ચા કઇ ઉંમરે પીવાથી ઝેર જેવી અસર થાય છે? પ્રેમાનંદ મહારાજ પાસેથી ચા પીવાની યોગ્ય ઉંમર જાણો

Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે એક સત્સંગમાં કહ્યું છે કે, ચા નું સેવન એક ખરાબ આદત છે. આ ટેવ શરીર અને મન બંનેને અસંતુલિત કરે છે.

Written by Ajay Saroya
Updated : June 20, 2025 14:53 IST
ચા કઇ ઉંમરે પીવાથી ઝેર જેવી અસર થાય છે? પ્રેમાનંદ મહારાજ પાસેથી ચા પીવાની યોગ્ય ઉંમર જાણો
Premanand Maharaj Say About Right Age To Drink Tea : પ્રેમાનંદ મહારાજે ચા પીવાની યોગ્ય ઉંમર વિશે જાણકારી આપી છે. (Photo: Canva)

Premanand Maharaj Satsang Video: ચા એ આપણા ભારતીયોનો નાસ્તો છે. સવારે ઉઠતાની સાથે જ પથારીમાં ચા પીવે છે, જમ્યા પછી ચા પીવાની આદત, કામથી કંટાળો આવે તો થાક દૂર કરવા માટે ચા પીવાય છે. ચા એ ભારતીય લોકોનું મનોરંજન પીણું છે જે દરેક ઉંમરના લોકો પીવાનું પસંદ કરે છે. ચા ક્યારેક થાક દૂર કરે છે તો ક્યારેક શરીરને એનર્જી આપે છે. આપણે ચાનું સેવન ગ્રીન ટી, બ્લેક ટીના રૂપમાં અને પરંપરાગત દૂધની ચા બનાવી કરીએ છીએ. ચા પાચનમાં સુધારો કરે છે, શરીરમાં એનર્જી વધારે છે અને સજાગતા વધારે છે. તુલસી અને આદુ વાળી હર્બલ ચા પાચનમાં સુધારો કરે છે અને થાકને દૂર કરે છે. વજન ઘટાડે છે. ચામાં કેફીન હોય છે, જેનું મર્યાદિત પ્રમાણમાં સેવન જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.

તમે જાણો છો કે ચા દરેક ઉંમરના લોકો માટે બનાવવામાં આવતી નથી, ખાસ કરીને બાળકો માટે. જો અમુક ઉંમર પછી ચા પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. બાળકો માટે ચાનું સેવન સ્વાસ્થ્ય માટે ઘાતક બની શકે છે. ચામાં રહેલું કેફીન બાળકોના મગજના વિકાસ, ઊંઘ અને પાચન પર નકારાત્મક અસર કરી શકે છે. જો ગર્ભવતી મહિલા ચાનું સેવન કરે છે તો તેનાથી પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

પ્રેમાનંદ મહારાજે એક સત્સંગમાં કહ્યું છે કે ચાનું સેવન એક બગડતી આદત છે. આ ટેવ શરીર અને મન બંનેને અસંતુલિત કરે છે. મહારાજે કહ્યું કે, આજકાલ લોકો ઘરમાં બાળકોને ચા આપે છે. જ્યારે ચા બધા માટે નથી બની નથી, ખાસ કરીને બાળકોએ ચા બિલકુલ ન પીવી જોઈએ. પ્રેમાનંદ મહારાજે ચા પીવા માટે ખાસ ઉંમર આપી છે. આવો જાણીએ કઈ ઉંમરે ચા પીવી જોઈએ અને કેટલી પીવું જોઈએ.

Premanand Ji Maharaj Updesh | Premanand Ji Maharaj Photo | Premanand Ji Maharaj Pravachan | Premanand Ji Maharaj video
Premanand Ji Maharaj Updesh: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. (Photo: Social Media)

બાળકો એ ચા કેમ ન પીવી જોઇએ?

વેબએમડી અનુસાર, કેટલીક ચા જેવી કે બ્લેક ટી અને ગ્રીન ટીમાં કેફીન હોય છે. કેફીન એક ઉત્તેજક પદાર્થ છે, જેનો અર્થ એ છે કે જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે તમને ઊર્જા મળે છે. ચા બાળકો અને પુખ્ત વયના લોકો પર એકસરખી અસર કરે છે. કેફીનની થોડી માત્રા તમને વધુ સતર્ક બનાવી શકે છે, પરંતુ વધુ પડતું કેફીનનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

બાળકો નાના હોય છે, તેથી ઓછી માત્રામાં પણ કેફીનનું સેવન કરવાથી તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. જો બાળકો ચાનું સેવન કરે છે, તો તેઓ નર્વસ થઈ શકે છે. તેમના શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળી શકે છે જેમ કે પેટમાં ગરબડ, ઊલટી થવી, માથાનો દુખાવો, એકાગ્રતામાં મુશ્કેલી, ઊંઘવામાં તકલીફ, હૃદયના ધબકારા ઝડપી અને હાઈ બ્લડપ્રેશર.

ચામાં રહેલું કેફીન મૂત્રવર્ધક પદાર્થ છે, જે એક એવું રસાયણ છે જેનું સેવન કરવાથી વારંવાર પેશાબ લાગે છે. આનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કેફીન બનેલું નથી.

આ પણ વાંચો | વ્યક્તિનું અકાળ મૃત્યુ કેમ થાય છે, જાણો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું

તમારે કઈ ઉંમરે ચા પીવી જોઈએ?

ઉંમરચાનું સેવનસલાહ
0–12ન કરવું જોઈએસંપૂર્ણ ટાળવું
13–17મર્યાદા પ્રમાણમાં કરવું જોઈએક્યારેક ક્યારેક
18–60કરી શકે છે1-2 કપ સંતુલિત પ્રમાણમાં
60થી વધુમર્યાદિત પ્રમાણમાં સેવન કરવુંહર્બલ કે સાદી ચા

પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, ચાનું સેવન કરવું હોય તો 40 વર્ષની ઉંમર પછી કરો. આ ઉંમરે ચાનું મર્યાદિત સેવન આપણા શરીરને ઉર્જા આપે છે. જો તમે આ ઉંમરે ચા પીશો તો શરીરને કુદરતી રીતે ચપળતા મળશે અને તમારો થાક અને નબળાઇ પણ નિયંત્રિત થશે. દરેક ઉંમરના લોકો ચાનું સેવન કરે તે જરૂરી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ