ફણગાવેલ કઠોળનું સેવન આપણે મોટેભાગે કરતા હોઈએ છીએ, ફણગાવેલ કઠોળ પોષક પાવરહાઉસ હોવાને કારણે તે આપણા ડાયટનો ભાગ છે. એન તે હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
કઠોળ, વટાણા , આખા અનાજ, શાકભાજી, બદામ અને સીંગ જેવા બીજના અંકુરણમાંથી સ્પ્રાઉટ્સ બને છે . તેઓ પોષક રીતે વિટામિન અને ખનિજોથી ભરપૂર છે તે સમજાવતા, ડૉ. ઇલીન કેન્ડે, એચઓડી, ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ, સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ, કહે છે, “આ ખોરાકની અંકુરિત થવાની પ્રક્રિયા પોષક તત્વોની જૈવઉપલબ્ધતા અને પાચનક્ષમતામાં સુધારો કરીને પોષક તત્ત્વોની માત્રામાં વધારો કરે છે. “
સ્પ્રાઉટ્સ ફાઇબરથી સમૃદ્ધ હોવાથી, તે પોસ્ટ-પ્રાન્ડિયલ બ્લડ સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે . ડૉ. કેન્ડે સંશોધનને ટાંકે છે જેમાં સૂચવવામાં આવ્યું છે કે સ્પ્રાઉટ્સ શરીરમાં ‘સારા કોલેસ્ટ્રોલ’ એટલે કે એચડીએલ (હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન) નું લેવલ વધારવામાં પણ મદદ કરી શકે છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને બ્લડ પ્રેશરને જાળવી રાખે છે.
પરંતુ ખરેખર સ્પ્રાઉટ્સ કેવી રીતે ખાવા જોઈએ?
ડૉ. કેન્ડેના મતે તેને બોઈલ કરીને ખાવું વધુ સારું છે. તેના ઘણા કારણો છે. સેવન કરતા પહેલા અંકુરને બાફવા અથવા રાંધવાની સલાહ આપવામાં આવે છે તેનું પહેલું કારણ એ છે કે તે સાલ્મોનેલા અને ઇ.કોલી જેવા સૂક્ષ્મજીવાણુઓથી દૂષિત હોઈ શકે છે.
ડૉ કેન્ડે સમજાવે છે કે તેઓ ભેજવાળી સ્થિતિમાં અંકુરિત થાય છે, તેથી તેઓ ખોરાકને ઝેર સમાન કરી શકે છે.
ડો કેન્ડે કહે છે કે સ્પ્રાઉટ્સને ખાતા પહેલા રાંધવાથી પણ તેમની પાચનક્ષમતા વધારવામાં મદદ મળી શકે છે. કાચા સ્પ્રાઉટ્સ આપણા શરીર માટે પચવામાં મુશ્કેલ હોય છે, વધુમાં, તે આપણી સિસ્ટમ દ્વારા સરળતાથી શોષાતા નથી.
તેઓ ખાસ કરીને એવા લોકોમાં પચવામાં મુશ્કેલ હોય છે કે જેમના પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અથવા ઝાડા થાય છે જેનું આંતરડા સંવેદનશીલ અને નબળા હોય છે. ડૉ કેન્ડે સમજાવે છે કે, “સ્પ્રાઉટ્સને રાંધવાથી ફૂડ પોઇઝનિંગ અટકાવવામાં અને પાચનક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળશે . જો કે, ગરમીના લીધે વિટામિન સી જેવા કેટલાક પોષક તત્ત્વોની નાશ પાણી શકે છે.”
આ પણ વાંચો: Pregnancy Tips : સગર્ભા સ્ત્રીઓ માટે પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કેટલું લાભદાયી? જાણો તથ્યો
સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોએ કાચા સ્પ્રાઉટ્સના સેવનથી વધુ સાવચેત રહેવું જોઈએ, ડૉ. કેન્ડે. આનું કારણ એ છે કે કાચા અંકુરને કારણે ફૂડ પોઇઝનિંગ, ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો તેમના શરીરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.