Tips: ઉનાળામાં ટાંકીનું પાણી રહેશે બફર જેવું ઠંડુ, તપતી ગરમીમાં કરો આ 3 જુગાડ
જ્યારે તમે બ્રશ કર્યા બાદ કોગળા કરતા નથી તો ટૂથપેસ્ટનું ફ્લોરાઈડ તેમના પર લાંબા સમય સુધી રહે છે, જે તેમને સડો અને સેન્સિટિવિટી સામે રક્ષણ આપે છે. પેઢાના રોગના કિસ્સામાં અવરોધથી બચાવે છે જે સુક્ષ્મસજીવો સામે રક્ષણ આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us