ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવવાની શું છે યોગ્ય ઉંમર? સદગુરુએ જણાવી રિલેશનશિપમાં આવવાની રાઇટ એજ

sadhguru jaggi vasudev relationship tips : કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ વિશે દરેકનો મત જુદો જુદો હોય છે. સદગુરુ જગ્ગી વાસુદેવે આ અંગે ખુલીને વાત કરી છે

sadhguru jaggi vasudev relationship tips : કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ વિશે દરેકનો મત જુદો જુદો હોય છે. સદગુરુ જગ્ગી વાસુદેવે આ અંગે ખુલીને વાત કરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sadhguru jaggi vasudev relationship tips, sadhguru jaggi vasudev

સદગુરુ જગ્ગી વાસુદેવે રિલેશનશિપ અંગે ખુલીને વાત કરી છે (તસવીર - ફ્રીપિક)

sadhguru jaggi vasudev relationship tips : કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ માત્ર પ્રેમ છે, જે માત્ર આંખોમાં જોઈને જ થાય છે. પ્રેમ વિશે દરેકનો મત જુદો જુદો હોય છે. નાની ઉંમર હોય કે અન્ય કોઇ ઉંમર, લોકો પ્રેમમાં કોઇ પણ હદ સુધી જાય છે. જોકે તમે કઈ ઉંમરે પ્રેમમાં પડો છો તે ફક્ત તમારા પર નિર્ભર કરે છે.

Advertisment

પ્રેમ કઈ ઉંમરે થાય છે?

કેટલાક લોકોને સ્કૂલ કે કોલેજમાં પ્રેમ થઇ જાય છે, જે જીવનભર સાથે રહે છે. જોકે આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. ભાગદોડ ભર્યા જીવનમાં બહુ ઓછા લોકો પાસે પોતાના પ્રિયજનો માટે સમય હોય છે. આવી સ્થિતિમાં આજે સંબંધોમાં ઘણી તિરાડો પડી રહી છે, જેના કારણે વધુ લગ્નો પણ તૂટી રહ્યા છે.

સદગુરુએ રિલેશનશિપને લઇને શું કહ્યું?

કઈ ઉંમરે રિલેશનશિપમાં જવું જોઈએ અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બનાવવા જોઈએ. સદગુરુ જગ્ગી વાસુદેવે આ અંગે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે જો તમારા માટે કોઈને ડેટ કરવું વધુ મહત્વનું બની ગયું છે તો તમે તેને અવશ્ય કરો. સદગુરુના મતે દરેક વ્યક્તિએ સંબંધોને લઈને ટ્રેન્ડ ન બનાવવો જોઈએ.

આ પણ વાંચો - મથુરાની ફેમસ બટાકા-દહીંની જલેબી કેવી રીતે બનાવવી? જાણો રેસીપી

Advertisment

સદગુરુએ આ વૃક્ષ સાથે સરખામણી કરી

સદગુરુએ રિલેશનશિપની સરખામણી આંબાના ઝાડ સાથે કરી છે. તેમણે કહ્યું હતું કે ખેડૂત જ્યારે આંબાનું વૃક્ષ રોપે છે ત્યારે તે ત્રણથી ચાર વર્ષ સુધી તે વૃક્ષ પર કોઈ ફળ ઉગવા દેતો નથી. તે તેની કળીઓ તોડી નાખે છે. ખેડૂત જ્યાં સુધી વૃક્ષ ન બને ત્યાં સુધી આ કામ કરે છે. જો ખેડૂત આવું ન કરે તો કેરીનો છોડ ક્યારેય સારું વૃક્ષ બની શકતો નથી. રિલેશનશિપ પણ કંઈક આવી જ છે. રિલેશનશિપમાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. સદગુરુના મતે લાઇફનો જે ટાર્ગેટ હોય તે પહેલા પુરો કરવો જોઈએ અને પછી રિલેશનશિપમાં આવવું જોઈએ.

જીવનશૈલી સદગુરુ જગ્ગી વાસુદેવ