Ragi Benefits for Diabetes | ડાયબિટીસમાં વરદાન આ લાલ ઝીણા દાણા,પેટ પણ રહેશે સ્વસ્થ, જાણો ફાયદા

રાગીના અસરકારક સ્વાસ્થ્ય લાભો | લાલ ઝીણા દાણામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

રાગીના અસરકારક સ્વાસ્થ્ય લાભો | લાલ ઝીણા દાણામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

author-image
shivani chauhan
New Update
રાગીના અસરકારક સ્વાસ્થ્ય લાભો

Ragi for Diabetes

Ragi Benefits for Diabetes | લાલ ઝીણા દાણા એટલે કે અહીં રાગીની વાત કરી છે, રાગી મિલેટ (Ragi Millet) પોષણથી ભરપૂર હોય છે. તેને તમારા ભોજનમાં સામેલ કરવાથી ન માત્ર સુગર કંટ્રોલમાં રહે પરંતુ પાચનતંત્ર સહિત આખા શરીરને સ્વસ્થ રાખી શકાય છે.

Advertisment

લાલ ઝીણા દાણામાં પૂરતા પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

રાગી દરરોજ ખાવાના ફાયદા

  • રાગી (Ragi) ને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તેનું દૈનિક સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે. તે મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર છે.
  • ભારત સરકારએ પણ રાગીના સેવનની ભલામણ કરે છે, તેના ફાયદાઓની યાદી આપે છે. ભારત સરકાર અનુસાર, "વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર, રાગી ગ્લુટેન-ફ્રી છે, જે હૃદય માટે સારું છે અને તેનું નિયમિત સેવન ઘણી બધી એનર્જી પ્રદાન કરે છે. તે નર્વસ સિસ્ટમ, સ્નાયુઓ અને કિડની, લીવરના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે."
  • ડાયાબિટીસમાં ફાયદાકારક : તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેના કારણે બ્લડ સુગર ધીમે ધીમે વધે છે. આવી સ્થિતિમાં તે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આરોગ્ય નિષ્ણાતો તેને તમારા ભોજનમાં સામેલ કરવાની ભલામણ કરે છે. તે વજનને પણ નિયંત્રણમાં રાખે છે.
  • વજન નિયંત્રણમાં રાખે : ઘણા સંશોધનો થયા છે જે દર્શાવે છે કે રાગીમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તે વજન નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત, તે શરીરના હાડકાંને મજબૂત બનાવવામાં પણ અસરકારક સાબિત થાય છે. રાગી ખાવાથી દાંત પણ મજબૂત બને છે.

રાગી ખાવાનું સેવન કરવાની સાચી રીત

રાગીનું સેવન હેલ્થ માટે ગુણકારી માનવામાં આવે છે, તમે તેનું સેવન વિવિધ વાનગીઓ બનાવીને કરી શકો છો જેમ કે રાગીની રોટલી, ખીચડી અથવા દલિયા, ઢોંસા, રાગીનો શિરો વગેરેના રૂપમાં લઈ શકાય છે.

Advertisment

Giloy Leaves Benefits | ખાલી પેટ 2-3 આ લીલાછમ પાન ચાવો, શરીર રહેશે નિરોગી!

રાગી ખાવાનું સેવન કોણે ન કરવું?

  • રાગી ખાતા પહેલા આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે રાગીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. કેટલાક રાગીમાં ગોઇટ્રોજેનિક તત્વો હોઈ શકે છે, જે વધુ માત્રામાં ખાવાથી સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોને પાચનમાં ભારેપણું અનુભવી શકે છે.
  • કેટલાક લોકોને રાગીથી એલર્જી હોઈ શકે છે. આવી સ્થિતિમાં હેલ્થ એક્સપર્ટની સલાહ દ્વારા તેનું સેવન કરવું જોઈએ. છે.
ડાયાબિટીશ ડાયાબિટીસ માટે આહાર health tips