મીઠું નાખેલું દહીંનું કે ખાંડ નાખેલું દહીં? તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું અને શા માટે?

કન્સલ્ટન્ટ ડાયટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર કનિક્કા મલ્હોત્રાએ 'ખાંડ સાથે દહીં ઉમેરવાથી શરીર પર થતા ફેરવાર વિશે જણાવ્યું છે, અહીં જાણો

Written by shivani chauhan
September 03, 2024 07:00 IST
મીઠું નાખેલું દહીંનું કે ખાંડ નાખેલું દહીં? તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું અને શા માટે?
મીઠું નાખેલું દહીંનું કે ખાંડ નાખેલું? તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું અને શા માટે?

તમે દહીંમાં ખાંડ નાખો છો કે મીઠું? દહીંમાં ખાંડ અથવા મીઠું નાખીને તેનું સેવન કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે અને આરોગ્ય માટે એક ચર્ચાનો વિષય છે. દહીં ઘણી સંસ્કૃતિમાં મુખ્ય છે અને તેના પ્રોબાયોટિક ગુણધર્મો માટે જાણીતું છે, તેના સ્વાદને વધારવા માટે ઘણી વખત તેમાં ઘણી ચીજો ઉમેરીને સેવન કરવામાં આવે છે. કેટલાક લોકો મીઠું નાખેલા દહીંના ખારા અને સ્વાદિષ્ટ સ્વાદનો આનંદ માણે છે. જ્યારે અન્ય લોકો ખાંડવાળા દહીંના મીઠા સ્વાદ માણવાનું પસંદ કરે છે.

પરંતુ તમારા માટે કયું ઉત્તમ?

કન્સલ્ટન્ટ ડાયટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર કનિક્કા મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ‘ખાંડ સાથેનું દહીં ઉમેરવામાં આવેલી ખાંડને કારણે વધુ કેલરી આપે છે. મધ્યમ માત્રામાં મીઠાની કેલરીની અસર નહિવત્ હોય છે.

આ ઉપરાંત મીઠાની તુલનામાં ખાંડમાં નોંધપાત્ર રીતે કાર્બોહાઇડ્રેટ્સ વધારે છે. મીઠુંમાં સોડિયમ હોય છે, જે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન માટે મહત્વપૂર્ણ છે પરંતુ મધ્યસ્થતાની જરૂર છે, ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરની ચિંતા ધરાવતા લોકો માટે ધ્યાન રાખું જરૂરી છે.

આ પણ વાંચો: શું આ પીણાં ફેટી લીવર ઘટાડવામાં મદદ કરી શકે છે? ન્યુટ્રીશનિસ્ટએ શું કહ્યું?

બંને વિકલ્પો દહીંના મૂળ પોષક તત્વો પ્રોટીન, કેલ્શિયમ અને ફાયદાકારક આંતરડાના બેક્ટેરિયા (પ્રોબાયોટિક્સ) જાળવી રાખે છે. જો કે, એક્સપર્ટ ભારપૂર્વક કહે છે કે ડાયાબિટીસ અથવા વેઇટ કંટ્રોલ કરવા માંગતા લોકો માટે સોલ્ટ સાથે દહીં એ વધુ સારો વિકલ્પ છે.

દહીંમાં મીઠું અથવા ખાંડ ઉમેરવાથી પાચન અને આંતરડાના સ્વાસ્થ્યને કેવી અસર થાય?

મલ્હોત્રા કહે છે કે દહીંમાં મીઠું ઉમેરવાથી ‘આંતરડાના બેક્ટેરિયા પર કોઈ સીધી અસર થતી નથી.’ તે પેટમાં એસિડનું ઉત્પાદન વધારી શકે છે, કેટલાકમાં પાચનમાં મદદ કરે છે.

બીજી તરફ ખાંડનું વધુ પડતું સેવન આંતરડાના માઇક્રોબાયોમને વિક્ષેપિત કરી શકે છે આ સંતુલન, સંભવિતપણે દહીંમાં પ્રોબાયોટીક્સના ફાયદાઓને ઘટાડે છે.

મલ્હોત્રાના જણાવ્યા મુજબ, મીઠું સાથે દહીં અથવા ખાંડ સાથે દહીંનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા અને જોખમો

મીઠું સાથે દહીં:

ફાયદા : ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને ટેકો આપે છે, તૃપ્તિને પ્રોત્સાહન આપે છે (સંપૂર્ણ લાગણી), પ્રોબાયોટિક લાભો જાળવી રાખે છે.જોખમ : સોડિયમનું વધુ પડતું સેવન કેટલાકમાં બ્લડ પ્રેશર વધારી શકે છે.

આ પણ વાંચો: World Coconut Day: નાળિયેર રોજ ખાવું યોગ્ય છે? નારિયેળનું સેવન કરવાના ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો

ખાંડ સાથે દહીં

ફાયદા : તે ઝડપી એનર્જી સ્ત્રોત પૂરો પાડે છે, સ્વાદિષ્ટ હોઈ શકે છે.જોખમ: વધેલી કેલરીની માત્રા હોઈ શકે અને સંભવિત બ્લડ સુગર વધારે છે, અતિશય ખાંડ સાથે હોવાથી પ્રોબાયોટીક્સના ફાયદાઓને અવરોધે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ દૂર રેહેવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ