Raksha Bandhan Special Recipe | ડાયાબિટીસ ના દર્દીઓ પણ બિન્દાસ આ મીઠાઈ ખાઈ શકે! રક્ષાબંધન પર ઘરેજ બનાવો અલગ રીતે તલ લાડુ

રક્ષાબંધન સ્પેશિયલ ડાયાબિટીસ રેસીપી | ડાયબિટીસના દર્દીઓ ઈચ્છા હોવા છતાં મીઠાઈ ખાઈ સકતા નથી, કારણ કે મીઠાઈઓમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે ઘરે સરળ રીતે હેલ્ધી મીઠાઈ બનાવી શકો છો, અહીં હેલ્ધી ડાયાબિટીસ સ્પેશિયલ તલ લાડુ રેસીપી શેર કરી છે, જાણો

Written by shivani chauhan
August 01, 2025 11:52 IST
Raksha Bandhan Special Recipe | ડાયાબિટીસ ના દર્દીઓ પણ બિન્દાસ આ મીઠાઈ ખાઈ શકે! રક્ષાબંધન પર ઘરેજ બનાવો અલગ રીતે તલ લાડુ
Raksha Bandhan Special Recipe

Rakhi Special Diabetes Recipe | રક્ષાબંધન (Raksha Bandhan) ના તહેવારને હવે ગણતરીના દિવસોજ બાકી છે. ભાઈ બહેનના પ્રેમનું પર્વ આ વર્ષે 9 ઓગસ્ટએ માનવામાં આવશે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને મીઠાઈ ખડવાડે છે, અને ઉત્સવની ઉજવણી કરે છે. પરંતુ ડાયબિટીસના દર્દીઓ સુગર વાળી મીઠાઈ ખાવાનું ટાળે છે એવામાં તમે ઘરેજ હેલ્ધી મીઠાઈ બનાઈ શકો છો.

ડાયબિટીસના દર્દીઓ ઈચ્છા હોવા છતાં મીઠાઈ ખાઈ સકતા નથી, કારણ કે મીઠાઈઓમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે ઘરે સરળ રીતે હેલ્ધી મીઠાઈ બનાવી શકો છો, અહીં હેલ્ધી ડાયાબિટીસ સ્પેશિયલ તલ લાડુ રેસીપી શેર કરી છે, જાણો

ડાયાબિટીસ સ્પેશિયલ તલ લાડુ રેસીપી

સામગ્રી :

  • 2 કપ તલ
  • 1 કપ શેકેલી મગફળી
  • 1/2 કપ શેકેલું સૂકું નારિયેળ
  • 1 ½ કપ ખજૂર

ડાયાબિટીસ સ્પેશિયલ તલ લાડુ રેસીપી

  • એક મોટા વાસણમાં તલ, મગફળી, નારિયેળ અલગથી શેકો લો. સારી રીતે શેકીને રાખો.
  • હવે બધી વસ્તુને અલગ અલગ મિક્ષરમાં સારી રીત પીસી લો.
  • ખજૂરમાંથી બીજ કાઢીને કાપી લો અને તેને ગરમ કડાઈમાં ઘી ગરમ કરીને શેકી લો. થોડી વાર માટે ઠંડી થવા દો
  • ખજૂરના ટુકડા અને બધા બનાવેલ પાવડરને મિક્ષ કરીને બોલ બનાવો.
  • બનીને તૈયાર થઇ જાય એટલે તલ લાડુને સર્વ કરો.

ડાયાબિટીસના દર્દીઓ માટે તલ લાડુ સારા?

તલ લાડુમાં મુખ્યત્વે તલ, મગફળી અને ખજૂર (ગોળને બદલે) માંથી બનાવવામાં આવે છે. તલના બીજમાં ડાયાબિટીસ ફ્રેન્ડલી ગુણધર્મો હોવાનું દર્શાવવામાં આવ્યું છે જેમ કે હાઇપોગ્લાયકેમિક અસરો, એન્ટીઑકિસડન્ટો, બળતરા વિરોધી અને હાઇપોલિપિડેમિક અસરોમાં ગુણકારી છે. આ ચરબી ચયાપચયને સુધારવા અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

મગફળી ડાયાબિટીસના દર્દીઓ માટે સારી?

મગફળીનો ગ્લાયસેમીક ઇન્ડેક્સ 14 છે અને રસપ્રદ વાત એ છે કે તેનો ગ્લાયકેમિક લોડ પણ 1 થી ખૂબ ઓછો છે. આ તેને સૌથી ઓછા GI સ્કોર ધરાવતા ખોરાકમાંના એકમાં મૂકે છે. બ્લડ સુગર લેવલ પર આ ઓછી અસર મગફળીને ખાસ બનાવે છે અને ડાયાબિટીસ ધરાવતા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે.

ખજૂર ડાયાબિટીસ માટે સારી?

ખજૂર ઓછી ગ્લાયસેમીક ઇન્ડેક્સ (GI) વાળી કહેવાય છે અને તેનાથી તમારા બ્લડ સુગરના લેવલ વધારો થવાની શક્યતા ઓછી હોય છે. ખજૂરની આ ગુણવત્તા તેને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સલામત પસંદગી બનાવે છે.

ડાયાબિટીસ ધરાવતા લોકોએ તેમના બ્લડ સુગર લેવલ તપાસવું જરૂરી છે અને ખાતરી કરવી પડે છે કે તે ખૂબ ઝડપથી અને ખૂબ વધારે ન વધે. આ કારણોસર, તેમણે શું ખાવું તે અંગે સાવચેત રહેવાની જરૂર છે. તલ લાડુમાં ડાયાબિટીસ ફ્રેન્ડલી બનાવવા માટે દરેક સામગ્રીને મધયતામાં પસંદ કરવાની સલાહ અપાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ