મન શાંત થશે, ગાઢ ઊંઘ આવશે, રાત્રે શાંતિથી સૂવા માંગો છો તો સદગુરુના આ 3 ફોર્મ્યુલા ફોલો કરો

Sleeping Tips: જો તમે પણ રાત્રે સારી ઊંઘ લેવા માંગતા હો, તો તમે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરી શકો છો

Sleeping Tips: જો તમે પણ રાત્રે સારી ઊંઘ લેવા માંગતા હો, તો તમે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
sadhguru jaggi vasudev

સારી ઊંઘ માટે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરી શકો છો (તસવીર - Sadhguru/Facebook)

Sleeping Tips: સારા સ્વાસ્થ્ય માટે રાત્રે યોગ્ય સમયે સૂવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે મોટાભાગના ઊંઘવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ ઊંઘી શકતા નથી. ઘણી વખત મોડી રાત સુધી જાગવાની આદતને કારણે આખો દિવસ પ્રભાવિત થાય છે, જેના કારણે બીજા દિવસે થાક લાગે છે.

Advertisment

જો તમે દરરોજ એક જ સમયે ઊંઘો છો તો તમે બીજા દિવસે લગભગ તે જ સમયે આંખ ખુલી જશે. તેનાથી તમે આખો દિવસ એનર્ટેટિક અનુભવશો અને દિવસભર કામ કરવાની તમારી ક્ષમતામાં પણ વધારો કરશે. જો તમે પણ રાત્રે સારી ઊંઘ લેવા માંગતા હો, તો તમે સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરી શકો છો.

ઊંઘતા પહેલા સ્નાન કરો

સદગુરુના જણાવ્યા અનુસાર રાત્રે સારી ઊંઘ માટે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી મન શાંત થાય છે. જો હવામાન ઠંડુ હોય, તો તમે નવશેકા પાણીથી સ્નાન કરી શકો છો. સદગુરુ જણાવે છે કે સ્નાન કરવાથી થાક ઓછો થાય છે, જેના કારણે સારી ઊંઘ આવે છે.

જમ્યા પછી તરત જ ઊંઘ જશો નહીં

જમ્યા પછી તરત જ ઊંઘવું નહીં. સદગુરુના જણાવ્યા અનુસાર જમ્યા પછી ઓછામાં ઓછા 3-4 કલાકના અંતરે સૂવું જોઈએ. આ પાચનને યોગ્ય રાખે છે અને સારી ઊંઘ આવે છે. તમે ઊંઘતા પહેલા થોડું પાણી પણ પી શકો છો.

Advertisment

આ પણ વાંચો - ફણગાવેલા, બાફેલા કે શેકેલા, સવારે કયા પ્રકારના ચણા ખાવા વધુ ફાયદાકારક

ઓરડામાં દીવો પ્રગટાવો

સદગુરુ કહે છે કે સૂતા પહેલા ઓરડામાં દીવો પ્રગટાવવો એ સારું છે. તેમના જણાવ્યા અનુસાર જો તમે રૂમમાં દીવો પ્રગટાવો છો તો તેનાથી મન શાંત થઈ જાય છે. સદગુરુ તલ, સરસવ, જૈતુન અથવા અળસીના તેલથી દીવો પ્રગટાવવાની ભલામણ કરે છે.

(ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)

જીવનશૈલી સદગુરુ જગ્ગી વાસુદેવ