Sadhguru health Tips: કમરમાં દુખાવો, કરોડરજ્જુમાં નબળાઈ, ઉઠવા બેસવામાં તકલીફ છે? સદગુરુ પાસેથી જાણો પીઠ અને કમરના હાડકાંને મજબૂત બનાવવાની સરળ રીત

Sadhguru health Tips For Back Pain And Improve Spinal Weakness: ઘણા લોકોને કરોડરજ્જુ અને કમર-પીઠમાં દુખાવો હોય છે. સદગુરુના મતે યોગ નમસ્કાર એક શક્તિશાળી કસરત છે જે પીઠના નીચેના ભાગને મજબૂત બનાવે છે. જાણો સદરુરુ પાસેથી કમર અને કરોડરજ્જુને મજબૂત બનાવવાની સરળ રીત

Written by Ajay Saroya
November 20, 2023 18:42 IST
Sadhguru health Tips: કમરમાં દુખાવો, કરોડરજ્જુમાં નબળાઈ, ઉઠવા બેસવામાં તકલીફ છે? સદગુરુ પાસેથી જાણો પીઠ અને કમરના હાડકાંને મજબૂત બનાવવાની સરળ રીત
સદગુરના મતે કમર અને કરોડરજ્જુને મજબૂત બનાવવામાં યોગ નમસ્કાર ફાયદારૂપ છે. (Photo- isha.sadhguru.org / Freepik)

Sadhguru health Tips For Back Pain And Improve Spinal Weakness: કમરનો દુખાવો એક એવી સમસ્યા છે જેના કારણે ઉઠવા – બેસવા, ચાલવા – ઉભા થવામાં મુશ્કેલી પડે છે. કમર – પીઠનો દુખાવો ઘણા કારણોસર થાય છે. ઘણી વખત લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કમરનો દુખાવો થાય છે. કમરના દુખાવા માટે ઘણા કારણો જવાબદાર છે જેમ કે સ્નાયુઓમાં તાણ, ગાડી ખસી જવી, સંધિવા, સ્પોન્ડિલિટિસ વગેરે. કરોડરજ્જુમાં કેટલાક અસામાન્ય વળાંકો પણ પીઠનો દુખાવો પેદા કરી શકે છે. ઑસ્ટિયોપોરોસિસ ત્યારે થાય છે જ્યારે આપણી કરોડરજ્જુ ખૂબ નબળી પડી જાય છે અને અમુક વખત ફ્રેક્ચર થાય છે.

health tips, gut health,how to fast for a day, benefits of intermittent fasting, how to clean colon naturally, Probiotics to clean colon, Juice and Smoothie to clean colon, benefits of fasting
સિસ્ટમના સંકલનને સમાયોજિત કરવા માટે એક દિવસ માટે ઉપવાસ કરો. શરીર પર દરરોજ ખોરાકનું દબાણ કરવું યોગ્ય નથી, તેથી એક દિવસનો ઉપવાસ પણ જરૂરી છે. (ઇન્સ્ટાગ્રામ પોસ્ટ)

જો તમે પણ કમરના દુખાવાથી પરેશાન છો અને ઉઠવા-બેસવામાં મુશ્કેલી અનુભવો છો, તો તમારે સદગુરુ જગ્ગી વાસુદેવની હેલ્થ ટીપ્સ અપનાવવી જોઈએ. સદગુરુ અનુસાર, યોગનમસ્કાર એક શક્તિશાળી પ્રણાલી છે જે પીઠના નીચેના ભાગને મજબૂત બનાવે છે. આ સિસ્ટમ કરોડના કટિ પ્રદેશને જબરદસ્ત રીતે સક્રિય કરે છે.

આ યોગ કરવાથી કરોડરજ્જુની સાથેના સ્નાયુઓ મજબૂત બને છે. આ યોગ વધતી ઉંમર સાથે ઉભી થતી કરોડરજ્જુની નબળાઈને દૂર કરે છે. કરોડરજ્જુમાં નબળાઈને કારણે માંસપેશીઓમાં દુખાવો થાય છે. જો તમારી કરોડરજ્જુ નબળી પડવાની શરૂઆત થઇ ગઇ હોય તો યોગ નમસ્કાર વડે આ નુકસાનની ભરપાઈ કરી શકો છો. ચાલો આપણે સદગુરુ પાસેથી જાણીએ કે કરોડરજ્જુને મજબૂત કરવા અને પીડાથી છુટકારો મેળવવા માટે યોગ નમસ્કાર કેવી રીતે કરવો.

યોગ નમસ્કાર કેવી રીતે કરોડરજ્જુને મજબૂત બનાવે છે

સદગુરુના મતે યોગ નમસ્કાર એ એક સરળ અને સંપૂર્ણ પ્રક્રિયા છે જે કરોડરજ્જુને મજબૂત બનાવે છે. 7 વર્ષથી લઇને કોઈપણ વયની વ્યક્તિ આ યોગનો અભ્યાસ કરી શકે છે. આ કસરત કરવા માટે તમારું પેટ વધારે ભારે ન હોવું જોઈએ. આ યોગ ભોજન કર્યાના દોઢ કલાક પછી કરો. યાદ રાખો કે જો તમે હાર્ટ પેશન્ટ છો અથવા અન્ય કોઈ બીમારીથી પીડિત છો તો આ એક્સરસાઇઝ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Sadhguru | Sadhguru health Tips | health Tips For Back Pain | Spinal Weakness | yoga namaskar
કમરનો દુખાવો એક એવી સમસ્યા છે જેના કારણે ઉઠવા – બેસવા, ચાલવા – ઉભા થવામાં મુશ્કેલી પડે છે. (Photo- Freepik)

યોગ નમસ્કાર કેવી રીતે કરવું

યોગ નમસ્કાર કરવા માટે સૌથી પહેલા સીધા ઊભા રહો. હવે પગને સમાંતર રાખો અને હાથ સીધા રાખો. તમારી આંખો ખુલ્લી રાખો અને સામેના એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત કરતી વખતે નમસ્કાર સ્થિતિમાં તમારા બંને હાથને છાતી પર લાવો. શ્વાસ લેતી વખતે, તમારા હાથને ઉપર તરફ ખસેડો. શ્વાસ બહાર કાઢતી વખતે હાથને નીચેની તરફ લાવો. યાદ રાખો કે તમારી હથેળીઓનો નીચેનો ભાગ તમારી ગરદનની પાછળ હોવો જોઈએ.

આ પણ વાંચો | ડાયાબિટીસને કન્ટ્રોલ કરવાની સરળ ટીપ્સ; સદગુરુની આ ડાયટ ટીપ્સ અનુસરો, 1 સપ્તાહમાં ચમત્કાર દેખાશે

હવે શ્વાસ લેતી વખતે તમારા હાથને ઉપરની તરફ લઈ જાઓ. શ્વાસ બહાર કાઢતી વખતે તમારા હાથને છાતીની સામે લઇ જાઓ. તમારે આ યોગ નમસ્કારનો અભ્યાસ બે વખત કરવો જોઈએ. તમે આ યોગને યુટ્યુબ પર જોઈને પણ કરી શકો છો. આ યોગ તમને કમરના દુખાવામાં રાહત આપશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ