Healthy Breakfast : સ્વસ્થ રહેવા માટે સદગુરુ સવારમાં આ નાસ્તો કરે છે

Healthy Breakfast : સવારનો નાસ્તો હેલ્થી હોવો જોઈએ જે આપણને બધા પોષકતત્વો પુરા પાડવામાં મદદ કરે, જેમ કે, પલાળીને રાખેલા મેથીના દાણા, તે અત્યંત ફાયદાકારક અને પૌષ્ટિક છે અને વિવિધ રોગનિવારક ભૂમિકા પણ નિભાવે છે, તે એક ઉત્તમ નાસ્તો છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફાઈબર હોય છે.

Written by shivani chauhan
July 31, 2023 08:06 IST
Healthy Breakfast : સ્વસ્થ રહેવા માટે સદગુરુ સવારમાં આ નાસ્તો કરે છે
'સ્વસ્થ જીવન' માટે સદગુરુનો નાસ્તો ' (અનસ્પ્લેશ)

જ્યારે સ્વસ્થ જીવન જીવવાની વાત આવે છે ત્યારે દરેકની પોતાની પસંદગીઓ હોય છે. તે યોગિક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ માટે અલગ નથી જે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને વડા છે. તાજેતરના એક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં, સદગુરુએ શેર કર્યું છે કે તેમના નાસ્તામાં ફણગાવેલા મેથીના દાણા, ફણગાવેલા મગ અથવા લીલા ચણાનો સમાવેશ થાય છે.

સદગુરુએ આવા ફણગાવેલા બીજના વિવિધ ફાયદાઓ સમજાવ્યા તેમણે કેપ્શન આપ્યું કે, “તંદુરસ્ત જીવન માટે યોગીનો નાસ્તો”

સદગુરુએ કહ્યું કે, “ફણગાવેલા મેથીના દાણાએ અદ્ભુત બ્લડ ક્લીનર્સ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનો સારા સ્ત્રોત છે, સ્તનપાન કરાવતી માતાઓ માટે મેથી ખૂબ જ સારી છે, હેયર અને નખની વૃદ્ધિ માટે, બ્લડ પ્રેશર પણ ઘટાડે અને બ્લડ સુગર લેવલને નીચે લાવે છે. તે બળતરા પણ ઘટાડે છે.”

પોષણ માટે તે ફણગાવેલા લીલા ચણા અને ફણગાવેલા મગ પણ ફાયદારકારક છે.

આ પણ વાંચો:Monsoon Health : ચોમાસામાં આંખના 5 આ રોગોથી બચવું જરૂરી, જાણો ઉપાયો

સદગુરુએ કહ્યું કે,“આ ફણગાવેલી મેથી અને ફણગાવેલા લીલા ચણા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આનું સેવન કરવું જોઈએ.”

રજિસ્ટર્ડ ડાયેટિશિયન ગરિમા ગોયલે indianexpress.com ને જણાવ્યું હતું કે, ”ફણગાવેલા મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળીને બનાવવામાં આવે છે અને પછી તેને ફૂટવા દેવાય છે. ફણગાવેલા લીલા ચણાની જેમ, ફણગાવેલા મેથીના દાણામાં અંકુરિત થતાં નિયમિત બીજ કરતાં વધુ પોષણ ગુણો હોય છે, જેના કારણે તેમાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સને સરળ અને વધુ શોષી શકાય તેવા સ્વરૂપોમાં વિભાજિત કરવામાં આવે છે. તેથી આ સ્પ્રાઉટ્સ તેને પચવામાં સરળ બનાવે છે, આમ પાચન સ્વાસ્થ્યને વેગ આપે છે.”

આ નાના, બે પાંદડાવાળા સ્પ્રાઉટ્સ મેથીના દાણાને રાતોરાત પલાળીને બનાવવામાં આવે છે, જે કડવો સ્વાદ દર્શાવે છે. તે અત્યંત ફાયદાકારક અને પૌષ્ટિક છે અને વિવિધ રોગનિવારક ભૂમિકા પણ નિભાવે છે, તે એક ઉત્તમ નાસ્તો છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફાઈબર હોય છે.”

મેથીના દાણાનું સેવન કોણ કરી શકે?

કોઈપણ વ્યક્તિ આનું સેવન કરી શકે છે કારણ કે તે સુરક્ષિત છે, જો કે તેઓ ખાસ કરીને ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર ધરાવતા લોકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે સલાહ આપવામાં આવે છે કારણ કે આ બીજ “હાઈપોકોલેસ્ટેરોલેમિક અને હાઈપોગ્લાયકેમિક અસર” ધરાવે છે.

કેટલા સ્પ્રાઉટ્સનું સેવન કરી શકાય?

મેથીના અંકુરની 1-2 ચમચી દૈનિક વપરાશ એ આદર્શ ભલામણ છે. ગોયલે ટિપ્પણી કરી હતી કે, “પરંતુ તેમને વધુ માત્રામાં રાખવાથી પાચન સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે અને અપચો, પેટ ફૂલવું, હાર્ટબર્ન વગેરે થઈ શકે છે.”

ફણગાવેલા મેથીના દાણાના ફાયદા

પોષણ – ફણગાવેલા મેથીના દાણા એ વિટામિન સી, પ્રોટીન, ફાઇબર, વિટામિન બી3, પોટેશિયમ, આયર્ન વગેરે જેવા પોષક તત્વોનો ખજાનો છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ગોયલે જણાવ્યું હતું કે,”આ પોષક તત્ત્વોની સાથે, મેથીના બીજમાં સ્ટીરોઈડ સેપોનિન એટલે કે ડાયોજેનિન છે, જે હાયપોલિપિડેમિક, હાઈપોગ્લાયકેમિક, એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી અસર સાથે આશાસ્પદ બાયોએક્ટિવ બાયોમોલેક્યુલ ધરાવે છે.”

હાઈપોગ્લાયકેમિક અસર – ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફણગાવેલા મેથીના દાણા એક ઉત્તમ વિકલ્પ છે કારણ કે આ બીજ લોહીમાં શર્કરાના વધેલા સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. આ સ્પ્રાઉટ્સમાં પ્રોટીન અને એમિનો એસિડની સમૃદ્ધિ દ્વારા થાય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે જરૂરી ઇન્સ્યુલિન હોર્મોનનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવું – આ સ્પ્રાઉટ્સ વજન ઘટાડવા માટે એક આદર્શ નાસ્તો છે કારણ કે તેમાં ફાઇબર (75 ટકા દ્રાવ્ય ફાઇબર) ભરપૂર હોય છે જે પેટ ભરેલું રાખે છે.

આ પણ વાંચો: Eye Flu : આંખ આવવાના કેસ કેમ આટલા વધી રહ્યા? કોને સૌથી વધુ જોખમ? શું સાવચેતી રાખવી? જાણો તમામ સવાલના જવાબ

હાર્ટ-ફ્રેન્ડલી – આ સ્પ્રાઉટ્સ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો ધરાવતા લોકો માટે એક વરદાન છે કારણ કે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને વધેલા રક્ત કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડે છે . આ તેની ઉચ્ચ પોટેશિયમ સામગ્રીને કારણે છે, જે બ્લડ પ્રેશર મેનેજમેન્ટ અને ધબકારા જાળવવા માટે જાણીતું ખનિજ છે.

એન્ટિ-પ્રોલિફેરેટિવ અસર – મેથીના અંકુર એન્ટીઑકિસડન્ટો અને શક્તિશાળી ફાયટોકેમિકલ્સથી ભરપૂર હોય છે જે મુક્ત રેડિકલને દૂર કરે છે.

કુદરતી ગેલેક્ટેગોગ – મેથીના અંકુરને ભારતમાં સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે એક આદર્શ નાસ્તો ખોરાક માનવામાં આવે છે કારણ કે માનવામાં આવે છે કે તેઓ કુદરતી દૂધ ઉત્પાદન-વૃદ્ધિ કરનારા સંયોજનો ધરાવે છે. ગોયલે ઉલ્લેખ કર્યો છે કે આને વધુ નોંધપાત્ર ક્લિનિકલ પુરાવાની જરૂર છે.

મેથીના દાણા કેવી રીતે અંકુરિત થાય છે?

ગોયલે આ પગલાં શેર કર્યા

  • દિવસ 1: ધોઈને ½ કપ મેથીના દાણાને 24 કલાક પલાળી રાખો. ખાતરી કરો કે બીજ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
  • દિવસ 2: બીજને પાણીથી સારી રીતે ધોઈ લો અને ફરીથી 24 કલાક પલાળી રાખો.
  • દિવસ 3: ચાળણીમાં મૂકીને બીજને પાણીથી સારી રીતે ધોઈ લો. એકવાર બીજ ધોયા થઈ જાય પછી, બીજ સાથેની ચાળણીને અંધારાવાળી જગ્યાએ મૂકો અને ભીના કપડાથી ઢાંકી દો.
  • દિવસ 4: સ્ટેપ 3 પુનરાવર્તન કરો
  • દિવસ 5: તમે જોશો કે મેથીના દાણા ફૂટી ગયા છે. જો બધા બીજ હજુ સુધી અંકુરિત ન થયા હોય, તો સ્ટેપ 3 વધુ એક વાર પુનરાવર્તિત કરો.
  • એકવાર તમારા બીજ અંકુરિત થઈ જાય, પછી સારી રીતે ધોઈને સૂકવો. તમે આ અંકુરિત મેથીના દાણાને તમારા રેફ્રિજરેટરમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ