પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી

Processed food : પ્રોસેસ્ડ ફૂડ (Processed food) આંતરડામાં ખરાબ બેક્ટેરિયાને વધારે છે. આ ગટ સિન્ડ્રોમ સ્થિતિનું કારણ બની શકે છે

Processed food : પ્રોસેસ્ડ ફૂડ (Processed food) આંતરડામાં ખરાબ બેક્ટેરિયાને વધારે છે. આ ગટ સિન્ડ્રોમ સ્થિતિનું કારણ બની શકે છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Apart from being easy to digest and savoury due to added flavours, highly processed food is addictive because of the way it affects our brain.

ઉમેરવામાં આવેલા સ્વાદોને કારણે પચવામાં સરળ અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, અત્યંત પ્રોસેસ્ડ ફૂડ વ્યસનકારક છે કારણ કે તે આપણા મગજને જે રીતે અસર કરે છે.

Lifestyle Desk :તેમાં કોઈ ના નથી કે આપણામાંના મોટા ભાગનાને ચિપ્સ અને ફ્રાઈસ ખાવાનું પસંદ છે અને ઘણીવાર પિઝા અથવા બર્ગર પર ઓર્ડર કરીએ છીએ.પરંતુ, જંક ફૂડ પ્રત્યેના આપણા પ્રેમથી આંધળા થઈને, આપણે પ્રોસેસ્ડ ફૂડના સેવનની હાનિકારક અસરો વિશે સરળતાથી ભૂલી જઈએ છીએ.

Advertisment

પરંતુ, આ આદતને છોડવામાં તમારી મદદ કરવા માટે, ડૉ. વિશાકા શિવદાસાનીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સમજાવ્યું કે જ્યારે આપણે પેકેજ્ડ અને ખૂબ પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ ત્યારે 'ખરેખર' શું થાય છે. "ક્યારેય તમારી જાતને 'હું ખાવા માટે જીવું છું' અથવા 'હું કાર્બોહાઇડ્રેટ જંકી છું' એમ કહ્યું છે? આ ખોરાક કે જેના માટે તમે 'જીવ છો', તે તાત્કાલિક પ્રસન્નતા સિવાય બીજું કંઈ જ નથી આપતા. જ્યારે તમે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ છો, ત્યારે તે તમારા બોડીમાં બ્લડ સુગરમાં વધારો કરે છે. સ્વાદિષ્ટ પ્રોસેસ્ડ ફૂડ પણ આખરે તમારા શરીરમાં સુગર વધારે છે.

પરંતુ, તેની અસરો જાણતા પહેલા,ચાલો સમજીએ કે પ્રોસેસ્ડ ફૂડ શું છે.

પ્રોસેસ્ડ ફૂડ શું છે?

ડૉ. શિવદાસાનીના મતે, પ્રોસેસ્ડ ફૂડએ " કોઈપણ વસ્તુ જેમ કે ટીન,કેન અથવા બોટલમાં હોઈ છે અને તેની સેલ્ફ લાઈફ વધારે છે." ડૉ. નિખિલ કુલકર્ણી, કન્સલ્ટન્ટ-ઇન્ટરનલ મેડિસિન, એસએલ રાહેજા હોસ્પિટલ, માહિમ,ફોર્ટિસ એસોસિએટએ indianexpress.comને જણાવ્યું હતું કે કોઈપણ ખોરાક કે જે તેની કુદરતી સ્થિતિમાંથી બદલાઈ ગયો હોય (તેના ઓરિજિનલ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં હોઈ) તેને પ્રોસેસ્ડ ફૂડ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: Weight Loss: સવારના નાસ્તામાં 50થી ઓછી કેલરીવાળી આ સ્મૂધીનું કરો સેવન, બોડી ડીટોક્સ કરવમાં મદદગાર

Advertisment

“ચોક્કસ રીતે કહીએ તો, તે ખાદ્ય ચીજો કે જે ફક્ત કટ કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, રાંધવામાં આવે છે અને તેમાં સીઝનીંગ ઉમેરવામાં આવે છે તેને પ્રોસેસ્ડ ફૂડ કહી શકાય છે. જો કે, તે હાનિકારક હોય તે જરૂરી નથી. તે હાઈ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેમ કે, જ્યારે હળવા પ્રોસેસ્ડ ખોરાક તંદુરસ્ત આહારનો એક ભાગ હોઈ શકે છે, ત્યારે વધારે પ્રોસેસ્ડ ખોરાક આરોગ્યના વિવિધ જોખમો તરફ દોરી શકે છે, કારણ કે તેમાં વધારે મીઠું, ફેટ અને સુગર હોય છે."

પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ શરીર પર કેવી અસર કરે છે?

ડૉ. શિવદાસાનીએ પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી શરીરમાં શું થાય છે તે કહ્યું કે,

જ્યારે આપણે પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ, ત્યારે આપણને ઇન્સ્યુલિનનો વધારો થાય છે, જે ચરબીનો સ્ટોરેજ કરતું હોર્મોન છે, જે વજનમાં વધારો તરફ દોરી જાય છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઊંચું છે, તો તેને ભૂલી જાવ, એવું હોતું નથી,

જ્યારે તમારું વજન વધે છે, ત્યારે તમારી બોડીમાં વધારે ફેટ હોય છે, જેને એડિપોઝ કોષો કહેવાય છે - જે શરીરમાં ઇન્ફ્લેમેશનની સ્થિતિ બનાવી શકે છે. અમે જાણીએ છીએ કે ઇન્ફ્લેમેશન એ તમામ મેટાબોલિક રોગોનું મૂળ કારણ છે જે તમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, પ્રકાર 2 ડાયાબિટીસ અને સ્ટ્રોક માટે પણ પ્રેરિત કરે છે.

પ્રોસેસ્ડ ફૂડ આંતરડામાં ખરાબ બેક્ટેરિયાને વધારે છે. આ લીકી ગટ સિન્ડ્રોમ, ઓટો- રોગપ્રતિકારક સ્થિતિનું કારણ બની શકે છે અને તમારા શરીરવિજ્ઞાનને પણ બદલી શકે છે અને વ્યસનો બનાવી શકે છે.

ડૉ. કુલકર્ણીએ ઉમેર્યું હતું કે આવા ખોરાક તેમની પ્રાકૃતિક અવસ્થામાં હોય તે કરતાં આસાનીથી પચી જાય છે અને તેમની પાચન પ્રક્રિયા દરમિયાન શરીર દ્વારા અડધી કેલરી બળી જાય છે. “તેથી, તમારી પાસે વધુ સંગ્રહિત કેલરી છે અને અતિશય આહાર પર કંટ્રોલનો અભાવ છે કારણ કે તે સરળતાથી પચી જાય છે અને તે ડાયાબિટીસ અને સ્થૂળતાના રોગચાળામાં વધારો કરી શકે છે. આ, આગળ, હાયપરટેન્શન, લિપિડ ડિસઓર્ડર, હૃદય રોગ અને કેન્સર જેવા ક્રોનિક રોગોના પ્રસારમાં ફાળો આપે છે.”

આ પણ વાંચો: peanut butter:દરરોજ એક ચમચી પીનટ બટરનું સેવન કરવાથી થશે શિલ્પા શેટ્ટી જેવું ફિગર!! જાણો અહીં

પરંતુ શા માટે અત્યંત પ્રોસેસ્ડ ફૂડ આટલું વ્યસનકારક છે?

ઉમેરવામાં આવેલા સ્વાદોને કારણે પચવામાં સરળ અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, અત્યંત પ્રોસેસ્ડ ફૂડ વ્યસનકારક છે કારણ કે તે આપણા મગજને ગંભીર રીતે અસર કરે છે. ડૉ. સ્મૃતિ ઝુનઝુનવાલાએ, BHMS ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન શેર કર્યું હતું કે, “જ્યારે પણ આપણે 'જંક ફૂડ્સ' ખવડાવીએ છીએ, ત્યારે તે મગજમાં ડોપામાઇનને પ્રતિભાવ અસર કરે છે જે વ્યક્તિને ખુશ રાખવા માટે જવાબદાર છે અને કોઈપણ નકારાત્મકતાને ઘટાડે છે.

તેની પેથોલોજીકલ બાજુ એ છે કે શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ પચવામાં ખૂબ જ સરળ છે અને તેથી, શરીર તરત જ કાર્બોહાઇડ્રેટ્સને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે અને તેને સ્ટોર કરે છે, જેનાથી તમને લાગે છે કે તમે હજી સુધી કંઈપણ ખાધું નથી અને તમે ત્યાં સુધી ખાવાનું ચાલુ રાખો છો. તમે ભરપૂર અનુભવો છો, માત્ર પછીથી ખ્યાલ આવે છે કે તમારા શરીરને ખરેખર 'જંક' સિવાય બીજું કંઈ આપવામાં આવ્યું નથી."

તો, તમારે ક્યારેય પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું જોઈએ?

ડૉક્ટર શિવદાસાનીએ કહ્યું કે આ બધાનો અર્થ એ નથી કે તમે ક્યારેય વધુ પ્રોસેસ્ડ કે જંક ફૂડ ન ખાઈ શકો. 80 ટકા સ્વસ્થ અને 20 ટકા જંકનું સંતુલન જાળવવાનું સૂચન કરતાં તેમણે ઉમેર્યું કે, "જો સારા અને બિનપ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ તમે ખાતા જંક ફૂડ કરતાં વધારે હોય, તો તે તમારા શરીર માટે એટલું નુકશાનકારક નથી."

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips Express Exclusive