Prostate Cancer : ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2040 સુધીમાં બમણા થઈ શકે, કેન્સરના કારણો શું હોઈ શકે?

Prostate Cancer : લેન્સેટ કમિશનના રિપોર્ટ મુજબ, પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2020 માં પ્રતિ વર્ષ 1.4 મિલિયનથી બમણા થઈને 2040 સુધીમાં વિશ્વભરમાં 2.9 મિલિયન પ્રતિ વર્ષ થવાનો અંદાજ છે.

Prostate Cancer : લેન્સેટ કમિશનના રિપોર્ટ મુજબ, પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2020 માં પ્રતિ વર્ષ 1.4 મિલિયનથી બમણા થઈને 2040 સુધીમાં વિશ્વભરમાં 2.9 મિલિયન પ્રતિ વર્ષ થવાનો અંદાજ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Prostate Cancer cases in India symptoms in men prevention treatment health news

Prostate Cancer પ્રોસ્ટેટ કેન્સર કેસ ભારત લક્ષણો નિવારણ સારવાર (Canva)

Prostate Cancer : Anuradha Mascarenhas : લેન્સેટ કમિશનના તાજેતરના પેપરમાં જણાવાયું છે કે, પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cancer) માટે ઘણા ભારતીય પુરુષોનું નિદાન છેલ્લા તબક્કામાં થઈ રહ્યું છે અને 2040 સુધીમાં ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરની ઘટનાઓમાં તીવ્ર વધારો થવાનો અંદાજ છે.

Advertisment

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર પ્રોજેક્શન અનુસાર, જેને લેન્સેટે તેના વિશ્લેષણમાં પરિબળ આપ્યું છે, ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરની સંખ્યા 2040 સુધીમાં દર વર્ષે લગભગ 71,000 નવા કેસોમાં બમણી થઈ જશે. ભારતમાં તમામ કેન્સરમાં પ્રોસ્ટેટ કેન્સરનો હિસ્સો ત્રણ ટકા છે. વાર્ષિક અંદાજે 33,000-42,000 નવા કેસોનું નિદાન થાય છે.

ટાટા મેમોરિયલ સેન્ટર ખાતે યુરો-ઓન્કોલોજી ડિસીઝ મેનેજમેન્ટ ગ્રૂપના રેડિયેશન ઓન્કોલોજી વિભાગ અને કન્વીનર, પ્રોફેસર, ડૉ. વેદાંગ મૂર્તિ જે લેખક પણ છે તેમણે જણાવ્યું હતું કે, “ભારતમાં દર્દીઓનો મોટો હિસ્સો એડવાન્સ સ્ટેજમાં નિદાન થાય છે જેનો અર્થ છે કે નિદાન સમયે કેન્સર ફેલાઈ ગયું છે. પરિણામે, લગભગ 65 ટકા (18,000-20,000) દર્દીઓ રોગથી મૃત્યુ પામે છે.''

આ પણ વાંચો: હળદરવાળું દૂધનું સેવન કરનાર સાવધાન, આવા લોકો પર ઝેર જેવી અસર કરે છે હળદર

Advertisment

લેન્સેટ કમિશનના રિપોર્ટ મુજબ, પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2020 માં પ્રતિ વર્ષ 1.4 મિલિયનથી બમણા થઈને 2040 સુધીમાં વિશ્વભરમાં 2.9 મિલિયન પ્રતિ વર્ષ થવાનો અંદાજ છે, જેમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સૌથી વધુ પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં વધારો થવાની આગાહી છે. 6 એપ્રિલના રોજ યુરોપિયન એસોસિએશન ઑફ યુરોલોજી કોંગ્રેસમાં તારણો રજૂ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે, પ્રોસ્ટેટ કેન્સરથી 2020 માં વિશ્વભરમાં લગભગ 3,75,000 મૃત્યુ થયા હતા, જે પુરુષોમાં કેન્સર મૃત્યુનું પાંચમું અગ્રણી કારણ છે.

Prostate Cancer cases in India symptoms in men prevention treatment health news
Prostate Cancer પ્રોસ્ટેટ કેન્સર કેસ ભારત લક્ષણો નિવારણ સારવાર (Canva)

ડૉ. મૂર્તિના જણાવ્યા અનુસાર, કેસને વધતા અટકાવી શકાય છે, જો કે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ પુરૂષો એ જ કઠોરતા સાથે વહેલી તકે ટેસ્ટિંગ કરાવે કે જે મહિલાઓને 40 પછી સ્તન તપાસ માટે સલાહ આપવામાં આવે છે. આનાથી ડૉક્ટરની સલાહ લેનારા પુરુષો કરતાં કેન્સરને સારવાર યોગ્ય તબક્કે ઝડપી લેશે. લંડનના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર રિસર્ચના પ્રોસ્ટેટ અને મૂત્રાશયના કેન્સર સંશોધનના પ્રોફેસર નિક જેમ્સ લખે છે કે, "વહેલી તકે ટેસ્ટિંગ અને શિક્ષણ કાર્યક્રમો જીવન બચાવવામાં મદદ કરશે.''

ભારતમાં કેન્સરના કેસ વધવાના કારણો

વૃદ્ધાવસ્થા અને આયુષ્યમાં વધારો એટલે કે આગામી વર્ષોમાં વૃદ્ધ પુરુષોની સંખ્યા વધુ હશે. ડો. મૂર્તિ કહે છે, "પ્રોસ્ટેટ-સ્પેસિફિક એન્ટિજેન (PSA) ટેસ્ટનો સમાવેશ થાય છે, જે પ્રોસ્ટેટ ગ્રંથીઓમાં કેન્સરગ્રસ્ત અને પેશી બંને દ્વારા ઉત્પાદિત પ્રોટીનને માપે છે " મુખ્ય જોખમી પરિબળો વય અને આનુવંશિકતા છે, જે તેમના મતે, ધૂમ્રપાન, સ્થૂળતા, ખરાબ ડાયટ અને લાઇફસ્ટાઇલ જેવા ઘણા પરિબળો જવાબદાર છે.''

આ પણ વાંચો: Milk : દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર પર કેવી અસર થાય છે?

પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના સ્ટેજમાં કોઈ ચિહ્નો અથવા લક્ષણો દેખાતા નથી અને તે માત્ર એડવાન્સ સ્ટેજ છે કે દર્દીઓ પેશાબ કરવામાં મુશ્કેલી, હાડકામાં દુખાવો, વીર્ય અથવા પેશાબમાં લોહી અને અન્ય જેવા લક્ષણો હોઈ શકે છે.ડૉ મૂર્તિ કહે છે કે, “તમે તમારી લાઇફસ્ટાઇલને મેનેજ કરી શકો છો પરંતુ ભારતીય પુરુષોમાં, ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં તપાસ જરૂરી છે. વારંવાર અને રાત્રિના સમયે પેશાબ, ઓછો પેશાબ થવો અને પેશાબ વધતે દુખાવો અથવા પેશાબમાં લોહી જેવા લક્ષણો અથવા પ્રોસ્ટેટ વૃદ્ધિવાળા વૃદ્ધ પુરુષોએ તબીબી સહાય લેવી જોઈએ અને PSA બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ. આ સરળ અને સસ્તું બ્લડ ટેસ્ટિંગ નાના શહેરોમાં પણ વ્યાપકપણે અને સરળતાથી આવેલબલ છે.''

યુકેએ મેન વાન સાથે પોષણક્ષમ પોપ-અપ ક્લિનિક્સ અને મોબાઇલ ટેસ્ટિંગનો પ્રયાસ કર્યો છે, જે 45 વર્ષ અને તેથી વધુ વયના લંડનમાં વધુ જોખમ ધરાવતા પુરુષોને - PSA ટેસ્ટિંગ સહિત ફ્રી હેલ્થ ચેકઅપ પણ પુરા પાડે છે.

પુણેના જાણીતા સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કમલેશ બોકિલ પણ ડિજિટલ રેક્ટલ ટેસ્ટ લેવાનું સૂચન કરે છે. “વિસ્તૃત ગ્રંથિ પેશાબનો પ્રવાહ બંધ કરે છે. મૂત્રાશયમાં પેશાબ જમા થાય છે. તે ફ્લશ જેવું છે જ્યાં પેશાબ ટપકતો હોય છે પરંતુ તે હજુ પણ મૂત્રાશયમાં લગભગ 1 થી 1.5 લિટર સુધી એકઠું થાય છે,” લેન્સેટના લેખકોએ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં પ્રોસ્ટેટ કેન્સરના ઉચ્ચ જોખમવાળા પુરૂષોને સ્ક્રીનીંગ કરવા માટે MRI સ્કેન અને PSA ટેસ્ટનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

WHO દર મિલિયન લોકો દીઠ એક મેગાવોલ્ટેજ રેડિયોથેરાપી યુનિટની ભલામણ કરે છે. આ ભલામણને પહોંચી વળવા માટે, ભારતને એ સુનિશ્ચિત કરવા માટે વધારાના 600 અથવા તેથી વધુ યુનિટની જરૂર પડશે કે કેન્સર પીડિત 800,000 લોકો કે જેમને દર વર્ષે રેડિયોથેરાપીની જરૂર પડે છે તેમની પર્યાપ્ત સારવાર થઈ શકે. રેડિયોથેરાપીની ઍક્સેસ વધી છે પરંતુ મોટાભાગે શહેરીમાં. સરકારી હેલ્થ પ્લાનમાં આધુનિક રેડિયોથેરાપી સારવારના કવરેજમાં સુધારો થયો છે પરંતુ સૌથી ગરીબ વર્ગને પેલિએટીવ રેડિયોથેરાપી સુધી પણ ઓછી પહોંચ છે, એમ લેન્સેટ કમિશનના લેખકોએ જણાવ્યું છે.

છેલ્લા તબક્કામાં પીડા રાહત માટે ઓપિયોઇડનો ઉપયોગ પડકાર છે. 1985માં, ભારત સરકારે માદક દ્રવ્યોના દુરુપયોગ અને હેરફેરને નિયંત્રિત કરવા માટે કડક કાયદો અપનાવ્યો હતો. પરિણામે, મોર્ફિનના તબીબી વપરાશમાં 97 ટકાનો ઘટાડો થયો છે, જે પીડા વ્યવસ્થાપનની ઍક્સેસને ગંભીરપણે મર્યાદિત કરે છે. 2014 માં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટમાં સુધારાથી ઓપીયોઇડની પહોંચમાં સુધારો થયો હતો, પરંતુ સમગ્ર દેશમાં અમલીકરણમાં વિલંબ છે.

જીવનશૈલી health tips