લંચ અને ડિનર વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો? જાણો સદગુરુ પાસેથી જમવાનો યોગ્ય સમય અને રીત

Sadhguru Health Tips : સદગુરુના મતે સારા સ્વાસ્થ્ય માટે પેટ ખાલી રાખવું જરૂરી છે. જો ભોજન યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો શરીરને ફાયદો થાય છે. જાણો લંચ અને ડિનર વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો જોઇએ.

Written by Ajay Saroya
March 07, 2024 20:48 IST
લંચ અને ડિનર વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો? જાણો સદગુરુ પાસેથી જમવાનો યોગ્ય સમય અને રીત
સદગુરુના મતે ડાયટમાં ફળ, શાકભાજી અને અનાજનું સેવન શરીરને સ્વસ્થ રાખે છે અને ઉર્જા આપે છે. (Photo - isha.sadhguru.org/ Freepik)

Sadhguru Health Tips : હેલ્થ સારી રાખવા માટે સ્વસ્થ આહાર જરૂરી છે. સ્વસ્થ આહાર એટલે એવો ખોરાક જેમાં શરીર માટે જરૂરી તમામ વિટામિન, મિનરલ્સ અને પોષક તત્વો હોય. આપણું વ્યસન એટલું વધી ગયું છે કે આપણે ખાવાના નામે જે કંઈ પણ ખાઈએ છીએ તે માત્ર કચરો છે, જે આપણું પેટ તો ભરે છે પણ શરીરને કોઇ ફાયદો થતો નથી. સંતુલિત ડાયટ માંથી શરીરને તમામ પોષત તત્વો મળે છે. ડાયટમાં ફળ, શાકભાજી અને અનાજનું સેવન શરીરને સ્વસ્થ રાખે છે અને ઉર્જા આપે છે.

કેટલાક લોકો એવા હોય છે જેમને આખો દિવસ ખાવાની આદત હોય છે. તેમનું પેટ ભરાઈ ગયું હોવા છતાં પણ તેઓ કંઈક ખાવાની તૈયારી કરતા રહે છે. તમે જાણો છો કે અતિશય ખાવાની આદત તમારા શરીરને બીમાર બનાવી રહી છે. સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો એવી રીતે ખાય છે જેવી રીતે છલકાઇ ગયેલી ટાંકીમાં પાણી ભરવું.

sadhguru jaggi vasudev | sadhguru diet tips | Sadhguru Health Tips | groundnut benefits | winter melon benefits | white pumpkin benefits | healthy diet tips | health tips in gujarati
સદગુરુ જગ્ગી વાસુદેવની હેલ્થી ડાયટ ટીપ્સ. (Sadhguru Photo)

સદગુરુના મતે, વધુ પડતું ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગાડો છો. સારા સ્વાસ્થ્ય માટે પેટ ખાલી રાખવું જરૂરી છે. સદગુરુના મતે જો ભોજન યોગ્ય સમયે અને યોગ્ય સમયાંત્તરે કરવામાં આવે તો તેનાથી શરીરને ફાયદો થાય છે. યોગ્ય સમયાંતરે યોગ્ય ભોજન કરવાથી 90 ટકા બીમારીથી છુટકારો મેળવી શકાય છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ખાવાનો યોગ્ય સમય કયો છે, જે ફોલો કરીને આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ.

સ્વસ્થ શરીર માટે કેટલું ખાવું જરૂરી છે?

ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે તમારું શરીર અને મગજ ત્યારે જ સારી રીતે કામ કરે છે જ્યારે તમારું પેટ ખાલી હોય. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે એવી રીતે ખાવું જોઈએ કે તમારું પેટ બેથી અઢી કલાકમાં સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે.

શરીરની કોઈપણ સુધારો અને શુદ્ધિકરણ ત્યારે જ થાય છે જ્યારે તમારું પેટ ખાલી હોય. વધુ પડતું ખાવાથી કોશિકાના સ્તરે શુદ્ધિકરણ થતું નથી. જો તમે વધુ ખાઓ છો તો શરીરમાં વધુ સમસ્યાઓ થાય છે. વધુ પડતું ખાવાથી આળસ આવે છે. કેટલાક લોકો વધુ પડતું ખાવાથી શરીરની સિસ્ટમ બગાડે છે. તેમનું શરીર બીમારીઓનું ઘર બની જાય છે.

home remedy for immunity sadhguru health tips gujarati news
home remedy for immunity : શું આમળા, મધ અને કાળા મરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે? જાણો સદગુરુએ શું કહ્યું..

સદગુરુ અનુસાર, હેલ્થ ની નબળાઈને દૂર કરવા માટે લોકોને વધુ ખાવાની સલાહ આપવામાં આવે છે. તમે જાણો છો કે વધુ પડતું ખાવાથી તમારું શરીર બીમાર થઈ જાય છે. સદગુરુના જણાવ્યા મુજબ, 12 કલાક ભૂખ્યા રહેવાથી પણ તમે સ્વસ્થ રહી શકો છો. 12 કલાક ખાલી પેટ રહેવાથી તમને કોઈ રોગ થશે નહીં. નિષ્ણાંતોના મતે, શરીરમાં હંમેશા કોઈને કોઈ રોગ હોવાનો અર્થ એ છે કે તમારું શરીર બીમાર છે.

આ પણ વાંચો | દરરોજ દિવસમાં ઉંઘ આવવી બીમારીના સંકેત, સદગુરુની 1 ટીપ્સથી દૂર કરો આ ખરાબ ટેવ

ભોજન કરવાનો યોગ્ય સમય કયો?

આધ્યાત્મિક ગુરુ સદગુરુ વાસુદેવ જગ્ગી ના કહેવા પ્રમાણે, જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો એક ભોજન અને બીજા ભોજન વચ્ચે 8 કલાકનું અંતર રાખો. જો તમે દરેક ભોજન વચ્ચે 8 કલાકનું અંતર રાખો છો, તો તમારી અડધાથી વધુ સમસ્યાઓ દૂર થઈ જશે. તમે સમયસર ભોજન કરીને અને યોગાસન કરીને બધી બીમારીઓ દૂર કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ